SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 198 ભગવઈ - 8-9425 વૈક્રિયશરીઅયોગબન્ધ શું દેશબધ છે કે સર્વબબ્ધ છે? હે ગૌતમ ! તે દેશબંધ પણ છે અને સબન્ધ પણ છે. એ પ્રમાણે વાયુકાયિકએકેન્દ્રિયવૈક્રિય- યશરીપ્રયોગબન્ધ તથા રત્નપ્રભાથિવીનૈરયિકવૈક્રિયશરીપ્રયોગબન્ધ જાણવો. એ પ્રમાણે યાવદ્ અનુતરીપપાતિક દેવો સુધી જાણવું. હે ભગવન્! વૈક્રિય શરીઅયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સર્વબ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી બે સમય સુધી હોય. તથા દેશબંધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીશ. સાગરોપમ સુધી હોય. વાયુકાયિકએકેન્દ્રિય વૈક્રિયશરીપ્રયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. રત્નપ્રભાનૈરયિકવૈક્રિયશરીઅયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ઉણા દશહજાર વર્ષ સુધી હોય, તથા ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન એક સાગરોપમ સુધી હોય. એ પ્રમાણે યાવત્ નીચે સાતમી નરકપૃથ્વી સુધી જાણવું. પરન્તુ દેશબન્ધને વિષે જેની જે જઘન્ય સ્થિતિ હોય તેને એક સમય ખૂન કરવી, અને યાવત્ જેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે પણ સમય ન્યૂન કરવી. પગ્નેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વાયુકાયિકની પેઠે જાણવું. અસુરકુમાર, નાગકુમાર, વાવ અનુત્તરૌપપાતિક દેવોને નારકની પેઠે જાણવા; પરન્તુ જેની જે સ્થિતિ હોય તે કહેવી, યાવદ્ અનુત્તરૌપપાતિકોનો સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન એકત્રીશ સાગરોપમ સુધીનો હોય છે, તથા ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધીનો છે. હે ભગવન્! વૈક્રિયશરીરના પ્રયોગબન્ધનું અત્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી અનંતકાલ-અના ઉત્સર્પિણી, અવસર્પિણી, યાવદ્ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત સુધી હોય છે. વાયુકાયિકના વૈક્રિયશરીરમયોગબધના અન્તર સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે દેશબધનું અન્તર પણ જાણવું. તિર્યંચયોનિક પંચેન્દ્રિયના વૈક્રિયશરીરના પ્રયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી અન્તર્મુહૂર્તી અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ સુધી હોય છે. એ પ્રમાણે દેશબધનું અન્તર પણ જાણવું. એ રીતે મનુષ્યને પણ જાણવું હે ભગવન્! કોઈ જીવ વાયુકાવિકપણામાં હોય અને મિરીને વાયુકાય સિવાય બીજા જીવનમાં આવીને ઉપજે, અને તે પુનઃ વાયુકાયાપણામાં આવે તે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેના સર્વબન્ધનું અત્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ-વનસ્પતિ કાલ હોય.એ પ્રમાણે દેશબન્ધનું પણ અત્તર જાણવું હે ભગવન્! કોઈ જીવ રત્નપ્રભાપૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થાય અને પછીરત્નપ્રભાપૃથિવી સિવાયના જીવોમાં જાય, અને પુનઃ રત્નપ્રભા નરકમાં આવે રત્નપ્રભાનૈરયિકના વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ? સર્વબન્ધનું અન્તર જઘન્યથી અંતમૂહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબન્ધનું અન્તર જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ-વનસ્પતિકાલ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy