SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦, ઉસો-૫ 251 ધરણારાજધાનીમાં ધરણ સિંહાસનમાં બેસી પોતાના પરિવાર દેવીઓ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ઈત્યાદિ? બાકી સર્વ પૂર્વવતુ જાણવું, હે ભગવન ! નાગકુમારના ઈન્દ્ર ધરણના લોકપાલ કાલવાલ નામે મહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આઈ ! ચાર, અશોકા, વિમલા, સુપ્રભા અને સુદર્શન. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે ચમરના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણે બાકીના ત્રણે લોકપાલોસંબધે જાણવું. હે ભગવન્! ભૂતાનેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ. કહી છે? હે આર્ય! છ પટ્ટરાણીઓ. -રૂપા, રૂપાશા, સુરૂપા, રૂપકાવતી, રૂપકાંતા અને રૂપપ્રભા, તેમાં એક એક દેવીનો પરિવાર ઈત્યાદિ સર્વ ધરણેન્દ્રની પેઠે જાણવું. હે ભગવન્! ભૂતાનેદ્રના લોકપાલ નાગવિત્તને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. -સુનંદ, સુભદ્રા, સુજાતા અને સુમના. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચમરેન્દ્રના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણે બાકી રહેલા ત્રણે લોકપાલોના સંબધે જાણવું. જે દક્ષિણ દિશાના ઇન્દ્રો છે તેઓને ધરણેન્દ્રની પેઠે જાણવું. અને તેઓના લોકપાલોને પણ ધરણ્દ્રના લોકપાલોની પેઠે જાણવું. તથા ઉત્તર દિશિના છદ્રોને ભૂતાનંદ્રની પેઠે જાણવું. તેઓના લોકપાલોને પણ ભૂતારેંદ્રના લોકપાલોની પેઠે જાણવું; પરન્તુ વિશેષ એ છે કે સર્વ ઇન્દ્રોની રાજધાનીઓ અને સિંહાસનો ઉદ્ધના સમાન નામે જાણવાં. અને તેઓનો પરિવાર તૃતીય શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમજવો. તથા બધા લોકપાલકોની રાજધાનીઓ અને સિંહાસનો પણ તેઓનાં સમાન નામે જાણવાં. અને તેઓનો પરિવાર અમરેન્દ્રના લોકપાલોના પરિવારની પેઠે જાણવો. હે ભગવન્! પિશાચના ઈન્દ્ર અને પિશાચના રાજા કાલને કેટલી પટ્ટરાણી કહી છે? હે આર્ય ! ચાર. -કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના. તેમાંની એક એક દેવીને એક એક હજાર દેવીનો પરિવાર છે, બાકી બધું ચમરના લોકપાલોની પેઠે જાણવું, પરન્તુ વિશેષ એ છે કે કાલા નામે રાજધાની અને કાલ નામે સિંહાસન જાણવું એ પ્રમાણ મહાકાલસંબંધે પણ જાણવું. હે ભગવન્! ભૂતના ઈન્દ્ર અને ભૂતના રાજા સૂરપને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આય! ચાર. -રૂપવતી, બહુરૂપા, સુરૂપા, ને સુભગા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે કાલેન્દ્રની પેઠે જાણવું. અને એ જ પ્રમાણે પ્રતિરૂપેન્દ્ર સંબંધે પણ જાણવું. હે ભગવન્! યક્ષના ઈન્દ્ર પૂર્ણભદ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. પૂણ, બહુપુત્રિકા, ઉત્તમાં અને તારકા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે કાલેન્દ્રની પેઠે જાણવું, અને એ પ્રમાણે માણિભદ્ર સંબધે પણ જાણવું. હે ભગવનું ! રાક્ષસના ઈન્દ્ર ભીમને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. -પવા, પદ્માવતી. કનકા અને રત્નપ્રભા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે સર્વ કાલેન્દ્રની પેઠે જાણવું. એ પ્રમાણે મહાભીમેન્દ્રસંબધે પણ જાણવું. ' હે ભગવન્! કિંનરેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર અવતંસા, કેતુમતી, રતિસેના અને રાતિપ્રિયા. તેઓનાં એક એકનો પરિવાર વગેરે પૂર્વે કહ્યા. પ્રમાણે જાણવું. એ પ્રમાણે કિંપુરષેત્ર સંબંધે પણ જાણવું. હે ભગવન્! સત્પષેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આઈ ! ચાર. -રોહિણી, નવમિકા, શ્રી અને પુષ્પવતી. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે મહાપુરુષેન્દ્ર સંબધે પણ જાણવું. હે ભગવન્! અતિકાયેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય ચાર. -ભુજંગા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy