SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - શતક-૫, ઉસો-૮ 119 જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નૈરયિકો નિરપચય અને નિરુપચય છે. બધા એકેન્દ્રિય જીવો સર્વકાળ સુધી સોપચય અને સાપચય છે, બાકીના બધા જીવો સોપચય પણ છે, સાપચય પણ છે, સોપચય અને સાપચય પણ છે, નિરુપચય અને નિરપચય પણ છે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે, અવસ્થિતોમાં વ્યુત્કાન્તિકાળ કહેવો. હે ભગવન્! સિદ્ધાં કેટલા કાળ સુધી સોપચય છે. હે ગૌતમ ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સિદ્ધો સોપચય છે. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપચય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધો નિરપચય અને નિરપચય છે. હે ભગવન! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી પાવતુ વિહરે છે. શતક પ-ઉદ્સોઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરાછાયાપૂર્ણ | (ઉદેસ:૯) [64] તે કાલે, તે સમયે યાવત્ એમ બોલ્યાઃ હે ભગવન્! આ રાજગૃહ નગર શું કહેવાય? શું તે પૃથિવી. કહેવાય. જલ કહેવાય, યાવતું વનસ્પતિ જેમ એજન ઉદ્દેશમાં પંચેદ્રિયતિર્યંચોના પરિગ્રહની) વક્તવ્યતા કહી છે તેમ કહેવું અથતિ રાજ- ગૃહ નગર કૂટ કહેવાય. શૈલ કહેવાય, વાવત્ સચિત્ત, અચિત્ત અને મિશ્રિત દ્રવ્યો, રાજ-ગૃહ નગર કહેવાય ? હે ગૌતમ ! પૃથિવી પણ રાજગૃહ નગર કહેવાય યાવતું સચિત્ત, અચિત્ત અને મિશ્રિત દ્રવ્યો રાજગૃહ નગર કહેવાય છે યાવતું સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો પણ જીવો છે, અજીવો છે માટે રાજગૃહ નગર કહેવાય છે, તે હેતુથી તે તેમજ છે. ર૬પ હે ભગવન્! દિવસે ઉઘાત અને રાત્રિમાં અંધકાર હોય છે ? હા. ગૌતમ! વાવ અંધકાર હોય છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! દિવસે સારાં પુદ્ગલો હોય છે અને સારો પુદ્ગલ પરિણામ હોય છે, રાત્રિમાં અશુભ પુદ્ગલો હોય છે અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે તે હેતુથી એમ છે. હે ભગવનું! શું નિરયિકોને પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે. હે ગૌતમ! નૈરયિકોને પ્રકાશ નથી પણ અંધકાર છે. તે ક્યાં હતુથી? હે ગૌતમ ! નરયિકોને અશુભ પુદ્ગલ પરિણામ છે, તે હેતુથી હે ભગવન્! શું અસુરકુમારોને પ્રકાશ છે, કે અંધકાર છે?, હે ગૌતમ ! અસુરકુમારોને પ્રકાશ છે પણ અંધકાર નથી. તે ક્યાં હેતુથી? હે ગૌતમ! અસુરકુમારોને શુભ પુદ્ગલો છે, શુભ પુદ્ગલ પરિણામ છે માટે એ પ્રમાણે વાવતું નિતકુમારો સુધી જાણવું. જેમ નરયિકો કહ્યા તેમ પૃથિવીકાયથી માંડી યાવતું. ત્રેઈદ્રિય સુધીના જીવો જાણવા. હે ભગવનું ! શું ચઉરિત્રિયોને પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે? હે ગૌતમ ! તેઓને પ્રકાશ પણ હોય છે ને અંધકાર પણ હોય છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! ચઉરિદ્રિયને શુભ તથા અશુભ પુદ્ગલ હોય છે અને શુભ તથા અશુભ પુદ્ગલ-પરિણામ હોય છે. તે હેતુથી તેમ છે. એ પ્રમાણે વાવતુ-મનુષ્યો માટે જાણી લેવું. જેમ અસુરકુમારો કહ્યા તેમ વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક માટે જણવું. [26] હે ભગવન્! ત્યાં ગએલા નિરયમાં સ્થિત રહેલા નૈરયિકો એમ જાણે કે, સમય. આવલિકાઓ, ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ ? હે ગોતમ ! તે અર્થ સમર્થ નથી હે ભગવન્! તે ક્યા હેતુથી એમ કહ્યું? હે ગૌતમ ! તે સમયાદિનું માન અહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy