SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - 324 ભગવઈ -14-3604 ગૌતમ! હા છે. એ પ્રમાણે વાવત્-સ્તનિતકુમારી સુધી જાણવું. જેમ નૈરયિકોને કહ્યું તેમ પૃથિવી કાયિકથી આરંભી યાવતુચતુરિન્દ્રિય જીવો સંબધે પણ જાણવું. હે ભગવન! પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાં સત્કાર, ઈત્યાદિ વિનય હોય છે ? હે ગૌતમ! હા, હોય છે. પરન્તુ આસનાભિગ્રહ- આસનાનપ્રદાન-ઈત્યાદિ વિનય હોતો નથી. મનુષ્યો અને યાવદુ વૈમાનિકોને જેમ અસુરકુમારને કહ્યું તેમ કહેવું. [૬૦]હે ભગવન્! અા દ્ધિવાળો દેવ મહા ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈ જાય? હેગૌતમ! એ અર્થ સમર્થ નથી. સમાન ઋદ્ધિવાળો દેવ સમાન દ્વિવાળા દેવની વચ્ચે થઈને જાય? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. પણ જો તે પ્રમત્ત હોય તો તેની વચ્ચે થઈને જાય. શું શસ્ત્રથી પ્રહાર કરીને જવા સમર્થ થાય કે પ્રહાર કર્યા સિવાય હે ગૌતમ! શપ્રહાર કરીને જવા સમર્થ થાય, પણ પ્રહાર કર્યા સિવાય જવા સમર્થ ન થાય. હે ભગવન્! શું તે પ્રથમ શસ્ત્રપ્રહાર કરે અને પછી જાય કે પહેલાં જાય ને પછી શસ્ત્રપ્રહાર કરે ? ઈત્યાદિ આ પ્રકારના અભિલાપથી દશમ શતકના આત્મદ્ધિક, ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમગ્રપણે ચાર દંડકો કહેવા. [06 હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીના નારકો કેવા પ્રકારના પુદ્ગલપરિ ણામને અનુભવતા વિહરેછે ? તેઓ અનિષ્ટ, પાવતુ-મનને નહિ ગમતાં પગલપારિ ણામને અનુભવતા વિહરેછે. એ પ્રમાણે યાવતુ-સાતમી નરકમૃથિવીના નારકો સુધી જાણવું. એ રીતે યાવતુ-વેદનાપરિણામને પણ અનુભવે છે-ઈત્યાદિ જેમ જીવાભિગમ સૂત્રના બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં કહેવું. યાવતું- હે ભગવનું ! સાતમી નરપૃથિવીના નૈરયિકો કેવા પ્રકારના પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ છે? હે ગૌતમ! તેઓ અનિષ્ટ, યાવતુર્મનને નહિ ગમતા પરિગ્રહસંજ્ઞા પરિણામનો અનુભવ કરતા વિહરે છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. | શતક:૧૪-ઉદેસરની અનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશકઃ૪) [607 હે ભગવન્! આ પુગલ અનન્ત-અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય સુધી રુક્ષસ્પર્શવાળો, એક સમય સુધી અરુક્ષ સ્નિગ્ધસ્પર્શવાળો, તથા એક સમય સુધી રુક્ષ અને નિષ્પ-બંને પ્રકારના સ્પર્શવાળો હતો ? અને પૂર્વ કરણ અને વિશ્રાકરણથી અનેક વર્ણવાળા અને અનેક રુપવાળા પરિણામરૂપે પરિણત થયો હતો ? હવે તે અનેક વણદિપરિણામ ક્ષીણ થાય ત્યાર પછી તે પુદ્ગલ એકવર્ણવાળો અને એકરુપવાળો હતો? હા ગૌતમાં આ પુદ્ગલ અતીત કાલને વિષે-ઈત્યાદિ યાવતું એક પવાળો હતો ત્યાં સુધી સમગ્ર પાઠ કહેવો. [૬૦]હે ભગવન્... આ પુગલ શાશ્વત વર્તમાન કાળને વિષે પ્રશ્ન પૂર્વપ્રમાણે ઉત્તર જાણવો, એ પ્રમાણે અનાગતકાલ સંબધે પણ જાણવું. હે ભગવન્! અનન્ત- અને શાશ્વત અતીતકાલને વિષે પુદ્ગલસ્કન્ધ વિશે પ્રશ્ન. એ પ્રમાણે જેમ પુદ્ગલસંબધે કહ્યું તેમ સ્કન્ધસંબધે પણ જાણવું. હે ભગવન્! આ જીવ અનન્ત-અપરિમિત અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય દુઃખી, એક સમય અદુઃખી-સુખી, તથા એક સમય દુઃખી કે સુખી હતો? અને પૂર્વ કરણથી અનેક પ્રકારના સુખિપણું અને દુઃખિપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy