SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૪, ઉદેસી-૬ 327 છે. તે ચક્રના આકારવાળા સ્થાનની ઉપર બરોબર સમ અને રમણીય ભૂમિભાગ કહેલો છે. યાવતુ-મનોજ્ઞ સ્પર્શ હોય છે. ત્યાં સુધી જાણવું, તે ચક્રાકારવાળા તે સ્થાનની બરો બર મધ્યભાગે એક મોટો પ્રાસાધવતંસક- વિકર્યું છે. તે ઉંચાઈમાં પાંચસો યોજન અને તેનો વિખંભ- અઢીસો યોજનાનો છે. તે પ્રાસાદ અત્યન્ત ઉંચો ઈત્યાદિ પ્રાસાદવર્ણન જાણવું. યાવતુ-તે પ્રતિરુપ-સુંદર અને દર્શનીય છે. તથા તે પ્રાસાદાવતંકસકનો ઉપરનો ભાગ પદ્મ અને લતાઓના ચિત્રામણથી વિચિત્ર અને વાવત્ દર્શનીય છે.વળી તે પ્રાસા દાવતંકનો અંદરનો ભાગ બરાબર સમઅને રમણીય છે,યાવતુ ત્યાં મણિઓ નો સ્પર્શ હોય છે - વળી ત્યાં આઠ યોજન ઉંચી એક મણિપીઠિકા છે, અને તે વૈમાનિકોની મણિપીઠિકા જેવી જાણવી. તે મણિપીઠીકાની ઉપર એક મોટી દેવશયા વિકર્યું છે, તે દેવશવ્યાનું વર્ણન યાવતુ પ્રતિરુપ' છે ત્યાં સુધી કહેવું. ત્યાં શક્ર પોતપોતાના પરિવાર યુક્તઆઠ પટ્ટરાણીઓ સાથેગન્ધવીનીક અને નાટ્યાનીક સાથે મોટેથી-વગાડેલા નાટ્ય, ગીત અને વાજિંત્રના શબ્દવડે યાવતુ-ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવતો વિહરે છે. હે ભગવન્! દેવેન્દ્ર અને દેવનો રાજા ઈશાન દિવ્ય ભોગોને ભોગવવા ઈચ્છે ત્યારે તે કેવી રીતે ભોગવે? જેમ શક સંબધે કહ્યું તેમ ઈશાન સંબધે પણ સમગ્ર કહેવું. એ પ્રમાણે સનકુમારને વિષે પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે એ પ્રાસાદાવાંસક ઉંચાઈમાં છસો યોજન અને પહોળાઈમાં ત્રણસો યોજન છે. તથા તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન સપરિવાર-ઈત્યાદિ કહેવું. તેમાં સનકુમાર બહોંતર હજાર સામાનિક દેવો સાથે, યાવતુ-બે લાખ અદ્યાશી હજાર આત્મરક્ષક દેવો સાથે. અને સનકુમાર કલ્પમાં રહેનારા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સાથે પરિવૃત્ત થઈ યાવતુ-વહરે છે. એ પ્રમાણે જેમ સનકુમાર સંબધે કહ્યું, તેમ યાવતુ પ્રાણત તથા અશ્રુત દેવલોક સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, જેનો જેટલો પરિવાર હોય તેનો તેટલો અહિં કહેવો. પોત પોતાના કલ્પના વિમાનોની ઉંચાઈના જેટલી પ્રાસાદની ઉંચાઈ જાણવી. અને ઉંચાઈના અડધા ભાગ જેટલો તેનો વિસ્તાર જાણવો, યાવતુ-અશ્રુત દેવલોકનો પ્રાસાધવતંસક નવસો યોજન ઉંચો છે, અને સાડા ચારસો યોજન પહોળો છે. તેમાં હે ગૌતમાં દેવેન્દ્ર દેવરાજ અય્યત દશ હજાર સામાનિક દેવો સાથે વાવવિહરે છે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમજ છે, એમજ છે - | શતક ૧૪-ઉદેસોનીમુનિદીપરત્ન સાગર કરેલગુર્જરછાયપૂર્ણ ] ( ઉદેશક૭ [૧૮]રાજગૃહમાં યાવતુ-પરિષદ્ વાંચીને પાછી ગઈ. “હે ગૌતમ! તું મારી સાથે ઘણાં કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે, ઘણા લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે, તારો મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે, તે ઘણાં લાંબા કાળથી મારી સેવા કરી છે, તે ઘણાં લાંબા કાળથી મને અનુસયો છે, હે ગૌતમ! તું ઘણાં લાંબા સંબધે છે,વધારે શું? પણ મરણ પછી શરીરનો નાશ થવા બાદ અહીંથી આપણે બન્ને સરખા, એકાઈ સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળાં) વિશેષતા અને ભેદરહિત થઈશું. [૧૯]હે ભગવન્! જેમ આપણે બન્ને આ અર્થને જાણીએ છીએ અને જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy