SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ 276. ભગવાઈ-૧૧૧૨ાયરફ ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન! એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક અમને કહે છે, યાવત્ રૂપે કે, હે આર્ય! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, અને તે પછી સમયાધિક વાવ૬ ઉત્કૃષ્ટ સ્થિતિ અને પછી દેવો અને દેવલોક બુચ્છિન્ન થાય છે, તો તે એ પ્રમાણે કેવીરીતે હોય? હે આયો! 2ષભદ્રપુત્ર શ્રમણોપાસક જે તમને આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપે છે કે, દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને તે પછી સમયાધિક કરતાઈત્યાદિ કહેવું યાવતું ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે. એ વાત સાચી છે. હે આય! હું પણ એજ પ્રમાણે કહું છું, પાવતું પ્રરૂપું છું ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી એ વાત સાંભળી અને અવધારી શ્રમણ ભગવંત. મહાવીરને વાંદી, નમી જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે, આવીને ઋષિભદ્રપુત્રશ્રમણોપાસકનેવાંદીત થાનમીએ અર્થને સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ત્યાર બાદ તે શ્રમણોપાસકો તેને પ્રશ્નો પૂછે છે, અને પૂછી અર્થને ગ્રહણ કરે છે, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી જે દિશાથકી આવ્યા હતા, પાછા તેજ દિશા તરફ ગયા. પિર૭ હે ભગવનુ ! એ પ્રમાણે કહી ગૌતમે શ્રમણભગવંત મહાવીરને વાં, નમસ્કાર કરી કહ્યું- હે ભગવન! શ્રમણોપાસક ઋષિભદ્રપુત્ર આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા લઇ ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને લેવાને સમર્થ છે? હે ગૌતમ ! આ અર્થ યથાર્થ નથી, પણ હે ગૌતમ! શ્રમણોપાસક ઋષિભદ્રપુત્ર ઘણા શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો વડે તથા યથાયોગ્ય સ્વીકારેલ તપકર્મ વડે આત્માને ભાવિત કરતો ઘણા વરસો સુધી શ્રમણોપાસકાયયિને પાળી, માસિક સંલેખ નાવડે આત્માને સેવી, સાઠભક્તો નિરાહારપણે વીતાવી આલોચન અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપત થઈ મરણ સમયે કોલ કરી સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાન માં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે, તેમાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ હશે? હે ભગવન્! પછી તે ઋષિભદ્ર પુત્ર દેવઆયુષનો ક્ષય થયા પછી, ભવનો ક્ષય થયા પછી, અને સ્થિતિનો ક્ષય થયા બાદ થાવતું ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે, પાવતુ સર્વ દુખોનો અન્ત-નાશ કરશે. હે ભગવન્! તે એમજ છે, એમ કહી ભગવાન ગૌતમ યાવતું આત્માને ભાવિત કરતા વિહરે છે. પિ૨૮] ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભિકા નગર રીથી અને શંખવન નામે ચૈત્યથી નીકળી બહારના દેશોમાં વિચરે છે. તે કાલે-તે સમયે આલભિકા નામે નગરી હતી.ત્યાં શંખવન ચૈત્ય હતું. તે શંખવન ચૈત્યની થોડે દૂર પુદ્ ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે સ્વેદ, યજુર્વેદ અને યાવત્ બીજા બ્રાહ્મણ સંબધી નયોમાં કુશલ હતો. તે નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરવાપૂર્વક ઉંચા હાથ રાખીને વાવતું આતાપના લેતો હતો. ત્યાર બાદ તે પુદ્ગલ પરિવ્રાજકને પ્રકૃતિની સરલતાથી શિવ પરિવ્રાજકની પેઠે યાવદ્ વિર્ભાગજ્ઞાન ઉત્પન થયું, અને તે વિભંગજ્ઞાનવડે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવોની સ્થિતિ જાણે છે અને જુએ છે. પછી તે પુદ્ગલપરિવ્રાજકને આવા પ્રકારનો આ સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો-“મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી દસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy