SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉદેસોજ 287 એમ (સાત પુદ્ગલપરિવર્ત સંબન્ધ) બહુવચનને આશ્રયી સાત દંડકો (નરયકાદિ ચોવિશ દંડકે કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા દારિકપુદ્ગલપરિવર્તી અતીત-થયા છે ? તેઓને એક પણ ઔદારિકપુદ્ગલપરિવર્ત થયો નથી. કેટલા ઔદારિક પગલપરિવર્તી થવાના છે? તેઓને એક પણ થવાનો નથી. હે ભગવન્! એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવત થયા છે ? ઉપર કહ્યા પ્રમાણે જાણવું, એ પ્રમાણે જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ યાવત્ સ્તનતકુમારપણામાં પણ જાણવું. હે ભગવન! એક એક નૈરયિકને પૃથિવીકાયપણામાં કેટલા ઔદા રિકપુદ્ગલપરિવત થયા છે? અનન્તા થયા છે. કેટલા થવાના છે? કોઈને થવાના છે અને કોઈને થવાના નથી, જેને થવાના નથી, જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ થવા ના છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતું મનુષ્યપણામાં પણ જાણવું. તથા વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં જેમ અસુ રકુમારપણામાં કહ્યું તેમ જાણવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા દારિકપુદગલપરિવર્તે અતીત થયા છે ? જેમ નૈરયિકની અસુરકુમારની પણ વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવદ્ર-વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે યાવતુ-સ્તુનિત કુમાર સુધી કહેવું એ પ્રમાણે પૃથિવીથી આરંભી યાવદુ વૈમાનિક સુધી બધાઓને એક ગમ-પાઠ કહેવો. હે ભગવન! એક એક નૈરયિકને નૈરકિપણામાં કેટલા વૈક્રિયપુદ્ગલ પરિવર્તે થયા છે? અનન્તા થયા છે. કેટલા થવાના છે? હે ગૌતમ! એકથી માંડીને વાવ, અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકા ણામાં પ્રશ્ન.-એક એક નૈરયિકને પૃથિવીકાયિકપણામાં વૈક્રિયપુદ્ગલપરિવર્તે કેટલા થયા છે? એક પણ નથી. કેટલા થવાના છે? એક પણ નથી. એ પ્રમાણે જે જીવોને વૈક્રિયશરીર છે તેઓને એકાદિ પુદ્ગલપરાવ જાણવા, અને જેઓને વૈક્રિયશરીર નથી તેઓને પૃથિવીકાયિકપણામાં કહ્યું છે તેમ કહેવું, યાવદ્ વૈમાનિકને વૈમાનિકપણા માં કહેવું. તૈજસપુદ્ગલ પરિવર્ત અને કામણપુલ પરિવર્તે સર્વત્ર એકથી માંડીને અનન્તસુધી કહેવા. મનપુદ્ગલપરિવતો બધા પંચેન્દ્રિયોમાં એકથી આરંભી (અનન્ત સુધી) કહેવા. તે તેમના પુદ્ગલપરિ- વત) વિકલેન્દ્રિયોમાં નથી. વચનપુદ્ગલપરિવત પણ એ પ્રમાણે જાણવા; પરનું વિશેષ એ છે કે તે એકેન્દ્રિય જીવોમાં નથી. શ્વાસોચ્છ વાસપુદ્ગલપરિવત બધા જીવોમાં એકથી માંડીને વધારે જાણવા યાવદ્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. હે ભગવનું ! નૈરયિકોને નરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તી વ્યતીત થયા છે? એક પણ વ્યતીત થયેલ નથી. કેટલા થવાના છે? એક પણ થવાનો નથી. એ પ્રમાણે યાવતુ ખનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપણામાં પ્રશ્ન. અનન્તા વ્યતીત થયા છે. કેટલા થવાના છે ? અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ-મનુષ્યપ ણામાં જાણવું. તથા જેમ નૈરયિકપણામાં કહ્યું છે તેમ વાનવન્તર, જ્યોતિષ્ક અને વૈમા નિકપણામાં કહેવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એ રીતે સાતે પુદ્ગલપરિવત કહેવા; જ્યાં હોય છે ત્યાં અતીત-થયેલા અને પુરસ્કૃત-ભાવી પણ અનન્તા કહવા, અને “જ્યાં નથી ત્યાં અતીત અને ભાવી બને. પણ નથી-' એમ કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy