SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 146 ભગવઈ - ૭-ર૩૪૩ અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. એ પ્રમાણે ત્રણે (જીવ, પંચેન્દ્રિયતિયચ અને મનુષ્યના) અલબહુ - પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા, પરંતુ સર્વથી થોડા પંચેન્દ્રિય તિર્યંચો દેશમૂલગપ્રત્યાખ્યાની છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યગણ છે. હે ભગવદ્ ! શું જીવો સર્વોત્તગુણપ્રત્યાખ્યાની છે. દેશોત્તરગુણપ્રત્યાખ્યાની છે, કે અપ્રત્યાખ્યાની છે? હે ગૌતમ ! જીવો ત્રણે પ્રકારના છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના જીવો અપ્રત્યાખ્યાની છે. હે ભગવન્! સર્વોત્તરગુણ- પ્રત્યાખ્યાની, દેશોત્તરગુણપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ત્રણે અલ્પબધુ કહ્યા પ્રમાણે યાવત મનુષ્યો જાણવા, હે ભગવન્! શું જીવો સંયત છે, અસંયત છે કે સંયતાસંયત દશ સંવત) છે ? હે ગૌતમ ! જીવો સંયત પણ છે, અસંયત પણ છે, અને સંયતાસંયત પણ છે-એ ત્રણે પ્રકારના છે. એ પ્રમાણે જેમ પન્નવણામે કહ્યું છે તે પ્રમાણે યાવતુ વૈમાનિકોને વિશે કહેવું, તેમ અલ્પબહુત્વ પણ ત્રણેનું કહેવું. હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે, પ્રત્યાખ્યાની છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની ? હે ગૌતમ ! પ્રત્યાખ્યાની વિગેરે ત્રણે પ્રકારના છે. એ પ્રમાણે મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિયતિર્યંચયોનિ કો પ્રથમભંગરહિત છે. બાકીના વૈમાનિક સુધીના સર્વ જીવો અપ્રત્યાખ્યાની છે. હે ભગવન્! પ્રત્યાખ્યાની વિગેરે જીવોમાં યાવતું કોણ વિશેષાધિક છે ? હે ગૌતમ ! પ્રત્યાખ્યાની જીવો સૌથી થોડા છે, પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગણ છે. દેશપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યચો સર્વથી થોડા છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગુણ છે. પ્રત્યાખ્યાની મનુષ્યો સર્વથી થોડા છે દેશપ્રત્યાખ્યાની સંખ્યાતગુણ છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. [344] હે ભગવન્! શું જીવો શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ ! જીવો કથંચિતુ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? દ્રવ્યની અપેક્ષાએ જીવો શાશ્વત છે, અને પયયની અપેક્ષાએ જીવો અશાશ્વત છે, તે હેતુથી એમ કહું છું હે ભગવન! શું નારકો શાશ્વત છે કે અશાશ્વત છે? જેમ જીવો કહ્યા તેમ નારકો પણ જાણવા. એ પ્રમાણે યાવતું વૈમાનિકો પણ જાણવા, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ યાવતુ વિચરે છે. | શતક: ૭-ઉદેસાઃ ૨નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકa:-) [345 હે ભગવનું ! વનસ્પતિકાયિકો કયા કાલે સૌથી અલ્પઆહારવાળા હોય છે અને કયા કાલે સૌથી મહાઆહારવાળા હોય છે ? હે ગૌતમ !-શ્રાવણ ભાદરવા માસમાં, અને આસો કારતકમાસમાં વનસ્પતિકાયિક જીવોસૌથી મહાઆહારવાળા હોય છે, ત્યારપછી શરઋતુમાં, ત્યારપછી હેમંતઋતુમાં, ત્યારપછી વસંતઋતુમાં અને ત્યાર બાદ ગ્રીષ્મ ઋતુમાં અલ્પ આહારવાળા હોય છે. ગ્રીષ્મઋતુમાં સર્વથી, અલ્પઆહાર વાળા હોય છે. હે ભગવન્! જો ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિકાયિક જીવો સૌથી અલ્પઆહારવાળા હોય તો તે ઘણા વનસ્પતિ- કાયિકો ગ્રીષ્મમાં પાંદડાવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલાછમ દીપતા, અને વનની શોભાવડે અત્યંત સુશોભિત કેમ હોય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy