SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫, ઉદેસો-દ કેટલી ક્રિયાવાળો છે? હે ગૌતમ! યાવતુ-તે પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે છે વાવતું તેને ફેંકે છે, યાવતુ તે પુરુષ કાયિકી ક્રિયાને યાવતુ-પાંચે ક્રિયાને ફરસે છે, અને જે જીવોના શરીરો દ્વારા ધનુષ્ય બન્યું છે તે જીવો પણ યાવતુ પાંચ ક્રિયાને ફરસે છે, એ પ્રમાણે ધનુષ્યની પીઠ પાંચ ક્રિયાને ફરસે છે, દોરી પાંચ ક્રિયાને, હારું પાંચ ક્રિયાને, બાણ પાંચ ક્રિયાને, શર, પત્ર, ભલ અને હારું પાચે ક્રિયાને ફરસે છે. [247] અને હવે જ્યારે પોતાની ગુરુતા વડે, પોતાના ભારેપણાવાડે, પોતાની ગુરુકતા અને સંભારતાવડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં માર્ગમાં આવતાં પ્રાણોને યાવતુ-જીવિતથી અત કરે ત્યારે તે પુરુષ કેટલી ક્રિયાવાળો હોય? હું ગૌતમ ! યાવતુ તે બાણ પોતાની ગુરુતાવડે યાવતુ જીવોને જીવિતથી ટ્યુત કરે યાવતું તે પુરુષ કાયિકી વાવ ચાર ક્રિયાને ફરસે છે અને જે જીવોના શરીરથી ધનુષ્ય બનેલું છે તે જીવો પણ ચાર ક્રિયાને, ધનુષ્યની પીઠ ચાર ક્રિયાને દોરી ચાર ક્રિયાને હાર ચાર ક્રિયાને, બાણ પાંચ ક્રિયાને શર, પત્રણ, ફલ અને હારુ પાંચ ક્રિયાને અને નીચે પડતા બાણના અવગ્રહમાં જે જીવો આવે છે તે જીવો પણ પાંચ ક્રિયાને ફરસે છે. L[248] હે ભગવન! અન્યતીથિકો એ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપે છે કે જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં ગ્રહીને, (ઉભેલાં હોય અથવા જેમ આરાઓથી ભીડાએલી ચક્રની નાભી હોય એ પ્રમાણેજ યાવતું ચારસેં પાંચસે યોજન સુધી મનુષ્યલોક, મનુષ્યોથી ખીચોખીચ ભરેલો છે, હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે? હે ગૌતમ! તે અત્યતીર્થિકો એ પ્રમાણે કહે છે તે ખોટું છે, હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું કે, એજ પ્રમાણે યાવત્ ચારસો પાંચસો યોજન સુધી નિરયલોક, નૈરયિકોથી ખીચોખીચ ભરેલો છે. [249] હે ભગવન્શું નૈરયિકો એકપણું વિકુવવા સમર્થ છે? કે બહુપણ વિકુવા સમર્થ છે? જેમ જીવાભિગમસૂત્રમાં આલાપક છે. તેમ જાણી લેવું. દુરહિયાસ, શબ્દ સુધી. અહિં જાણવો. [25] “આધાકર્મ અનવદ્ય-નિષ્પાપ છે એ પ્રમાણે જે, મનમાં સમજતો હોય તો જે આધાકર્મ સ્થાનવિષયક આલોચન અને પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તે તેને આરાધના નથી અને જે તે સ્થાનવિષયક આલોચન અને પ્રતિક્રમણ કરી કાળ કરે તો તેને આરાધના છે. એ ગમ પ્રમાણે ફીતકૃત-ભોજન સ્થાપિત-ભોજન, રચિત કાંતારતભક્ત- દુર્મિક્ષભક્ત દુર્દિન હોય વરસાદ આવતો હોય ત્યારે સાધુ માટે તૈયાર કરેલો આહાર તે વાદલિકાભક્ત, ગ્લાન માટે રાંધેલો આહાર, શય્યાતરપિંડ, રાજપિંડ, એ બધી જાતના આહાર માટે જાણવું. ‘આધાકર્મ આહાર નિષ્પાપ છે એ પ્રમાણે જે ઘણાં માણસોની વચ્ચે બોલે અને પોતે આધાકીને ખાય તો તેમ બોલનાર તથા ખાનારા તે વિષે વાવતુ તેને આરાધના છે? એ પણ તેજ પ્રમાણે જાણવું યાવતુ-રાજપિંડ. ‘આધાકમ અનવદ્ય છે એ પ્રમાણે કહીં પરસ્પર દેવરાવનાર હોય તેને આરાધના હોય? એ પણ તેજ પ્રમાણે જાણવું. યાવતુ રાજપિંડ. 'આધાકર્મ નિષ્પાપ છે એ પ્રમાણે ઘણા માણસોને જે જણાવનાર હોય, તેને યાવતું આરાધના છે? યાવતું રાજપિંડ (પઠે જાણી લેવું.) 251 હે ભગવન્! પોતાના વિષયમાં, શિષ્યવર્ગને ખેદ રહિતપણે સ્વીકારતાં, ખેદરહિતપણે સહાય કરતા આચાર્ય અને ઉપાધ્યાય કેટલાં ભવગ્રહણો કરી સિદ્ધ થાય યાવતું અંતને કરે? હે ગૌતમ! કેટલાક તેજ ભવવડે સિદ્ધ થાય, કેટલાક બે ભવ ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy