SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 128 ભગવઈ - -જા૨૮દ હોય, કેટલાક અપ્રદેશ હોય અથવા કોઈ સંપ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય, કોઈ અને કેટલાક અપ્રદેશ હોય. કેટલાક સપ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય અને કેટલાક સપ્રદેશ હોય તથા કેટલાક અપ્રદેશ હોય. સિદ્ધોને માટે ત્રણ ભાંગા જાણવા જેમ ઔધિક-સામાન્ય જીવો કહ્યા તેમ ભવસિદ્ધિક-ભવ્ય અને અભિવસિદ્ધિક-અભવ્ય જીવો જાણવા. નોભવસિદ્ધિકનોભવસિદ્ધિક જીવ, સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા. સંશિઓમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવા, અસંગ્લિઓમાં એકેન્દ્રિયવજીને ત્રણ ભાંગા જાણવા. નૈરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. નોસંજ્ઞી નોઅસંશી જીવ. મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભાગ જાણવા. જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ સલેશ્ય-જીવો જાણવા. જેમ આહારક જીવ કહ્યો તેમ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા જીવો જાણવા, વિશેષ એ કે, જેને જે વેશ્યા હોય તેને તે લેગ્યા કહેવી. તેજોલેશ્યામાં જીવાદિક ત્રણભાંગા જાણવા, વિશેષ એ કે, પૃથિવીકાયિકોમાં, અપ્લાયિકોમાં અને વનસ્પતિકાયિકોમાં છભાંગા જાણવા, પાલેશ્યામાં અને શુક્લલેશ્યામાં જીવાદિક ત્રણભાંગા જાણવા, અલેક્ષામાં જીવ અને સિદ્ધમાં ત્રણ ભાંગા જાણવા અને અલેશ્ય મનુષ્યોમાં છભાંગા જાણવા. સમ્યગ્દષ્ટિઓમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. વિકસેન્દ્રિયોમાં છાંગા જાણવા. મિથ્યાદ્રષ્ટિઓમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા, જાણવા. સમ્યશ્મિથ્યાવૃષ્ટિઓમાં છભાંગા જાણવા,. સંત જીવોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા, અસંયતોમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા, સંયતાસંમતોમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવાં. નોસંયતનોઅસંયત અને નોસંયતા સંયતોમાં-ત્રણભાંગા જાણવા. કષાયોમાં-અકષાયવાળાઓમાં જીવા- દિક ત્રણભાંગા જાણવા. અને સકષાય એકેંદ્રિયોમાં એક ભાંગો છે, ક્રોધ કષાયિઓમાં જીવ અને એકેન્દ્રિય વર્જી ત્રણભાંગા જાણવા. દેવોમાં છભાંગા, માનકષાયવાળમાં, માયાકષાયવાળામાં જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા, નૈરયિક અને દેવોમાં છલાંગા જાણવા. લોભકષાયવાળાઓમાં જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. નૈરકિમાં છભંગા જાણવા, અકષાયમાં જીવ, મનુજ અને સિદ્ધોમાં ત્રણભાંગ જાણવા. ઓધિક જ્ઞાનમાં,આભિનિબોધિક-જ્ઞાનમાં, શ્રુતજ્ઞાનમાં, જીવાદિક ગુણભાંગા જાણવા. વિકલેન્દ્રિયોમાં છભાંગા જાણવા. અવધિજ્ઞાનમાં, મન:પર્યવજ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં જીવાદિક ત્રણભાંગી જાણવા. ઓધિકઅજ્ઞાનમાં, મતિઅજ્ઞાનમાં અને મૃતઅજ્ઞાનમાં એકેદ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. વિર્ભાગજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવા, જેમ ઔધિક કહ્યો તેમ સયોગી જાણવો. મનયોગી, વચનયોગી અને કાયયોગિમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. વિશેષ એ કે, એકેંદ્રિય જીવો કાયયોગવાળા છે અને તેઓમાં અભંગ, ઝાઝા ભાંગા નથી પણ એક ભાગો છે. જેમ અલેશ્યો કહ્યા તેમ અયોગિજીવો જાણવા. સાકાર ઉપયોગ- વાળામાં અને અનકારઉપયોગવાળામાં જીવ તથા એકેંદ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. જેમ સકષાયી- કહ્યા તેમ સવેદક- જીવો જાણવા સ્ત્રીવેદક, પુરષદક અને નપુંસકવેદકોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા, વિશેષ એ કે, નપુંસકવેદમાં એફેદ્રિયનો માટે અભંગક એક ભાગ છે. જેમ અકષાયી જીવો કહ્યા તેમ અવેદ-વેદવિનાના જીવો જાણવા જેમ ઔધિક-સામાન્ય જીવ કહ્યા તેમ સશરીરીજીવો જાણવા. ઔદારિક અને વૈક્રિય શરીરવાળા માટે જીવ તથા એકૅન્દ્રિય વર્જીને ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy