SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ભગવઈ- 1-72 જીવો અને અજીવો સંબંધે પણ જાણવું. એ પ્રમાણે ભવસિદ્ધિકો, અને અભવસિદ્ધિક, સિદ્ધિ અને સિદ્ધિ સંસાર તથા સિદ્ધ અને સંસારિઓ પણ જાણવા. હે ભગવનું ! પહેલાં ઈડું છે અને પછી કુકડી છે? કે પહેલાં કુકડી છે અને પછી ઈડું છે? હે રોહ! તે ઠંડું ક્યાંથી થયું? “હે ભગવન્! તે ઈડું કુકડીથી થયું હે રોહ! તે કુકડી ક્યાંથી થઈ?"હે ભગવન્! તે કુકડી ઇંડાથી થઈ.” એજ પ્રમાણે હે રોહ! તે ઈડું અને કુકડી એ પહેલાં પણ છે અને પછી છેએ શાશ્વત ભાવ છે. પણ હે રોહતે બેમાં કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવન્! પહેલાં લોકાંત છે? અને પછી અલોકાંત છે? કે પહેલાં અલોકાત છે? અને પછી લોકાંત છે? હે રોહ ! લોકાંત અને અલોકાંત એ બન્નેમાં યાવતુ-હે રોહ કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવનપહેલાં લોકાંત છે અને પછી સાતમું અવકાશાંતર છે? ઈત્યાદિ પૂછવું. હે રોહ ! લોકાંત અને સાતમું અવકાશાંતર, એ બન્ને પહેલાં પણ છે. એ પ્રમાણે યાવતુ હે રોહ ! એ બેમાં કોઈ જાતનો ક્રમ નથી. એ પ્રમાણે લોકાંત, સાતમો તનુવાત, એ પ્રમાણે ધનવાત, ધનોદધિ અને સાતમી પૃથિવી. એ પ્રમાણે એકએકની સાથે લોકાંત જોડવો. [73-74] અવકાશાંતર, વાત, ઘનોદધી, પૃથિવી, દીપ, સાગર,-ક્ષેત્ર, મૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશો, અને પર્યવો તથા કાળ પહેલાં છે અને લોકાંત (પછી છે) ૭િપ હે ભગવન્! પહેલાં લોકાંત છે અને પછી સવદ્ધા છે? હે રોહ! જેમ લોકાંત સાથે એ બધાં સ્થાનો જોડ્યાં, તેમ આ સંબંધે પણ જાણવું. અને એ પ્રમાણે એ બધાં સ્થાનો અલોકાંત સાથે પણ જોડવાં. હે ભગવન્! પહેલા સાતમું અવકાશાંતર છે અને પછી સાતમો તનુવાત છે? હે રોહ ! એ પ્રમાણે સાતમું અવકાશાંતર બધા સાથે જોડવું. અને એ પ્રમાણે યાવતુસવદ્ધા સુધી જાણવું. હે ભગવન્! પહેલાં સાતમો તનુવાત છે અને પછી સાતમો ધનવાત છે! હે રોહ! એ પણ તે પ્રમાણે જાણવું. યાવતુ-સદ્ધિા . એ પ્રમાણે ઉપરના એક એકને સંયોજતાં અને જે નીચેનો હોય તેને છોડતાં પૂર્વ પ્રમાણે જાણવું. વાવતુ-અતીત અને અનાગતકાળ અને પછી સવદ્ધિા, યાવતુ- હે રોહ ! એમાં કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવન્! તે પ્રમાણે છે, યાવતું વિહરે છે. 7i6] હે ભગવનુ એમ કહીને ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને પાવતુ આ પ્રમાણે કહ્યું હે ભગવન્! લોકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે - વાયુ આકાશના આધારે રહેલો છે. ઉદધિ વાયુના આધારે રહેલો છે. જમીન ઉદધિના આધારે રહેલા છે. ત્રસ જીવો અને સ્થાવર જીવો પૃથિવીના આધારે રહેલા છે. અજીવો જીવના આધારે રહેલા છે. જીવો કર્મના આધારે રહેલા છે. અજીવોને જીવએ સંઘરેલા છે અને જીવોને કમીએ સંઘરેલા છે. હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ હોય, તે ચામડાની મસકને પવનવડે ફુલાવે. પછી તે મસકનું મુખ બંધ કરે, મસકને વચલે ભાગે ગાંઠ બાંધી, પછી તે મસકનું મુખ ઉઘાડે અને તેની અંદરનો પવન કાઢી નાખે. મસકના ઉપરના ભાગમાં પાણી ભરે, પછી પાછું તે મસકનું મુખ બાંધી દે, પછી તેની વચલી ગાંઠ છોડી દે. તો હે ગૌતમ ! તે ભરેલું પાણી તે પવનની ઉપરના ભાગમાં રહે? હા, રહે તે કારણથી યાવતુ-જીવોને કર્મોએ સંઘરેલા છે એ પૂર્વ પ્રમાણે કહ્યું છે. અથવા હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ હોય, તે ચામડાની મસકને પવનવડે ફુલાવી પોતાની કડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy