SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 250 ભગવઈ-૧૧-૫૪૮૮ મંગલરૂપ દેવ દૈત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય છે, માટે તે જિનના અસ્થિઓના પ્રણિધાનમાં તે અસુરેંદ્ર પોતાની રાજધાનીમાં યાવતું સમર્થ નથી. તેથી હે આયએમ કહેવાય છે કે ચમર અસુરેંદ્ર યાવતું ચમચંચા રાજધાનીમાં યાવતું ભોગવવા સમર્થ નથી. પણ હું આર્યો ! તે અસુરેંદ્ર અસુરકુમારરાજા ચમર ચમચંચા નામે રાજધાનીમાં સુધમ સભામાં, ચમરનામે સિંહાસનમાં બેસી ચોસઠહજાર સામાનિકદેવો, ત્રાયસ્ત્રિ શક દેવો, અને બીજા ઘણા અસુરકુમારદેવો તથા દેવીઓ સાથે પરિવત થઈ મોટા અને નિરન્તર થતા નાટ્ય, ગીત, અને વાજિંત્રોના શબ્દો વડે કેવલ પરિવારની ઋદ્ધિથી ભોગો ભોગવવા સમર્થ છે, પરન્તુ મૈથુનનિમિત્તક ભોગો ભોગવવા સમર્થ નથી. હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર અને અસુરકુમારના રાજાચમરના લોકપાલ) સોમ મહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આય ! તેને ચાર પટ્ટરાણીઓ કહી છે, કનક, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા. ત્યાં એક એક દેવીને એક એક હજાર દેવીનો પરિવાર છે, તેઓમાંની એક એક દેવી એક એક હજાર હજાર દેવીના પરિવારને વિમુર્તી શકે છે, એ પ્રમાણે પૂવપર બધી મળીને ચાર હજાર દેવીઓ થાય છે. તે ત્રુટિક દેવીઓનો વગી) કહેવાય છે. [489] હે ભગવન્! અસુરકુમારના ઇદ્ર અને અસુરકુમારના રાજા ચમરના (લોકપાલી સોમમહારાજા પોતાની સોમારાજધાનીમાં સુધમસિભામાં સોમસિંહાસ નમાં બેસી તે ત્રુટિક દવીઓના વગ) સાથે ભોગવવા સમર્થ છે? ચમરના સંબધે કહ્યું છે તે સર્વ અહીં પણ જાણવું. પરંતુ તેનો પરીવાર સૂર્યાભની પેઠે જાણવો. હે ભગવન્! તે ચમરના (લોકપાલ) યમમહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હું આ ! પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ છે કે મારાજધાની છે. તથા એ પ્રમાણે વરણના સંબધે પણ જાણવું, પરન્તુ તેને વણા રાજધાની છે. તે પ્રમાણે વૈશ્રમણને પણ જાણવું. પરન્તુ તેને વૈશ્રમણા રાજધાની છે બાકી સર્વ પૂર્વ પ્રમાણે જાણવું, યાવત્ તેઓ મૈથુનનિમિત્તે ભોગ ભોગવવા સમર્થ નથી.” હે ભગવન્વૈરોચનેન્દ્ર બલિને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય ! પાંચ પદરાણીઓ કહી છે, શુભ, નિશુંભા, રંભા, નિરંભા અને મદન. તેમાંની એક એક દેવીને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર હોય છે-ઈત્યાદિ સર્વ ચમરેન્દ્રની પેઠે જણવું; પરન્તુ બલિ નામે ઈન્દ્રને બલિચંચારાજધાની છે. અને તેનો પરિવાર તૃતીય શતકના પ્રથમ દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો, હે ભગવનું ! વૈરોચનેદ્ર વૈરોચનરાજા બલિના (લોકપાલ) સોમ મહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર પટ્ટરાણીઓ કહી છે, -મેનકા, સુભદ્રા, વિજયા અને અશિની. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચમરના સોમ નામે લોકપાલની પેઠે જાણવું. એ પ્રમાણે વાવતુ વૈશ્રમણ સુધી જાણવું. હે ભગવન્! નાગકુમારના ઇન્દ્ર અને નાગકુમારના રાજા ધરણને કેટલી પટ્ટરા ણીઓ કહી છે? હે આર્ય તેને છ પટ્ટરાણીઓ કહી છે. ઈલા, શુક્ર, સતારા, સૌદામિની, ઈન્દારા અને ધનવિદ્યુત. તેમાં એક એક દેવીને છ છ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. હે ભગવન! તેમાંની એક એક દેવી અન્ય છ છ હજાર દેવીઓના પરિવારને વિમુર્તી શકે? તેઓ પૂર્વે કહ્યા પ્રમાણે પૂવપિર સર્વ મળીને છત્રીસ હજાર દેવીઓને વિદુર્વવા સમર્થ છે. એ પ્રમાણે તે ત્રુટિક દવાઓનો સમૂહ) કહ્યો. હે ભગવન્! શું ધરણેન્દ્ર પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy