SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 275 શતક-૧૧, ઉદેસો-૧૨ ને પ્રાપ્ત થઈ તે તેવા પ્રકારના વિરોની પાસે કેવલિએ કહેલો ધર્મ સાંભળ્યો, અને તે ધર્મ પણ તને ઈચ્છિત અને સ્વીકૃત થયો, તથા તેના ઉપર તને અભિરુચિ થઈ. હે સુદર્શન! હાલ તું જે કરે છે તે સારું કરે છે. તે માટે હે સુદર્શન! એમ કહેવાય છે કે એ પલ્યોપમ અને સાગરોપમનો ચય અને અપચય થાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી. અવધારી તે સુદર્શન શેઠને શુભ અધ્યવસાયવડે, શુભ પરિણાવમવડે અને વિશુદ્ધ વેશ્યાઓથી તદાવરણીય કમોનો ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા અને ગષણા કરતાં સંદિરૂપ પૂર્વ જન્મનું સ્મરણ ઉત્પન્ન થયું અને તેથી ભગવંતે કહેલા આ અર્થને સારી રીતે જાણે છે. ત્યાર બાદ તે સુદર્શન શેઠને શ્રમણ ભગવંત મહાવીરે પૂર્વભવ સંભારેલો હોવાથી બેવડી શ્રદ્ધા અને સંવેગ ઉત્પન્ન થયો, તેનાં લોચન આનંદાશ્રુથી પરિપૂર્ણ થયા, અને તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન! તમે જે કહો છો તે એજ પ્રમાણે છે-યાવતુ એમ કહી તે સુદર્શન શેઠ ઉત્તરપૂર્વ (ઈશાન દિશા તરફ ગયા. બાકી બધું ઋષભદત્તની પેઠે જાણવું, યાવતુ તે સુદર્શન શેઠ સર્વ દુઃખથી રહિત થયા, પરન્તુ વિશેષ એ છે કે તે પૂરાં ચૌદ પૂર્વે ભણે છે, અને સંપૂર્ણ બાર વરસ સુધી શ્રમણપયયને પાળે છે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું હે ભગવન્! તે એ પ્રમાણે છે. | [શતક: ૧૧-ઉદ્દેસઃ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂ] ] (ઉદ્દેશક 12-) [પર૫] તે કાલે-તે સમયે આલભિકા નામે નગરી હતી.શખવન ચૈત્ય હતું. તે આલબિકા નગરીમાં ઋષભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો-શ્રાવકો રહેતા હતા. તેઓ ધનિક વાવ કોઇથી પરાભવ ન પામે તેવા અને જીવા-જીવ અને તત્ત્વને જાણનારા હતા. ત્યાર બાદ બીજા કોઈ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ આવા પ્રકારનો વાતલિાપ થયો- હે આર્ય! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે? ત્યાર બાદ દેવસ્થિતિ સંબધે સત્ય હકીકત જાણનાર ઋષિભદ્રપુત્રે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું એ આર્ય! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની કહી છે, ત્યાર પછી એકસમય અધિક, બે સમય અધિક થાવ અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે એ પ્રમાણે કહેતાં, યાવતું એમ પ્રરૂપણા કરતા તે શ્રમણોપાસકો ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકના આ અર્થની શ્રદ્ધા કરતા નથી, પ્રતીતિ કરતા નથી અને રુચિ કરતા નથી. અર્થની શ્રદ્ધ, પ્રતીતિ અને રૂચિ નહિ કરતા તેઓ જે દિશાથી આવ્યા હતા તેજ દિશા તરફ પાછા ગયા. પિ૨૬] તે કાલે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ સમવસય યાવતુ પરિષદ તેમની ઉપાસના કરે છે. ત્યાર બાદ તે શ્રમણોપાસકો આ વાત સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થયા-ઇત્યાદિ તંગિક ઉદ્દેશકની પેઠે જાણવું, યાવતુ તેઓ પપાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા અત્યન્ત મોટી તે પર્ષદને ધર્મકથા કહીં, યાવતુ તેઓ આજ્ઞાના આરાધક થયા. તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થયા, અને પ્રયત્નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy