SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 118 ભગવાઈ -પ૩-૧૮૨૬૩ બારમાસ અવસ્થાન કાળ છે. જેમ મૈરાયકો માટે કહ્યું એમ અસુરકુમારો પણ વધે છે, ઘટે છે. અને જઘન્યું. એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અડતાલીસ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે, એ પ્રમાણે દસે પ્રકારના પણ ભવનપતિ કહેવા. એકેન્દ્રિયો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, એ ત્રણે વડે પણ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ. એટલો કાળ જાણવો, બે ઈદ્રિયો તે જ પ્રમાણ વધે છે, ઘટે છે, અને તેઓનું અવસ્થાન જઘન્ય એક સમય અને ઉત્કરે બે અન્તર્મુહૂર્ત સુધીનું જાણવું. એ પ્રમાણે વાવ-ચલરિંદ્રિય સુધીના જીવો માટે જાણવું. બાકીના બધા જીવો કેટલો કાળ વધે છે, કેટલો કાળ ઘટે છે, એ બધું પૂર્વની પેઠે જાણવું અને તેઓના અવસ્થાન કાળમાં આ પ્રમાણે વિવિધ ભેદ છે; તે જેમકે સમૃદ્ઘિમપંચેન્દ્રિય તિર્યંચવોનિકોનો અવસ્થાન કાળ અંતમુહૂર્ત છે, ગર્ભપંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો ચોવીશમુહૂર્ત છે, સમ્મર્શિયમનુષ્યોનો અડતાલીશ મુહૂર્ત છે, ગર્ભજ મનુષ્યોનો ચોવીશ મુહૂર્ત છે; વાનભંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવલોક-માં અડતાલીશ મુહૂર્ત છે, સનકુમાર દેવલોકમાં અઢાર રાત્રિદિવસ અને ચાલીશ મુહૂર્ત છે, માહેંદ્ર દેવલોકમાં ચોવીશ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત છે. બ્રહ્મલોકમાં પીસ્તાલીશ રાત્રિદિવસ છે, લાંતક દેવલોકમાં નેવું રાત્રિદિવસ છે, મહાશુક્ર દેવલોકમાં એકસો સાઠ રાત્રિદિવસ છે, સહસ્ત્રાર પ્રાણત દેવલોકમાં સંપેય માસો સુધી છે, આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યય વષ છે, એ પ્રમાણે રૈવેયક દેવોનો, વિજય, વૈજયંત, જયંત અને પરાજિત દેવોનો અસંખ્ય હજાર વર્ષ છે. તથા સવર્થ સિદ્ધમાં પલ્યોપમના સંખેય ભાગ સુધી અવસ્થાન કાળ જાણવો. અને એઓ. જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે, ઘટે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી વધે છે? હે ગૌતમ! જધન્ય એક સમય અને ઉત્કરે આઠ સમય સુધી હે ભગવનું ! સિદ્ધો કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી. હે ભગવન્! જીવો ઉપચય સહિત છે, અપચય સહિત છે, સોપચય સાપચય છે અને ઉપચય રહિત છે કે અપચય રહિત છે? હે ગૌતમ જીવો સોપચય ઉપચય સહિત નથી, સાપચય અપચય સહિત નથી, સોપચય સાપચય નથી, પણ નિરુપચય અને નિરપચય છે. એકેન્દ્રિય જીવો ત્રીજા પદમાં છે એટલે સૌપચય અને સાપચય છે, બાકીના જીવો ચારે પદો વડે કહેવા. હે ભગવનું ! સિદ્ધો કેવા છે? હે ગૌતમ ! સિદ્ધ સોપચય છે, સાપચય નથી, સોપચય અને અપચય નથી, નિરુપચય છે, નિરપચય છે. હે ભગવન્! જીવો કેટલા કાળ સુધી નિરૂપચય અને નિરપચય છે? હે ગૌતમ ! સર્વ કાળ સુધી જીવો નિરુપચય અને નિરપચય છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સોપચય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી નૈરયિકો સોપચય છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ, સુધી સાપચય છે? હે ગૌતમ ! એ પ્રમાણે પૂર્વોક્ત સોપચયના કાળ પ્રમાણે સાપચયનો કાળ જાણવો. હે ભગવન્! મૈરવિકો કેટલા કાળ સુધી સોપચય ને સાપચય છે? પૂવક્ત પ્રમાણે જાણવું. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપચય છે? હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy