SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭, ઉદેસો-૯ 157 છે, હે ભગવન! એ પ્રમાણે કેમ હોય ? હે ગૌતમ ! તે બહુ મનુષ્યો પરસ્પર જે એ પ્રમાણે કહે છે કે-તેઓએ એ પ્રમાણે મિથ્યા કહ્યું છે. હે ગૌતમ! હું તો આ પ્રમાણે કહું છું, યાવતુ પ્રરૂપણા કરું છું. હે ગૌતમ ! તે આ પ્રમાણે તે કાળે અને તે સમયે વૈશાલી નામે નગરી હતી. તે વૈશાલી નગરીમાં વરણનામે નાગનો પૌત્ર રહેતો હતો, તે ધનવાનું યાવતુ જેનો, પરાભવ ન થઈ શકે એવો હતો. તે શ્રમણોનો ઉપાસક, જીવાજીવ તત્ત્વને જાણનાર, યાવતુ આિહારદિવડે પ્રતિલાભતો સત્કાર કરતો-નિરન્તર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાવડે આત્માને વાસિત કરતો વિચરે છે. ત્યારબાદ જ્યારે તે નાગના પૌત્ર વરુણને રાજાના અભિયોગથી ગણના બલના અભિયોગથી રથમુશલસંગ્રામમાં જવા માટે આજ્ઞા થઈ ત્યારે ષષ્ઠભક્ત કરનાર તે (વરૂણ) અષ્ટમભક્તને વધારે છે, અને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને તેણે એ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! ચારઘંટાવાળા અશ્વરથને સામગ્રી સહિત હાજર કરો; અને ઘોડા, હાથી, રથ અને પ્રવર- યાવતુ તૈયાર કરીને એ મારી આજ્ઞા પાછી આપો. ત્યારપછી તે કૌટુમ્બિક પુરુષો યાવતું તેનો સ્વીકાર કરીને છત્રસહિત, ધ્વજા સહિત રથને શીધ્ર હાજર કરે છે, ઘોડા, હાથી, રથ તૈયાર કરી જ્યાં નાગનો પૌત્ર વરણ છે ત્યાં આવી] આજ્ઞા પાછી આવે છે. ત્યારપછી તે નાગનો પૌત્ર વરુણ જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, આવીને કૂકિની પેઠે વાવતું કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરીને સવલિંકારથી વિભૂષિત થયેલો કવચને પહેરી બાંધી, કોરટની માળાયુક્ત ધારણ કરતા છત્રવડે સહિત અનેક ગણનાયકો યાવતું દૂત અને સંધિપાલની સાથે પરિવરેલો સ્નાનગૃહથી બહાર નીકળે છે. બહારની ઉપસ્થાનશાળા છે, જ્યાં ચારઘંટાવાળો અશ્વરથ છે, ત્યાં આવીને ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચડે છે, ચડીને ઘોડા, હાથી, રથ- અને પ્રવર યોદ્ધાવાળી સેના સાથે મહાનુ સુભટોના સમૂહવડે યાવત્ વિટાયેલો જ્યાં રથમુસલ સંગ્રામ છે ત્યાં આવે છે, અને ત્યાં આવી તે રથમસલ સંગ્રામમાં ઉતર્યો. જ્યારે નાગનો પૌત્ર વરુણ રથમુસલ સંગ્રામમાં ઉતર્યો. ત્યારે તે આવા પ્રકારના આ આભિગ્રહને ગ્રહણ કરે છે- “રથમુશલ સંગ્રામમાં યુદ્ધ કરતા મને જે પહેલા મારે તેને મારવો કહ્યું, બીજાને મારવા કહ્યું નહિ.’ આવા પ્રકારના આ અભિગ્રહને ધારણ કરી તે રથમુશલ સંગ્રામ કરે છે. ત્યારબાદ રથમુસલ સંગ્રામ કરતા નાગના પૌત્ર વરુણના રથની સામે તેના જેવો સમાનવયવળો, સમાનત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીઘ આવ્યો. ત્યારબાદ તે પુરુષે નાગના પૌત્ર વરુણને એમ કહ્યું કે હે નાગના પૌત્ર વરુણ ! તું મને પ્રહાર કરે.' ત્યારે તે નાગના પૌત્ર વરણે તે પુરુષને એમ કહ્યું કે હે દેવાનુપ્રિય ! જ્યાં સુધી હું પ્રથમ ન હણાઉં ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પે, માટે પહેલાં તુંજ પ્રહાર કર.' જ્યારે તે નાગના પૌત્ર વરુણે તે પુરુષને એમ કહ્યું ત્યારે તે કુપિત થએલો ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે, ધનુષને ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે છે, બાણને ગ્રહણ કરી અમુક સ્થાને રહીને તેને કાનપર્યંત લાંબું ખેંચે છે. લાંબું ખેંચીને તે નાગના પૌત્ર વરણને સખ્ત પ્રહાર કરે છે. ત્યારબાદ તે પુરુષથી સખ્ત ઘવાયેલ નાગનો પૌત્ર વરુણ કુપિત થઈ થાવત્ ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે, બાણને ગ્રહણ કરે છે, તેને કાનપર્યત લાંબું ખેંચે છે, જે પુરુષને એક ધાએ પત્થરના ટુકડા થાય તેમ જીવિતથી જૂદો કરે છે. હવે તે પુરુષથી સખ્ત ઘવાયેલ તે નાગનો પૌત્ર વરુણ શક્તિરહિત, નિર્બલવીર્યરહિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy