SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ 328 ભગવદ- 14-719 છીએ તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ એ વાતને જાણે છે કે જુએ છે? હા. ગૌતમી તેમજ છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? ગૌતમ અનુત્તરૌપપાતિક દેવોએ મનોદ્રવ્યની અનંત વર્ગણાઓ મેળવી છે. પ્રાપ્ત કરી છે, અને વ્યાપ્ત કરી છે, માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે તેઓ જાણે છે અને જુએ છે. [૨૦]હે ભગવન્! કેટલા પ્રકારે તુલ્ય છે? હે ગૌતમ! તુલ્ય છ પ્રકારે. દ્રવ્યતુલ્ય. ક્ષેત્રતુલ્ય, કાલતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય અને સંસ્થાનતુલ્ય. હે ભગવન્! દ્રવ્યતુલ્ય એ દ્રવ્યતુલ્ય” એમ કહેવાય ? હે ગૌતમ! એક પરમાણુપુદ્ગલ બીજા પરમાણુપુદ્ગલની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પણ પરમાણુંપુદ્ગલ પરમાણુપુદ્ગલ સિવાયના બીજ પદાર્થ સાથે દ્રવ્યથી તુલ્ય નથી, એ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્કન્ધ (બીજ) દ્વિપ્રદેશિક સ્કન્ધની સાથે દ્રિવ્યથી તુલ્ય છે, પણ ટ્રિપ્રદેશિક સ્કન્ધ દ્વિપ્રદેશિક સ્કન્ધ સિવાયના બીજા પદાથે સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે વાવતુ-તુલ્યુઅર્સ ખ્યાતપ્રદેશિક સ્કન્ધ તથા તુલ્યઅનન્ત પ્રદેશિક સ્કન્ધ સંબધે પણ જાણવું. માટે હે ગૌતમ તે કારણથી દ્રવ્યતુલ્ય એ દ્રવ્યતુલ્ય” કહેવાય છે. હે ભગવન્! ક્ષેત્રતુલ્ય એ “ક્ષેત્ર તુલ્ય' શા કારણથી કહેવાય છે? હે ગૌતમ! આકાશના એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય પ્રદેશમાં રહેલ પુદ્ગલદ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય કહેવાય છે, પણ એક પ્રદેશમાં રહેલ પુદ્ગલદ્રવ્ય સિવાયના દ્રવ્ય સાથે ક્ષેત્રથી તુલ્ય નથી. એ પ્રમાણે વાવતુ તુલ્યઅસંખ્યાતપ્રદેશાવગાઢ સ્કન્ધ સંબધે પણ જાણવું. માટે તે હેતુથી એ ‘ક્ષેત્રતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્! કાલતુલ્ય એ કાલતુલ્ય શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળું પુકલર્ગવ્ય એક સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાલની તુલ્ય છે. એક સમયની સ્થિતિવાળું પુદ્ગલદ્રવ્ય એક સમયની સ્થિતિ સિવાયના પુદ્ગલ દ્રવ્યની સાથે કાલથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવતુ જાણવું. તુલ્યઅસંખ્યાત સમયની પુદ્ગલદ્રવ્ય સંબધે પણ જાણવું. તે હેતુથી એ પ્રમાણે કાલતુલ્ય એ “કાલતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે- ભવતુલ્ય એ ભવ તુલ્ય છે? હે ગૌતમ! નારક જીવ નારકની સાથે ભવરુપે તુલ્ય છે, નારક નારક સિવાયના બીજા જીવ સાથે ભવરુપે તુલ્ય નથી. તે પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવસંબધે પણ જાણવું. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે ભાવતુલ્ય એ “ભાવતુલ્ય છે? હે ગૌતમ! હે ભગવનું ! શા હેતુથી એમ કહેવાય છે કે ભાવતુલ્ય એ ભાવતુલ્ય છે હે ગૌતમ! એકગુણ કાળા વર્ણવાળું પુદ્ગલ દ્રવ્ય એકગુણ કાળાવર્ણવાળું પગલદ્રવ્યની સાથે ભાવથી તુલ્ય છે, પરન્તુ એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલ દ્રવ્ય એકગુણકાળાવ સિવાયના બીજા પુલદ્રવ્ય સાથે ભાવતુલ્ય નથી. એ પ્રમાણે વાવત્ તુલ્યઅસંખ્યાત ગુણકાળા અને તુલ્યઅનંતગુણકાળા પુદ્ગલદ્રવ્ય પણ એ પ્રમાણે જાણવું. જેમ કાળાવર્ણ વાળું પુદ્ગલદ્રવ્ય સંબધે કહ્યું, તેમ નીલ (લીલા) રાતા, પીળા અને શુક્લ પુદ્ગલદ્રવ્ય સંબધે પણ જાણવું. એ પ્રમાણે સુગંધી દુર્ગધી, કટુકથાવત્ મધુર દ્રવ્ય સંબધે તથા કર્કશ વાવ-ક્ષ પુગલદ્રવ્ય સંબધે જાણવું. ઔદયિક ભાવ ઔદયિક ભાવની સાથે ભાવથી તુલ્ય છે. ઔદયિક ભાવ સિવાયના બીજા ભાવ સાથે ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક, તથા પારિણામિક ભાવસંબધે જાણવું. સાંનિપાતિક ભાવ સાંનિપાતિક ભાવની સાથે ભાવથી તુલ્ય છે. તે હેતુથી હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy