SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૧, ઉદેસો-૧ 255 કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા હોય, અથવા એક કષણલેશ્યાવાળો અને એક નીલલેશ્યાવાળો હોય. એ પ્રમાણે દ્વિકસંયોગ, ત્રિકસંયોગ અને ચતુષ્કસંયોગ વડે સર્વ મળીને એંશી ભાંગા કહેવા. હે ભગવન્શું તે (ઉત્પલના) જીવો સમ્યગદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, કે સમ્યગુમિથ્યાદ્રષ્ટિ છે? હે ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ નથી, પણ એક જીવ મિથ્યાવૃષ્ટિ છે, અથવા અનેક જીવો મિથ્યાદ્રષ્ટીઓ છે, હે ભગવન્! તે (ઉત્પલના) જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તે જ્ઞાની નથી, પણ એક અજ્ઞાની છે, અથવા અનેક અજ્ઞાનીઓ છે. હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો મનયોગી વચનયોગી કે કાયયોગી છે? હે ગૌતમ ! તેઓ મનયોગી નથી, વચનયોગી નથી, પણ એક કાયયોગી છે અથવા અનેક કાયયોગિઓ છે, હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે ? હે ગૌતમ ! એક જીવ સાકાર ઉપયોગવાળો છે, અથવા એક જીવ અનાકારઉપયોગવાળો છે-ઇત્યાદિ પૂર્વ પ્રમાણે આઠ ભાંગા કહેવા. હે ભગવન્! તે (ઉત્પલના જીવોના શરીરો કેટલા વર્ણવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને. કેટલા સ્પર્શવાળાં કહ્યાં છે? હે ગૌતમ ! પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે ગંધવાળા અને આઠ સ્પર્શવાળાં કહ્યાં છે. અને જીવો પોતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. હે ભગવનું ! શું તે (ઉત્પલના જીવો ઉછુવાસક છે, નિઃશ્વાસક છે કે અનુષ્કૃવાસનિઃશ્વાસ હોય છે ? હે ગૌતમ! કોઈ એક ઉચ્છુવાશક છે, કોઈ એક નિઃશ્વાસક છે, અને કોઈ એક અનુચ્છવાસનિઃશ્વાસક પણ છે. અથવા અનેક જીવો ઉચ્છવાસક છે, અનેક નિઃશ્વાસક છે, અને અનેક અનુચ્છવાસક-નિઃશ્વાસક પણ છે. અથવા એક ઉચ્છવાસક, અને એક નિશ્વાસક છે, અથવા એક ઉચ્છવાસક અને એક અનુચ્છવાસક નિઃશ્વાસક છે, અથવા એક નિઃશ્વાસક અને એક અનુચ્છુવાસક-નિઃશ્વાસક છે, અથવા એક ઉચ્છુવાસક, એક નિઃસ્કૃવાસક અને એક અનુચ્છવાસનિઃશ્વાસક છે. - એ પ્રમાણે આઠ ભાંગા કરવા. એ સર્વ મળીને છવ્વીશ ભાંગા થાય છે. ' હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ ! તેઓ સઘળા અનાહારક નથી, પણ એક આહારક છે, અથવા એક અનાહારક છે.ઇત્યાદિ આઠ ભાંગા અહીં કહેવા. હે ભગવન! શું તે ઉત્પલના જીવો સર્વવિરતિ છે, અવિરતિ છે કે વિરતાવિરત છે? હે ગૌતમ ! તે સર્વવિરતિ નથી, વિરતાવિરત દેશવિરત) નથી, પણ એક જીવ અવિરતિ છે, અથવા અનેક જીવો અવિરતિ છે. હે ભગવન! તે ઉત્પલના જીવો શું સક્રિય છે કે અક્રિય છે? હે ગૌતમ! તેઓ અક્રિય નથી પણ તેમાંનો એક જીવ સક્રિય છે અથવા અનેક જીવો સક્રિય છે, હે ભગવનું ! શું તે ઉત્પલના જીવો સાત પ્રકારે કર્મના બંધક છે કે આઠ પ્રકારે કર્મના બંધક છે ? હે ગૌતમ ! તે જીવો સાત પ્રકારે કર્મના બંધક છે, અથવા આઠ પ્રકારે બંધક છે. અહીં આઠ ભાંગા કહેવા. હે ભગવાન ! તે (ઉત્પલના જીવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા, ભયસંજ્ઞા ઉપયોગ વાળા, મૈથુનસંજ્ઞાઉપયોગવાળા, કે પરિગ્રહસંજ્ઞા ઉપયોગવાળા છે ? તેઓ આહાર સંજ્ઞાના ઉપયોગવાળા છે ઈત્યાદિ એંશી ભાંગા કહેવા. હે ભગવનું ! શુંતે ઉત્પલના જીવો ક્રોધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા કે લોભકષાયવાળા છે ? હે ગૌતમ ! અહીં પણ એંશી ભાંગા કહેવા. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy