SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 28 ભગવાઈ-૧-૫૬૭, લોભોપયુક્ત પણ છે. એ પ્રમાણે પૃથિવી- કાયિકોને બધાય પણ સ્થાનોમાં અભંગક છે. વિશેષ એકે-તેજલેશ્યામાં એંશી એંશી ભાંગા કહેવા. એ પ્રમાણે અપ્લાય પણ જાણવો. તથા તેજસ્કાય અને વાયુ- કાયને પણ સર્વસ્થાનોમાં અભંગક છે. વળી વનસ્પતિકાયિકો પણ પૃથિવીકાવિકની પેઠે જાણવા. [68] જે સ્થાનોવડે નૈરયિકોને એસી ભંગા છે તે સ્થાનો વડે બેડદિય, તેઈહિંય અને ચઉરિંદ્રિય જીવોને પણ એંસી ભાંગા છે, વિશેષ એકે, નીચે લખેલા ત્રણ સ્થાનમાં પણ તે જીવોને એંશી ભાંગા થાય છે, તે ત્રણ સ્થાનો - સમ્યકત્વ, અભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન અર્થાત્ આ ત્રણ સ્થાનોમાં પણ બેઈકિયાદિ જીવોને એંસી ભાંગા થાય છે અને એટલું કરતાં વધારે છે. તથા જે સ્થાનોવડે નૈરયિકોને સત્તાવીશ ભાંગા છે તે બધાય પણ સ્થાનોમાં અહીં અભંગક છે. જેમ નૈરયિકો કહ્યા તેમ પંચેઢિયતિયચયોનિકો પણ જાણવા. વિશેષ એ કે- જે સ્થાનોવડે નૈરયિકોમાં સત્તાવીશ ભાંગા કહ્યા છે, તે સ્થાનોવડે અહીં અભંગક કહેવું. અને જ્યાં નૈરયિકોમાં એંશી ભાંગા કહ્યા છે ત્યાં અહીં પણ એંસી ભાંગાજ કહેવા. નૈરયિકોમાં જે સ્થાનીવડે એસી ભાંગા કહ્યા છે તે સ્થાનીવડે મનુષ્યોમાં પણ એંસી ભાંગા કહેવા. અને એ નૈરયિકોમાં જે સ્થાનો વડે સત્તાવીશ ભંગા કહ્યા છે તે સ્થાનોવડે મનુષ્યોમાં અભંગ, કહેવું. વિશેષ એ કે, મનુષ્યોને જઘન્ય સ્થિતિમાં અને આહારક શરીરમાં એંસી ભાંગા છે. અને એ નૈરયિકો કરતાં મનુષ્યોમાં અધિક છે. જેમ ભવનવાસીદવો કહ્યા તેમ વાનવંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિકો જાણવા. વિશેષ એ કે, જેનું જુદાપણું છે તે જાણવું, અને એ પ્રમાણે અનુત્તર સુધી જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતક-૧નાઉસો-૫ની મુને દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (- ઉદેશક-૬:-) [9] હે ભગવન્! અવકાશાંતરથી ઉગતો સૂર્ય શીધ્ર નજરે જવાય છે તેટલાજ દૂરથી આથમતો સૂર્ય પણ શીધ્ર નજરે જોવાય છે? હે ગૌતમ! હા જેટલે દૂરથી ઉગતો સૂર્ય નજરે જોવાય છે તેટલાજ દૂરથી આથમતો સૂર્ય પણ શીધ્ર નજરે જોવાય છે. હે ભગવનું ! ઉગતો સૂર્ય પોતાના તાદ્વારા જેટલા ક્ષેત્રને સર્વ પ્રકારે ચારે બાજુથી બધી દિશાઓમાં અને બધા ખુણામાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે, અને ખૂબ ઉષ્ણ કરે છે, તેટલાજ ક્ષેત્રને બધી દિશાઓમાં અને બધા ખૂણામાંઆથમતો સૂર્ય પણ પોતાના તાપ દ્વારા પ્રકાશિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે ? અને ઉષણ કરે છે ! હે ગૌતમ! હા, ઉગતો સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે તેટલાજ ક્ષેત્રને આથમતો સૂર્યપણ યાવતુ-ઉષ્ણ કરે છે. હે ભગવન! સૂર્ય જે ક્ષેત્રને પ્રકાશે છે ? તે ક્ષેત્રથી સૂર્યથી સ્મશયેિલું છે ? કે, અસ્પર્શાયેલું છે? હે ગૌતમ! તે ક્ષેત્ર સૂર્યથી સ્પશયેલું છે અને યાવતુ-તે ક્ષેત્રને જીએ દિશામાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે. તથા અત્યંત તપાવે છે હે ભગવન્! સ્પર્શ કરવાના કાળસમયે-સૂર્યના સાથે સંબંધવાળા જેટલા ક્ષેત્રને સર્વ દિશાઓમાં સૂર્ય સ્પર્શે છે, તેટલું ક્ષેત્ર “સ્પશયેિલું એમ કહેવાય? હે ગૌતમ! હા, હે ભગવન્! સ્મશયેિલ ક્ષેત્રને સ્પર્શે છે? કે અશયા વિનાના ક્ષેત્રને સ્પર્શે છે? હે ગૌતમ ! સ્પશએિલ ક્ષેત્રને સ્પર્શે છે, યાવતુ ચોક્કસ એ છએ દિશામાં સ્પર્શે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy