SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬, ઉદેસી-૫ เงิน કહ્યો છે? હે ગૌતમ ! વર્ણવડે તમસ્કાય કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રુવાટા ઉભા કરનાર, ભીમ, ઉત્કંપનો હેતુ અને પરમકૃષ્ણ કહ્યો છે, અને તે તમસ્કાયને જોઈને, જોઇને, જોતાં વાર કેટલાક દેવ પણ ક્ષોભ પામે. અને કદાચ કોઈ દેવ તમસ્કાયમાં પ્રવેશ કરે તો પછી શરીરની ત્વરાથી મનની ત્વરાથી તે તમસ્કાયને ઉલ્લંઘી જાય. હે ભગવન્! તમસ્કાયનાં નામો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! તમસ્કાયનાં તેર નામો કહ્યાં છે, તે જેમકે, તમ, તમસ્કાય, અંધકાર, માંધકાર, લોકાંધકાર, લોકતમિસ્ત્ર, દેવાંધકાર, દેવતમિસ્ત્ર, દેવારણ્ય. દેવભૂહ, દેવપરિઘ, દેવપ્રતિક્ષોભ અને અરુણોદકસમુદ્ર. હે ભગવનું ! તમસ્કાય શું પૃથિવીનો પરિણામ છે ? પાણીનો પરિણામ છે ? જીવનો પરિણામ છે કે પુદ્ગલનો પરિણામ છે. હે ગૌતમ ! તમસ્કાય પૃથિવીનો પરિણામ નથી, પાણીનો પણ પરિણામ છે, જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલનો પરિણામ છે. હે ભગવનું ! તમસ્કાયમો સર્વ પ્રાણ, ભૂતો, જીવો અને સત્ત્વો પૃથિવીકાયપણે યાવતુ ત્રસફાયિકપણે ઉત્પન્નપૂર્વ-કહેલાં ઉપજ્યાં છે ? હે ગૌતમ ! હા, અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે પણ બાદર પૃથિવીકાયપણે અને બાદર અગ્નિકાયિકપણે નથી થયા. [22] હે ભગવાન કૃષ્ણરાજિઓ કેટલી કહી છે ? આઠકષ્ણારા- જિઓ કહેલી છે. હે ભગવન્! એ આઠકૃષ્ણરાજિઓ ક્યાં આવેલી કહી છે? હે ગૌતમ ! સનકુમાર મહેન્દ્રકલ્પમાં અને નીચે બ્રહ્મલોકકલ્પમાં અરિષ્ટ વિમાનના પાવડામાં છે અથતુ એ ઠેકાણે સમચતુરસ્ત્ર-ચોખંડે સંસ્થાને સંસ્થિત એવી આઠ કૃષ્ણરાજિઓ કહેલી છે, બે કમ્મરાજિ પૂર્વમાં, બે કણરાજિ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજિ દક્ષિણમાં અને બે કણરાજિ ઉત્તરમાં, એ પ્રમાણે આઠ કૃષ્ણરાજિઓ કહી છે, પૂવભ્યિતર કૃષ્ણરાજિ દક્ષિણબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે, દક્ષિણાવ્યંતર કૃષ્ણરાજિ પશ્ચિમબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી, છે, પશ્ચિમચૅતર કૃષ્ણરાજિ ઉત્તરબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે અને ઉત્તરાવ્યંતર કષ્ણરાજિ પૂર્વબાહ્ય કૃષ્ણરાજિને સ્પલી છે, પૂર્વની અને પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિઓ છ ખૂણી છે, ઉત્તરની અને દક્ષિણની બે બાહ્ય કૃષ્ણરાજિઓ ત્રાંસી ત્રિખૂણી છે, પૂર્વની અને પશ્ચિમની બે અત્યંતર કૃષ્ણરાજિઓ ચોખંડ છે અને ઉત્તરની અને દક્ષિણની બે અત્યંતર કષ્ણરાજીઓ પણ ચોખંડી છે કષ્ણ રાજિઓ પણ ચરંસ ચોખંડી છે. [27] પૂર્વ અને પશ્ચિમની કૃષ્ણરાજિ છખૂણી છે, ઉત્તરની દક્ષિણ અને બાહ્ય કૃષ્ણરાજિ ત્રિખૂણી છે, અને બીજી બધી અત્યંતરકૃષ્ણરાજિ ચોરસ છે. ૨૯હે ભગવન્! કૃષ્ણરાજ, આયામવડે કેટલી કહી છે? વિખંભવડે કેટલી કહી છે અને પરિક્ષેપવડે કેટલી કહી છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિઓનો આયામ, અસંખ્યય યોજન સહસ્ત્ર છે, વિષ્કમ, સંખ્યય યોજના સહસ્ત્ર છે અને પરિક્ષેપ તો અસંખ્યય યોજન સહસ્ત્ર છે, હે ભગવન્! કૃષ્ણરાજિઓ કેટલી મોટી કહી છે? હે ગૌતમ! એક વિપળ જેટલા વખતમાં પણ કોઈ દેવ જંબૂદ્વીપને એકવીશ વાર ફરી આવે અને એવીજ શીઘતમ ગતિવડે જો લાગલગ અડધો માસ ચાલવામાં આવે તોપણ (એ. દેવથી) કોઈ કૃષ્ણરાજિ સુધી પહોંચાય અને કોઇ કૃષ્ણરાજિ સુધી ન પહોંચાય છે ભગવાન કૃષ્ણરાજિઓમાં ગૃહો અને ગૃહાપણો છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy