SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 17 શતક-૫, ઉદેસો-૮ પણ તું કહે છે. તે ખોટું થાય. ત્યારે તે નારદપુત્ર અનગારે નિગ્રંથીપત્ર અનગાર પ્રતિ એમ કહ્યું કે, દેવાનુપ્રિય ! એ અર્થને અમે જાણતા નથી, જો તમે તે અર્થને કહેતાં ગ્લાનિ ન પામો તો આપની પાસે એ અર્થને સાંભળી, અવધારી જાણવા ઇચ્છું છું. ત્યારબાદ તે નિર્ગથીપુત્ર અનગારે નારદપુત્ર અનગારને એમ કહ્યું કે, હું આર્ય! મારા ધારવા પ્રમાણે દ્રવ્યાદેશવડે પણ સર્વ યુગલો પ્રદેશ પણ છે, અને અપ્રદેશ પણ છે, તેઓ અનંત છે; ક્ષેત્રાદેશવડે પણ એમજ છે, કાલાદેશ અને ભાવાદેશવડે પણ એ પ્રમાણેજ છે, જે પુલ, દ્રવ્યથી અપ્રદેશ છે, તે, નિયમે કરી ચોક્કસ ક્ષેત્રથી અપ્રદેશ હોય છે, કાલથી કદાચિત પ્રદેશ અને કદાચિનુ અપ્રદેશ હોય અને ભાવથી પણ કદાચિત્, પ્રદેશ હોય અને કદાચિત્ અપ્રદેશ હોય. જે ક્ષેત્રથી અપ્રદેશ હોય તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હોય અને કદાચ અપ્રદેશ હોય, કાળથી તથા ભાવથી પણ ભજનાએ જાણવું, જે પુદ્ગલ દ્રવ્યથી પ્રદેશ હોય તે ક્ષેત્રથી કદાચ પ્રદેશ હોય અને કદાચ અપ્રદેશ હોય, એમ કાલથી અને ભાવથી જાણી લેવું. જે પુદ્ગલ ક્ષેત્રથી સંપ્રદેશ હોય તે, દ્રવ્યથી ચોક્કસ સપ્રદેશ હોય અને કાલથી તથા ભાવથી ભજનાવડે હોય, હે ભગવનું ! દ્રવ્યાદેશથી, ક્ષેત્રાદેશથી, કાલાદેશથી, અને ભાવાદેશથી સપ્રદેશ અનેઅપ્રદેશ અને પુદ્ગલોમાં ક્યા ક્યા પગલો યાવતુ થોડાં છે, ઘણાં છે, સરખાં છે અને વિશેષાધિક છે ? હે નારદપુત્ર ! ભાવાદેશવડે અપ્રદેશ પુદ્ગલો સર્વથી થોડાં છે, તે કરતાં કાલાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં દ્રવ્યાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી પ્રદેશો. અસંખ્યગુણ છે, તે કરતાં દ્રવ્યાદેશથી સંપ્રદેશો વિશેષાધિક છે. તે કરતાં કાલાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે અને તે કરતાં ભાવાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે. ત્યારપછી તે નારદપુત્ર અનગાર નિગ્રંથીપુત્ર અનગારને વંદે છે. નમે છે; વંદી, નમી એ અર્થને પોતે કહેલ અર્થને માટે વિનયપૂર્વક વારંવાર તેઓની પાસે ક્ષમા માંગે છે, ખમાવી, સંયમ અને તપવડે આત્માને ભાવતા યાવતુ વિહરે છે. 23 હે ભગવન્! એમ કહી ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને એમ કહ્યું કે, હે ભગવન્! જીવો શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? હે ગૌતમ! જીવો વધતા. નથી, ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. હે ભગવનું ! નૈરયિકો શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? હે ગૌતમ! નૈરયિકો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, જેમ નૈરયિક માટે કહ્યું એમ વાવવૈમાનિક સુધીના જીવો માટે જાણવું. હે ભગવન! સિદ્ધોનો પ્રશ્ન કરવો છે ગૌતમ ! સિદ્ધો વધે છે. ઘટે નહિ અને અવસ્થિત પણ રહે છે. હે ભગવન્! કેટલા કાળ સુધી જીવો અવસ્થિત રહે? સર્વ કાળસુધી. હે ભગવન્! મૈરયિકો કેટલા કાળ સુધી વધે છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી, આવલિકાના અસંખ્ય ભાગ સુધી. એ પ્રમાણે ઘટવાનો કાળ પણ તેટલો જાણવો. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત સુધી. એ પ્રમાણે સાતે પણ પૃથિવીઓમાં વધે છે. ઘટે છે, એમ કહેવું. વિશેષ એ કે, અવસ્થિતોમાં આ ભેદ જાણવો - રત્નપ્રભા પૃથ્વીમાં અડતાલીશમુહૂર્ત, શર્કરપ્રભામાં ચૌદરાત્રિદિવસ, વાલુકાપ્રભામાં એકમાસ, પ્રકપ્રભામાં બેમાસ, ધૂમપ્રભામાંચાર માસ, તમપ્રભામાં આઠમાસ, અને તમતમામભામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy