SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-દ, ઉદેસો-૫ 133 નો સાત દેવ અને સાત હજાર દેવ પરિવાર કહ્યો છે, અને બાકીના દેવોનો નવ દેવ અને નવસો દેવ પરિવાર કહ્યો છે. પ્રથમ યુગલમાં સાતસોનો પરિવાર છે. બીજામાં ચૌદહજારનો પરિવાર છે. ત્રીજામાં સાતહજારનો પરિવાર છે અને બાકીનામાં નવસોનો પરિવાર છે. હે ભગવનું ! લોકાંતિક વિમાનો ક્યાં પ્રતિષ્ઠિત છે એટલે લોકાંતિક વિમાનો કોને આધારે છે ? હે ગૌતમાં લોકાંતિક વિમાનો વાયુપ્રતિષ્ઠિત છે, એ પ્રમાણે વિમાનનું પ્રતિષ્ઠાન, વિમાનોનું બાહુલ્ય, વિમાનોની ઉંચાઈ અને વિમાનોનું સંસ્થાન જેમ “જીવાભિગમ' સૂત્રમાં દેવ ઉદ્દેશકમાં બ્રહ્મલોકની વક્તવ્યતા કહી છે તેમ અહિં જાણવું યાવતુ હા, ગૌતમ ! અહિં અનંતવાર પૂર્વે જીવો ઉત્પન્ન થયા છે, પણ લોકાંતિક વિમાનોમાં દેવપણે અનંતવાર નથી ઉત્પન્ન થયા. હે ભગવનું ! લોકાંતિક વિમાનોમાં કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! લોકાંતિક વિમાનોમાં આઠ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકાંત કહ્યું છે? હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનને અંતરે લોકાંતિક વિમાનોથી લોકાંત કહ્યો છે. યાવતું વિહરે છે. | શતકઃ ૬-ઉદેસા:પનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (- ઉદ્દેશક :- ) [30]] હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે? હે ગૌતમ! સાત પૃથ્વીઓ કહી છે, તે જેમકે, રત્નપ્રભા યાવતુ તમતમારપ્રભા, રત્નપ્રભા વગેરે પૃથ્વીથી શરુ કરી યાવતુ અધસપ્તમી પૃથ્વી સુધીના જે પૃથ્વીના જેટલા આવાસો હોય યાવતું તેટલા કહેવા યાવતું- હે ભગવનું ! અનુત્તરવિમાનો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનો કહ્યાં છે. તે જેમકે, વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ. [301 હે ભગવન્! જે જીવ મારણાંતિક સમુઘાતથી સમવહત થયો અને સમવહત થઈ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશલાખ નિરયાવાસમાંના કોઈપણ એક નિરયાવાસમાં નૈરકિપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ ત્યાં જઈને જે આહાર કરે તે આહારને પરિણભાવે અને શરીરને બાંધે ? હે ગૌતમ! કેટલાક જીવ ત્યાં જઈનેજ આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે અને કેટલાક જીવ ત્યાંથી પાછા વળે છે, પાછા વળીને અહિં આવે છે અને અહિં આવી ફરીવાર મારણાંતિક સમુદ્યોતવડે સમવહત થાય છે, સમવહત થઇ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશલાખ નિરયાવાસમાંના કોઈપણ એક નિરયાવાસમાં નરયિકપણે ઉત્પન્ન થાય છે અને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવેછે, શરીરને બાંધે છે, એ પ્રમાણે યાવત્ અધસપ્તમીપૃથ્વી સુધી જાણવું. હે ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત થયેલો જે જીવ અસુરકુમારોના ચોસઠલાખ આવાસોમાંના કોઈપણ એક અસુરકુમારવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ હે ભગવન્! ત્યાં જઈને જ આહાર કરે? તે આહારને પરિણાવે? અને શરીરને બાંધે ? જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ અસુરકુમારો માટે યાવતુ સ્વનિતકુમારો સુધી કહેવું. હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતવડે સમવહત થઇને જે જીવ અસંખ્યય લાખ પૃથિવીકાયના આવાસમાંના અન્યતર પૃથિવીકાયના આવાસમાં પૃથિવીકાયિકપણે ઉત્પન થવાને યોગ્ય છે તે જીવ મંદર પર્વતની પૂર્વે કેટલું જાય અને કેટલું પ્રાપ્ત કરે ? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy