SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - - 140 ભગવઈ- /10/321 પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી દંડક કહેવો. હે ભગવન્! જીવે પ્રાણધારણ કરે તે જીવ કહેવાય? કે જીવ હોય તે પ્રાણધારણ કરે? હે ગૌતમ ! પ્રાણધારણ તે નિયમે જીવ કહેવાય અને જે જીવ હોય તે પ્રાણધારણ કરે પણ ખરો અને ન પણ કરે. હે ભગવન! પ્રાણધારણ કરે તે નૈરયિક કહેવાય? કે નૈરયિક હોય તે પ્રાણધારણ કરે ? હે ગૌતમ ! નરયિક તો નિયમે પ્રાણ ધારણ કરે અને પ્રાણ ધારણ કરનાર તો નૈરયિક પણ હોય અને અનેરયિક પણ હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિક સુધી દંડક કહેવો. હે ભગવનું ! ભવસિદ્ધિક નૈરયિક હોય ? કે નૈરયિક ભવસિદ્ધિક હોય ? હે ગૌતમ ! ભવસિદ્ધિક નરયિક પણ હોય અને અનૈરયિક પણ હોય તથા નૈરયિક ભવસિદ્ધિક પણ હોય અને અભવસિદ્ધિક પણ હોય. એ પ્રમાણે વાવતું વૈમાનિક સુધી દંડક કહેવો. [32] હે ભગવન્! અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે યાવતું પ્રરૂપે છે કે, એ પ્રમાણે નિશ્ચિત છે કે, સર્વ, પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો, એકાંત દુ:ખરૂપ વેદનાને વેદે છે, તે ભગવન્! તે એવી રીતે કેમ હોય ? હે ગૌતમ! તે અન્યતીર્થિકો જે કાંઈ યાવતુ કહે છે તે મિથ્યા કહે છે, વળી, હું આ પ્રમાણે કહું છું યાવતું પ્રરૂપું છું કે, કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે અને કદાચિતુ સુખને વેદે છે, તથા કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એકાંત સુખરૂપ વેદનાને વેદે છે અને કદાચિત દુ:ખને વેદ છે, વળી, કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો વિવિધ પ્રકારે વેદનાને વેદે છે એટલે છે કદાચિતું સુખને અને કદાચિત્ દુઃખને વેદે છે. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! નિરયિકો એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત સુખને વેદે છે, ભવનપતિઓ, વાનવંતરો, જ્યોતિષ્કો અને વૈમાનિકો એકાંત સુખરૂ૫ વેદનાને વેદ છે અને કદાચિત દુઃખને વેદે છે. પૃથિવીકાયથી માંડી યાવતું મનુષ્યો સુધીના જીવો કદાચિત સુખને અને કદાચિતુ દુઃખને વેદે છે, તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. [33] હે ભગવન્! નૈરયિકો આત્મ દ્વારા ગ્રહણ કરી જે પગલોને આહરે છે તે શું આત્મશરીરક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરેછે? કે અનંતરક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરેછે?કે પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી. આહિરેછે ? હે ગૌતમ : આત્મશરીર ક્ષેત્રાવગાઢ પ્રગલોને આત્મદ્વારા ગ્રહણ કરીઆહરે છે અને અનંતરક્ષેત્રાવગાઢ પગલોને આત્મ દ્વારા ગ્રહણ કરી આહરતા નથી, તેમજ પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરતા નથી. જેમ નરયિકોનું કહ્યું યાવત્ વૈમાનિક સુધી દંડક કહેવો. [324-32] હે ભગવન્! કેવલિઓ ઇંદ્રિયદ્વારા જાણે? જૂએ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે વાવતુ કેવલિનું દર્શન નિવૃત્ત છે, તે હેતુથી એમછે. જીવોનું સુખ દુઃખ, જીવ, જીવનું પ્રાણધારણ. તેમજ ભવ્યો, એકાંત દુઃખવેદના, આત્મદ્વારા પૂગલોનું ગ્રહણ અને કેવલી (આટલા વિષય સંબંધે આ દશમ ઉદ્દેશામાં વિચાર કર્યો છે. હું ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ભાવવિહરે છે. શતક દઉદ્દેસા: ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | શતક:૬-ગુર્જરછાયાપૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy