SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 129 શતક-૬, ઉસો-૪ ભાંગા જાણવા, આહારક શરીરમાં જીવ અને મનુષ્યમાં છ ભાંગા જાણવા, જેમ ઔધિક કહ્યા તેમ તૈજસ અને કાર્પણ જાણવા. અશરીરી અને સિદ્ધ માટે ત્રણ ભાંગા જાણવા. આહાર- પતિમાં, શરીરપર્યાપ્તિમાં, ઈન્દ્રિયપથતિમાં અને આ પ્રાણપથતિમાં જીવ અને એકેન્દ્રિય વજી ત્રણ ભાંગા જાણવા. જેમ સંજ્ઞી જીવો કહ્યા તેમ ભાષા અને મનાયપ્તિ સંબંધે જાણવું. જેમ અનાહારક જીવો કહ્યા તેમ આહાર પયાપ્તિ વિનાના જીવો વિષે સમજવું. શરીરની અપયપ્તિમાં, ઈદ્રિયની અસ્થતિમાં અને આણપ્રાણની અપર્યાપ્તિમાં જીવ અને એકેંદ્રિય વજી ત્રણ ભાંગા જાણવા. નરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. ભાષાની અપતિમાં અને મનની અપયાતિમાં જીવાદિક ત્રણ ભાગ જાણવા. નરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. [28] સંપ્રદેશો, આહારક, ભવ્ય, સંશ, લેશ્યા, વૃષ્ટિ, સંત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયાતિ એ દ્વારો છે. [28] હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે? અપ્રત્યાખ્યાની છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! જીવો પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન પણ છે. એ પ્રમાણે બધા જીવો માટે પ્રશ્ન કરવો ? હે ગૌતમ ! નરયિકો અપ્રત્યાખ્યાની છે, એ પ્રમાણે વાવતુ ચઉરિદ્રિય સુધીના જીવો અપ્રત્યાખ્યાની કહેવા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ અપ્રત્યાખ્યાની છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે અને મનુષ્યોને ત્રણે ભાંગા હોય છે તથા બાકીના જીવો, જેમ નરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનને જાણે છે અપ્રત્યાખ્યાનને જાણે છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને જાણે છે ? હે ગૌતમ ! જે પંચેંદ્રિયો છે તે ત્રણેને જાણે છે, બાકીના જીવો પ્રત્યાખ્યાનને જાણતા નથી. અપ્રત્યાખ્યાનને જાણતા નથી હે ભગવનું ! શું જીવો પ્રત્યાખ્યાનને કરે છે? અપ્રત્યાખ્યાનને કરે છે ? કે પ્રત્યા ખ્યાના- પ્રત્યાખ્યાનને કરે છે ? હે ગૌતમ ! જેમ ઔધિક દંડક કહ્યો તેમ પ્રત્યાખ્યાનની ક્રિયાને પણ જાણી લેવી હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા છે અપ્રત્યાખ્યા નથી. બંધાય છે ? કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી બંધાય છે ? હે ગૌતમ ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે, ત્રણે પણ છે અપ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે અને બાકીના અપ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે. [289-290] પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને જાણે. (પ્રત્યાખ્યાનને) કરે. ત્રણેને (જાણે અને કરે) આયુષ્યની નિવૃત્તિ, સપ્રદેશ ઉદ્દેશમાં એ ચાર દંડકો છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવત્ વિહરે છે. શતક -ઉદ્દેસા ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (- ઉદ્દેશક પદ-) [291] હે ભગવન્! આ તમસ્કાય શું કહેવાય? શું પૃથિવી તમસ્કાય એ પ્રમાણે કહેવાય ? શું પાણી તમસ્કાય એ પ્રમાણે કહેવાય? હે ગૌતમ ! પૃથિવી, ‘તમસ્કાય' એ પ્રમાણે ન કહેવાય. પણ પાણી'તમસ્કાય' એ પ્રમાણે કહેવાય. હે ભગવનું ! તે શા હેતુથી? હે ગૌતમ! કેટલોક પૃથિવીકાય એવો શુભ છે, જે દેશને. ભાગને પ્રકાશિત કરે છે [9] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy