SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉદેસો-૬ 29 [9] હે ભગવન ! લોકનો અંત અલોકના અંતને સ્પર્શે. અલોકનો પણ અંત લોકના છેડાને સ્પર્શે? હા, ગૌતમ ! લોકનો છેડો અલોકના છેડાને સ્પર્શે અને અલોકનો પણ અંત લોકના છેડાને સ્પર્શે. હે ભગવન્! જે આશય છે તે શું ધૃષ્ટ છે ? હે ગૌતમ ! નિયમપૂર્વક છએ દિશામાં આશય છે હે ભગવન્! બેટનો છેડો સમુદ્રના છેડાને સ્પર્શે ? સમુદ્રનો છેડો પણ બેટના છેડાને સ્પર્શે ? હા, યાવત-નિયમ છે એ દિશામાં સ્પર્શે. એ પ્રમાણે અભિલાપવડે પાણીનો છેડો વહાણના છેડાને સ્પર્શે, છિદ્રનો છેડો વસ્ત્રના છેડાને સ્પર્શ ? અને છાયાનો છેડો તડકાના છેડાને સ્પર્શે ? હે ગૌતમ ! યાવતુનિયમે છએ દિશામાં સ્પર્શે | [71] હે ભગવન્! જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે? હા, કરાય છે. હે ભગવન્! જે ક્રિયા કરાય છે તે શું સ્પષ્ટ છે? કે અસ્કૃષ્ટ છે ? હે ગૌતમ ! યાવતુ નિવ્યઘિાતવડે છએ દિશાને વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાને, કદાચ ચાર દિશાને અને કદાચ પાંચ દિશાને સ્પર્શે છે. હે ભગવન્! જે ક્રિયા કરાય છે ! તે શું છે? કે કૃત છે? હે ગૌતમ! તે ક્રિયાકત છે. પણ અકત નથી. હે ભગવન્! જે ક્રિયા કરાય છે તે શું આત્મકૃત છે? પરત છે ! કે ઉભયત છે? હે ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે. પણ પરફત કે તદુભયકૃત નથી. હે ભગવન્! જે ક્રિયા કરાય છે? તે અનુક્રમપૂર્વક કૃત છે? કે અનુક્રમ સિવાયત છે? હે ગૌતમ ! તે અનુક્રમપૂર્વક કૃત છે. પણ અનુક્રમ સિવાય કૃત નથી, વળી જે કૃત ક્રિયા કરાય છે? અને કરાશે તે બધી અનુક્રમપૂર્વક કૃત છે. પણ અનુક્રમ સિવાય કૃત નથી એમ કહેવાય. હે ભગવન્! મૈરયિકો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે? હે ગૌતમ! હા, કરાય છે. હે ભગવન્! જે ક્રિયા કરાય છે તે શું સ્પષ્ટ છે? કે અસ્કૃષ્ટ છે? હે ગૌતમ! યાવત-નિયમે છએ દિશામાં કરાય છે હે ભગવન્! જે ક્રિયા કરાય છે? તે શું કત છે? કે અકૃત છે? હે ગૌતમ તે પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ તે અનુક્રમસિવાય કૃત છે એમ ન કહેવાય. નૈરયિકોની પેઠે એકેદ્રિય સિવાયના યાવતું વૈમાનિક સુધીના બધા જીવો કહેવા. અને જીવોની પેઠે એકેંદ્રિયો કહેવા. પ્રાણાતિપાતની ક્રિયા પેઠે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ ક્રોધ અને યાવતુમિથ્યાદર્શનશલ્ય સુધી જાણવું. અને એ પ્રમાણે એ અમર પાપસ્થાન વિષે ચોવીશ દંડક કહેવા. હે ભગવન! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી ભગવું મહાવીરને નમીને યાવત્ વિહરે છે. 7i2] તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય રોહ નામના અનગાર હતા, જેઓ સ્વભાવે ભદ્ર, કોમળ, વિનયી, શાંત, ઓછા ક્રોધ-માન-માયા- અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુને આશરે રહેનારા, કોઈને સંતાપ ન કરે તેવા અને ગુરુભક્ત હતા. તે રોહ નામના અનગાર પોતે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોઠામાં પઠલા તથા સંયમ અને તાપ વડે આત્માને ભાવતા શ્રમણ ભગવંત મહાવીરની આજુબાજુ વિહરે છે. પછી તે રોહ નામના અનગાર જાતશ્રદ્ધ થઈ યાવતુપર્યપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવન્! પહેલો લોક છે અને પછી અલોક છે? કે પહેલો અલોક છે ? અને પછી લોક છે ? હે રેહ! લોક અને અલોક, એ પહેલો પણ છે અને પછી પણ છે. એ બને પણ શાશ્વતા ભાવ છે. હે રોહ! એ બેમાં અમુક પહેલો અને અમુક પછી એવો ક્રમ નથી. હે ભગવન્! જીવો પહેલા છે? અને અજીવો પછી છે? કે પહેલા અજીવે છે અને પછી જીવો છે ! હે રોહ ! જેમ લોક અને અલોક વિષે કહ્યું તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy