SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 1es ભગવઈ - 8-9424 ભગવન્! પૃથિવીકાયિક એકેન્દ્રિયદારિકશરીઅયોગબન્ધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યન્ત, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીસહજાર વર્ષ સુધી હોય છે. એ પ્રમાણે સર્વજીવોનો સર્વબન્ધ એક સમય છે, અને દેશબન્ધ જેઓને વૈક્રિયશરીર નથી તેઓને જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યન્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી જેટલી જેની આયુષ્ય સ્થિતિ છે, તેથી એક સમય ન્યૂન કરવો. જેઓને વૈક્રિય શરીર છે તેઓને દેશ બન્ધ જઘન્યથી એક સમય. અને ઉત્કૃષ્ટથી જેટલું જેનું આયુષ્ય છે તેટલામાંથી એક સમય ન્યૂન જાણવો, એ પ્રમાણે વાવ૬ મનુષ્યોનો દેશબધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી જાણવો. " હે ભગવન્! ઔદારિક શરીરના બન્ધનું અત્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પર્યન્ત છે, અને ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટી અને તેત્રીશ સાગરોપમ છે. અને દેશબધનું અત્તર જઘન્યથી એક સમય. અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય અધિક તેત્રીશ સાગરોપમ છે. એકેન્દ્રિયદારિકશરીરસંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબંધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પર્યન્ત, અને ઉત્કૃષ્ટથી સમયાધિક બાવીસ હજાર વર્ષ સુધી હોય છે. દેશબન્ધનું અત્તર જઘન્યથી એકસમય,અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધીનું છે. પૃથિવીકાયિકએકેન્દ્રિયના ઔદારિક શરીરસંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અત્તર જેમ એકેન્દ્રિયોને કહ્યું તેમ કહેવું અને દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધીનું હોય છે. જેમ પૃથિવીકાયિકને કહ્યું તેમ વાયુકાયિક સિવાય વાવતું ચઉરિન્દ્રિય સુધીના જીવોને જાણવું પણ ઉત્કૃષ્ટથી સર્વબન્ધનું અંતર જેટલી જેની. આયુષ્યસ્થિતિ હોય તેટલી એક સમય અધિક કરવી. વાયુકાયિકના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી સમયાધિક ત્રણ હજારવર્ષ સુધી જાણવું. તેઓના દેશબન્ધનું અત્તરજઘન્યથીએક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યન્ત જાણવું.પંચેન્દ્રિયતિર્યંચના ઔદારિકશરીરબન્ધના અત્તર સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓના સર્વબન્ધનું અત્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવપર્યા, અને ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટિ હોય છે. દેશબધનું અત્તર જેમ એકેન્દ્રિયોને કહ્યું છે તે પ્રકારે સર્વ પંચેન્દ્રિય તિર્યંચોને જાણવું. એ પ્રમાણે- મનુષ્યોને પણ સમગ્ર જાણવું, યાવતું ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છઠે. હે ભગવન્! કોઈ જીવ એકેન્દ્રિયપણામાં હોય, અને પછી તે એકેન્દ્રિય સિવાય બીજી કોઈ જાતિમાં જાય, અને પુનઃ એકેન્દ્રિયપણમાં આવે તો એકેન્દ્રિયદારિક શરીપ્રયોગબન્ધનું અત્તર કાલથી કેટલું હોય ? હે ગૌતમ !જઘન્યથી સર્વબન્ધનું અત્તર ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષે અધિક બેહજાર સાગરોપમ છે. તથા દેશબધનું અત્તર જઘન્યથી એક સમય અધિક ક્ષુલ્લક ભવ,અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બેહજાર સાગરોપમ છે. હે ભગવન્! કોઈ જીવ પૃથિવીકાયપણામાં હોય, ત્યાંથી પૃથિવીકાય સિવાયના બીજા જીવોમાં ઉત્પન્ન થાય અને પુનઃ તે પૃથિવીકાયમાં આવે તો પૃથિવીકાયિક એકેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધનું અન્તર કેટલું હોય ? હે ગૌતમ સર્વબન્ધનું અન્તર જઘન્યથી એ રીતે ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પર્યન્ત છે, અને ઉત્કૃષ્ટથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy