SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩, હસો-જ 313 કાય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પણ પ્રદેશ ન હોય. બાકી ધમસ્તિકાયની. પેઠે જાણવું. સર્વ ધમસ્તિકાયાદિ દ્રવ્યને “સ્વસ્થાનકે એક પણ પ્રદેશ નથી' એ પ્રમાણે કહેવું અને પરસ્થાન કે આદિના ત્રણ દ્રવ્યને અસંખ્યાતા’ કહેવા, અને પાછળત્રણદ્રવ્યને અનન્તા યાવતુ અદ્ધા સમય સુધી કહેવા યાવતુ કેટલા અદ્ધાસમય અવગાઢ હોય ? એકપણ નથી. હે ભગવન્! જ્યાં એક પૃથિવીકાયિક જીવ અવગાઢ હોય ત્યાં બીજા કેટલા પૃથિ વીકાયિકજીવો રહેલા હોય? અસંખ્યાતા કેટલા અકાકિજીવો અવગાઢ હોય? અસંખ્યાતા. કેટલા તેઉકાયિક જીવો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા વાયુકાયિકાજીવો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા વનસ્પતિકાયિકો રહેલા હોય? અનન્તા. હે ભગવન્! જ્યાં એક અપ્લાયિક રહેલો હોય ત્યાં કેટલા પૃથિવીકાયિકજીવો રહેલા હોય ? અસં ખ્યાતા.કેટલા અષ્કાયિકો રહેલા હોય ? અસંખ્યાતા પૃથિવીકાયિકની જેમ સર્વની સઘળી વક્તવ્યતા યાવતુ- વનસ્પતિકાય સુધી કહેવી. [૫૮૧)હે ભગવન ! આ ધમસ્તિકાય, અધમસ્તિકાય. આકાશસ્તિ કાયને વિશે કોઈપુરુષ બેસવાને ઉભો રહેવાને, નીચેબેસવાને અને આળોટવાને શક્તિમાનું હોય? હે ગૌતમ! આ અર્થ યથાર્થ નથી, પરંતુ તે સ્થાને તો અનન્તા જીવો અવગાઢ- છે. - હે ભગવન! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, તેને અંદર ને બહાર લીપી હોય ચારે તરફથી ઢાંકેલી હોય, અને તેનાં બારણાં પણ બન્ધ કર્યા હોય-ઈત્યાદિ રાજપ્રશ્નીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. યાવતું તે કૂટાગાર શબાના દ્વારના કમાડને બંધ કરી, તેની મધ્યભાગમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર દીવાઓ સળગાવે. ખરેખર તે દવાઓનું તેજ પરસ્પર મળીને પરસ્પર સ્પર્શ કરીને, યાવતુ એક બીજા સાથે એકરુપે થઈને રહે? હા, ભગવન્! રહે, હે ગૌતમ! કોઈ પણ પુરુષને તે દિવાઓ તેજમાં બેસવાને યાવતુ- શક્તિમાન થાય? હે ભગવન્! એ અર્થ યોગ્ય નથી, પણ અનન્તા. જીવો ત્યાં અવગાઢ-રહેલા હોય છે, તે માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે યાવતુ-અનન્તા જીન્ધો ત્યાં અવગાઢ હોય છે [૫૮૨]હે ભગવન્! લોકનો બરાબર સમ-ભાગ ક્યાં કહેલો છે? સર્વથી સંક્ષિપ્ત ભાગ ક્યાં કહેલો છે? હે ગૌતમ. આ રત્નપ્રભાપૃથિવીના ઉપર અને નીચેના ક્ષુદ્ર પ્રતરને વિશે હે ભગવન! ક્યાં વિગ્રહવિગ્રહિક-ભાગ છે? હે ગૌતમ! જ્યાં વિગ્રહકંડક-છે ત્યાં લોકમ્પશરીર વક્રતાયુક્ત છે. [583] ભગવન્! લોકનું સંસ્થાન કેવા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ | સુપ્રતિષ્ઠકઆકારે જેમ સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવ-સંસારનો અન્ત કરે છે -ત્યાં સુધી. હે ભગવન્! આ અધોલોક, તિયગલોક, અને ઉદ્ગલોમાં ક્યો લોક કોનાથી યાવ-વિશેષાધિક છે ? સર્વથી થોડો તિર્યશ્લોક છે, તેથી અસંખ્યાતગુણ ઉર્ધ્વલોક છે અને તેથી વિશેષાધિક અધોલોક છે. હે ભગવન્! તે એમજ છે, | શતક ૧૩ઉદેસી૪ની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ | ( ઉદેસી-૫) [૫૮૪હે ભગવન્! નૈરયિકો શું સચિતાહારી છે, અચિત્તાહારી છે કે મિશ્રાહારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy