SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉદેસો-૯ 297 સધી હોય. એ પ્રમાણે જેમ ભવસ્થિતિ કહી એમ સંસ્થિતિ પણ યાવદ્ર-ભાવદેવ સુધી જાણવી.પરતુધર્મદિવજઘન્ય એકસમયસુધી અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ સુધી હોય. હે ભગવનું ભવ્યદ્રવ્યદેવને પરસ્પર કેટલા કાળનુંઅંતર હોય?હે ગૌતમ! જઘ ન્ય અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યન્ત. હે ભગ વનુડનરદેવને પરસ્પર કેટલું અત્તર હોય-એ પ્રશ્ર હે ગૌતમ! જઘન્ય કાંઈક અધિક એક સાગરોપમ,અનેઉત્કૃષ્ટ અનંતકાલ-કાંઈકન્યૂનઅધપુલપરિવર્તપર્યન્તઅન્તર હોય. [પપ૯હે ભગવનું ! ધર્મદિવને પરસ્પર કેટલું અત્તર હોય. જઘન્યથી પલ્યો પમપૃથક્વ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરિવર્ત. હે ભગવનું ! દેવાધિદેવને પરસ્પર કેટલું અત્તર હોય હે ગૌતમ ! તેને અંતર નથી, ભાવેદેવના પરસ્પર અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ- વનસ્પતિ કાલ. હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો, નરદેવો, હાવભાવદેવોમાંના કોણ કોનાથી યાવદુઅતક,શૈવેયકતથાઅનુસરોપપાતિક-એઓમાંનાકોણ કોનાથી યાવવિશેષાધિક છે? હે ગૌતમ ! સર્વથી થોડા અનુત્તરૌપપાતિક ભાવકેવો છે, તે કરતાં ઉપરનાં રૈવેયેક ભાવદેવો સંખ્યાતગુણ છે, તે કરતાં મધ્યમ ગ્રેવેયેક ભાવ દેવો સંખ્યાતગુણ છે. તેથી અધસ્તન રૈવેયકભાવદેવ સંખ્યાતગુણ છે તે કરતાં અશ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણ છે, યાવદુ-આનતકલ્પના દેવો સંખ્યાતગુણ છે. એ પ્રમાણે જેમ જીવાભિગમ” સુત્રમાં ત્રિવિધ જીવના અધિકારમાં દેવપુરુષોનું અલ્પબદુત્વ કહ્યું છું તેમ અહીં પણ યાવ જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્ય ગુણ છે. ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, તે ભગવન્! તે એમજ છે. શતક ૧૨-ઉદેસા હનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદસો-૧૦) [પ૬૦]હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના હ્યા છે? હે ગૌતમ! આઠ પ્રકારના. - દ્રવ્યાત્મા, કષાયાત્મ, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા. અને વયત્મિા. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને શું કષાયાત્મા હોય અને કપાયાત્મા હોય તેને દ્રવ્યાત્મા હોય ? હે ગૌતમ જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા કદાચિત હોય કદાચિત ન હોય પણ જેને કષાયાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા હોય? એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્માનો. સંબન્ધ કહ્યો તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબધ કહેવો. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા હોય ? એ પ્રમાણે સર્વત્ર પ્રશ્ન કરવો. હે ગૌતમ ! જેને દ્રવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા અવશ્ય હોય, અને જેને ઉપયોગાત્મા હોય તેને પણ દ્રવ્યાત્મા અવશ્ય હોય, જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાનાત્મા ભજનાએ વિકલ્પ હોય, અને જેને જ્ઞા નાત્મા હોય તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય. જેને દ્રવ્યાત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય. જેને દર્શનાત્મા હોય તેને દ્રવ્યાત્મા પણ અવશ્ય હોય, જેને દ્રવ્યાત્મા હોય તેને ચારિત્રાત્મા ભજનાએ-વિકલ્પ હોય, અને જેને ચારિત્રાત્મા હોય તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય. એ પ્રમાણે વિયત્માની સાથે પણ સંબન્ધ કહેવો. હે ભગવનું છે જેને કષાયાત્મા હોય તેને શુ યોગાત્મા હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy