SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 156 ભગવાઈ - ૭-૩૭ર કર્યો અને મારી નાંખ્યા, તેઓની ચિન્તયુક્ત ધ્વજા અને પતાકાઓ પાડી નાંખી, અને જેઓના પ્રાણ મુશ્કેલીમાં છે એવા તેઓને ચારે દિશાએ નસાડી મૂક્યા. હે ભગવનું ! શા કારણથી એમ કહેવાય છે કે તે મહાશિલાકંટક સંગ્રામ છે? હે ગૌતમ ! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તે સંગ્રામમાં જે ઘોડા, હાથી, યોધા અને સારથીઓ તૃણ, કાષ્ટ, પાંદડા કે કાંકરાવતી હણાય ત્યારે તેઓ સઘળા એમ જાણે કે હું મહાશિલાથી હણાયો, તે હેતુથી હે ગૌતમ ! તે મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે. હે ભગવન્! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તેમાં કેટલા લાખ માણસો હણાયા ? હે ગૌતમ! ચોરાસી લાખ માણસો હણાયા. હે ભગવન્! નિઃશીલ, યાવતું પ્રત્યાખ્યાન અને પૌષધોપવા રહિત, રોષે ભરાયેલા, ગુસ્સે થયેલા, યુદ્ધમાં ઘાયલ થયેલા, અનુપશાંત એવા તે મનુષ્યો કાળસમયે મરણ પામીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ! ઘણે ભાગે તેઓ નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા છે. [373] અહંતે જાણ્યું છે, અહી પ્રત્યક્ષ કર્યું છે, અને વિશિષ્ટ પ્રકારે જાણ્યું છે કે રથમુશલ નામે સંગ્રામ છે. હે ભગવન્! જ્યારે રથમૂશલ નામે સંગ્રામ થતો હતો ત્યારે કોનો વિજય થયો. અને કોનો પરાજય થયો ? ગૌતમ ! વજી (ઇન્દ્ર) વિદેહપુત્ર (કૂણિક) અને અસુરેન્દ્ર અસુરકુમારરાજાચમર એઓ જીત્યા; નવમલ્લકિ અને નવા લેચ્છકિ રાજાઓ પરાજય પામ્યા. ત્યારબાદ તે કૂણિકરાજા રથમુશલ સંગ્રામ ઉપસ્થિત થએલો જાણી બાકીનું મહાશિલાકંટક સંગ્રામની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે અહીં ભૂતાનંદ નામે પ્રધાન હસ્તી છે, યાવતું તે રથમુસલસંગ્રામમાં ઉતર્યો. તેની આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર છે. એ પ્રમાણે પૂર્વની પેઠે યાવતુ રહે છે. પાછળ અસુરેન્દ્ર અસુરકુમારનો રાજા ચમર એક મોટું લોઢાનું કિઠીનના જેવું કવચ વિક્ર્વીને રહેલો છે. એ પ્રમાણે ખરેખર ત્રણ ઇન્દ્રો યુદ્ધ કરે છે. જેમકે-દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર. હવે એ કૂણિક એક હાથીવડે પણ શત્રુઓનો પરાજય કરવા સમર્થ છે. યાવત્ ચારે દિશાએ નસાડી મુક્યા. હે ભગવન્! શા કારણથી તે રથમુશલ સંગ્રામ કહેવાય છે? હે ગૌતમ ! જ્યારે રથમુશલ સંગ્રામ થતો હતો ત્યારે અશ્વરહિત, સારથિરહિત, યોદ્ધાઓ રહિત અને મુશલસહિત એક રથ ઘણા જનસંહારને, જનવધને, જનપ્રમર્દને, જનપ્રલયને, તેમ લોહિના કીચડને કરતો ચારે તરફ ચારે બાજુએ દોડે છે, તે કારણથી યાવતુ તે રથમુશલસંગ્રામ કહેવાય છે. હે ભગવનું ! જ્યારે રથમુશલ સંગ્રામ થતો હતો ત્યારે કેટલાલાખ માણસો હણાયા ? હે ગૌતમ ! તેમાં દશહજાર મનુષ્યો એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા, એક દેવલોકમાં ઉત્પન્ન થયો, એક ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થયો, અને બાકીના મનુષ્યો ઘણેભાગે નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા. 3i74] હે ભગવનું ! દેવના ઈન્દ્ર રાજા શકે અને અસુરના ઈન્દ્ર અસુરકુમારના રાજા ચમરે કૂણિક રાજાને કેમ સહાય આપી? હે ગૌતમ! દેવનો ઈન્દ્ર દેવનો રાજા શુક્ર કૂિણિકરાજાનો-પૂર્વભવસંબન્ધી મિત્ર હતો, અને અસુરેન્દ્ર અસુરકુમારનો રાજારામર કૃણિકરાજાનો -તાપસની અવસ્થામાં મિત્ર હતો, તેથી. [35] હે ભગવન્ ! ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપણા. કરે છે. કે-અનેક પ્રકારના સંગ્રામોમાંના કોઈપણ સંગ્રામમાં સામા હણાયેલા ઘાયલ થયેલા ઘણા મનુષ્યો મરણ સમયે કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy