SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 132 ભગવઈ- 6-5/294 ભગવન્!કૃષ્ણરાજિઓમાં ગામો વગેરે છે?હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી હે ભગવન! કૃષ્ણરાજિઓમાં મોટા મેઘો સંખેદે છે, સમૂચ્છે છે અને વરસાદ વરસે છે? હે ગૌતમ ! હા, અર્થાત્ એ પ્રમાણે પ્રશ્નમાં કહ્યા પ્રમાણે થાય છે. હે ભગવન! શું તેને દેવ, અસુર કે નાગ કરે છે? હે ગૌતમ ! દેવ કરે છે, અસુર કે નાગ નથી કરતો. હે ભગવન્! કારાજિઓમાં બાદર સ્વનિત શબ્દો છે ? હે ગૌતમ ! જેમ મોટા મેઘો કહ્યા તેમ જાણવું. હે ભગવન્! કૃષ્ણરાજિઓમાં બાદર અપ્લાય, બાદર અગ્નિકાય અને બાદરવનસ્પતિકાય છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી અને આ નિષેધ, વિગ્રહગતિ સમાપન જીવ સિવાય બીજા જીવો માટે જાણવો. હે ભગવન્! કૃષ્ણરાજિઓમાં ચંદ્ર, સૂર્ય ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! કૃષ્ણરાજિઓમાં ચંદ્રની કાંતિ છે? સૂર્યની કાંતિ છે ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! કૃષ્ણ રાજિઓ વર્ણવડે કેવી કહી છે? હે ગૌતમ ! કાળી યાવતુ તમસ્કાયની પેઠે ભયંકર હોવાથી દેવપણ એને જલદી ન ઉલ્લંઘી જાય.હે ભગવન! કૃષ્ણરાજિનાં કેટલાં નામધેય કહ્યાં છે ? હે ગૌતમ ! કુણરાજિનાં આઠ નામ કહ્યાં છે, કૃષ્ણરાજ, મેઘરાજિ, મઘા, માઘવતી, વાતપરિઘા, વાતપરિક્ષોભ, દેવપરિઘા અને દેવપરિક્ષોભા. હે ભગવન્! શું કષ્ણરાજિ પૃથ્વીનો પરિણામ છે? જલનો પરિણામ છે? જીવનો પરિણામ છે ? કે પુદ્ગલનો પરિણામ છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજ પૃથ્વીનો પરિણામ છે પણ જલનો પરિણામ નથી. તથા જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલનો પણ પરિણામ છે. હે ભગવન્! કૃષ્ણરાજિમાં સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો પૂર્વે ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનેકવાર અનંતવાર ઉત્પન્ન થયા છે, પણ બાદર અપકપણે, બાદરઅગ્નિકાયપણે, અનેબાદર વનસ્પતિકાયિકપણે ઉત્પન્ન થયા નથી. ર૯૫ એ. આઠ કણરાજિઓના આઠ અવકાશાન્તરમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યાછે.અર્થી, અર્ચિમલિી, વૈરોચન, પ્રભંકર, ચન્દ્રભ, સૂર્યભ, શુકાભ, આઠમું સુપ્રતિષ્ઠાભ અને વચમાં રિટાભ વિમાન છે. હે ભગવન્! અર્શી વિમાન ક્યાં કહ્યું છે? હે ગૌતમ ! ઉત્તરની પૂર્વની વચ્ચે અર્શી વિમાન કહ્યું છે. હે ભગવન્! અર્ચિમાલી વિમાન ક્યાં કહ્યું છે? હે ગૌતમ! પૂર્વમાં અમિલી વિમાન કહ્યું છે? એ પ્રમાણે ક્રમથી બધાં વિમાનો માટે જાણવું યાવતુ હે ભગવન્! રિવિમાન ક્યાં કહ્યું છે? હે ગૌતમ ! બહુમધ્યભાગમાં રિષ્ટવિમાન કહ્યું છે, એ આઠે લોકાંતિક વિમાનોમાં આઠ જાતના લોકાંતિક દેવો રહે છે, તે જેમ કે, સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, અને આગ્નેય તથા વચમાં રિષ્ટદેવ છે. 297) હે ભગવન્! સારસ્વત દેવો ક્યાં છે? હે ગૌતમ ! સારસ્વત દેવો અર્થી વિમાનમાં રહે છે. હે ભગવન્આદિત્ય દેવો ક્યાં રહે છે? હે ગૌતમ ! આદિત્ય દેવો અર્ચિમાલિ વિમાનમાં રહે છે. એ પ્રમાણે યથાનુપૂર્વએ યાવત્ રિટાવિમાન સુધી જાણવું. હે ભગવન્! રિષ્ટ દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! રિષ્ટ દેવો રિસ્ટ વિમાનમાં રહે છે. હે ભગવન ! સારસ્વત અને આદિત્ય. એ બે દેવોનો કેટલા દેવો અને કેટલા દેવના સેંકડાઓ પરિવાર કહ્યા છે? હે ગૌતમ ! સાત દેવો અને દેવના સાત સેંકડાઓ એટલે સાતસો દેવો, સારસ્વત અને આદિત્ય દેવોનો પરિવાર છે, વહિન અને વરુણ એ બે દેવોનો ચૌદ દેવ અને ચૌદહજાર દેવ પરિવાર કહ્યો છે, ગદતોય અને તુષિત એ બે દેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy