SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 256 ભગવઇ 11-1498 ભગવનું ! શું તે ઉત્પલના જીવો ત્રીવેદવાળા, પુરુષવેદવાળા કે નપુંસકદવાળા હોય ? હે ગૌતમ ! તે સ્ત્રીવેદવાળા નથી, પુરુષવેશવાળા નથી, પણ એક જીવ નપુંસકવેદવાળો કે અનેક નપુંસકદવાળા હોય. હે ભગવન્! શું તે ઉત્પલના જીવો સ્ત્રીવેદના બંધક, પરષ વેદના બંધક કે નપુંસક વેદના બંધક છે ? હે ગૌતમ ! ત્રણે વેદના બંધક છે. અહીં પણ છવ્વીશ ભાંગા કહેવા. હે ભગવન્! શું તે ઉત્પલ જીવો સંજ્ઞી છે કે અસંશી છે? હે ગૌતમ! તે સંજ્ઞી નથી, એક અસંજ્ઞી છે, અથવા અનેક અસંશિઓ છે. હે ભગવનું ! શું તે ઉત્પલજીવો ઈદ્રિયસહિત છે કે ઈદ્રિયરહિત છે? હે ગૌતમ ! તે ઇંદ્રિયરહિત નથી, પણ એક જીવ ઈદ્રિયવાળો છે, અથવા અનેક જીવો ઈદ્રિયવાળા છે. હે ભગવન્! તે ઉત્પલનો જીવ ઉત્પલપણે કાલથી ક્યાંસુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ હે ભગવન! તે ઉત્પલનો જીવ પૃથિવી કાયિકમાં આવે, અને ફરીથી પાછો ઉત્પલમાં આવે એ પ્રમાણે કેટલો કાળ સેવે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ સુધી. કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતમુહૂર્ત. અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ; એટલો કાલ સેવે - હે ભગવન્! તે ઉત્પલનો જીવ અકાયિકપણે ઉપજે અને ફરીથી તે પાછો ઉત્પલમાં આવે, એ પ્રમાણે કેટલો કાલ ગમનાગમન કરે? પૂર્વવતું.જેમ પૃથિવીના જીવ સંબધે કહ્યું તેમ યાવતું વાયુના જીવ સુધી કહેવું. હે ભગવન્! તે ઉત્પલનો જીવ વનસ્પતિમાં આવે, અને તે ફરીથી ઉત્પલમાં આવે એ પ્રમાણે કેટલો કાલ સેવે? હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ, અને ઉત્કૃષ્ટથી અનંત ભવ સુધી. કાલની અપેક્ષાએ જધન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનંત કાલ-વનસ્પતિકાલ પર્યા. હે ભગવન! તે ઉત્પલનો જીવ બેઈન્દ્રિયમાં આવે, અને તે ફરીથી ઉત્પલપણે ઉપજે, એ પ્રમાણે તે કેટલો કાળ સેવે? હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવો, તથા કાલની અપેક્ષાએ જધન્યથી બે અંતર્મુહૂર્ત. અને ઉત્કૃષ્ટથી સંખ્યાતો કાલ; એજ પ્રમાણે. ત્રીન્દ્રિયપણે, અને ચતુરિંદ્રિયજીવપણે પૂર્વવતુ કાલ જાણવો. હે ભગવનું ! ઉત્પલનો જીવ પંચેન્દ્રિયતિયોનિકપણે ઉપજે અને તે ફરીથી ઉત્પલપણે ઉપજે, એમ કેટલો કાલ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવો, કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ, એ પ્રમાણે ઉત્પલનો જીવ મનુષ્ય સાથે પણ, યાવતુ એટલો કાલ ગમનાગમન કરે. હે ભગવન્! તે ઉત્પલના જીવો કયા પાર્થનો આહાર કરે? હે ગૌતમ! તે જીવો દ્રવ્યથી અનન્તપ્રદેશિક દ્રવ્યોનો આહાર કરે, ઈત્યાદિ સર્વ આહારક ઉદ્દેશકમાં વનસ્પતિકાયિકોનો આહાર કહ્યો છે તે પ્રમાણે યાવતુ તેઓ સવત્મિના આહાર કરે છે, ત્યાં સુધી કહેવું, પરન્તુ એટલો વિશેષ છે કે તેઓ અવશ્ય છએ દિશીનો આહાર કરે છે, બાકી બધું પૂર્વવતુ. હે ભગવન્! તે ઉત્પલના જીવોની સ્થિતિ કેટલા કાલ ની છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી દસહજાર વર્ષ હે ભગવન ! તે ઉત્પલના જીવોને કેટલા. સમુદ્યાતો કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ. વેદના સમુદ્રઘાત, કષાયસમુઘાત અને મરણાંતિકસમુદ્દઘાત. હે ભગવન્! તે જીવો મરણાંતિક સમુદુધાત વડે સમવહ થઈને મરે, કે અસમવહતમરે? હે ગૌતમ! બંને રીતે હે ભગવન! તે ઉત્પલના જીવો મરીને તરત ક્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy