SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 15o ભગવઇ-પદાજ પર્યાપાસીને તથા એવા કોઈ એક કારણથી- મનોજ્ઞ, પ્રીતિકારક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર જાતના આહારવડે પ્રતિલાભીનેએ પ્રમાણે જીવો પાવતુ-લાંબુ સારુ દિઘયુષ્ય બાંધે છે. [245 હે ભગવનું ! કરિયાણાનો વિક્રમ-વેચાણ-કરતાં કોઈ ગૃહસ્થનું કોઈ માણસ તે કરિયાણું ચોરી જાય તો હે ભગવન્! તે કરિયાણાનું ગષણ કરનાર તે ગૃહસ્થને શું આરંભિકી ક્રિયા લાગે કે પારિગ્રહિક કે માયપ્રત્યયિકી કે અપ્રત્યાખ્યાનિકી કે મિથ્યાદર્શન પ્રયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને પ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે અને મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા કદાચ લાગે અને કદાચ ન લાગે અને હવે ગવેષણ કરતાં જ્યારે તે ચોરાએલુ કરિયાણું પાછું મળી આવે ત્યારપછી તે બધી ક્રિયાઓ પાતળી થઈ જાય છે. હે ભગવન્! કરિયાણાને વેચતા ગૃહસ્થનું ભાંડ-કરિયાણું, કરિયાણુ ખરીદ કરનારે ખરીધું તેને માટે બાનું આપ્યું પણ હજુ તે કરિયાણું લઈ જવાયું નથી તો તે વેચનાર ગૃહુપતિને તે કરિયાણાથી શું આરંભિક થાવતુ મિથ્યાદર્શનપ્રયિક ક્રિયા લાગે ? અને તે ખરીદનારને તે કરિયાણાથી આરભિકી યાવતુ-મિથ્યા દર્શન પ્રત્યવિકી ક્રિયા લાગે? હે ગૌતમ તે તેમજ છે. કરનારને તે બધી ક્રિયાઓ પાતળી હોય છે. હે ભગવન્! ભાંડને વેચતા ગૃહપતિને ત્યાંથી લાવતુ તે ભાંડ -ખરીદ કરનારે પોતાને ત્યાં આપ્યું હોય ત્યારે તે ખરીદ કરનારને તે ભાંડથી શું આરંભિક ક્રિયા વગેરે પાંચ ક્રિયાઓ અને ગૃહપતિને તે ભાંડથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! તે ભાંડથી તે ખરીદ કરનારને મોટા પ્રમાણવાળી ચારે ક્રિયાઓ લાગે અને મિથ્યાવૃષ્ટિ હોય તો મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે અને મિથ્યાદ્રષ્ટિ ન હોય તો મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા ન લાગે એ પ્રમાણે. મિથ્યાદર્શન-ક્રિયાની ભજનાવડે ગૃહસ્થને તે બધી ક્રિયાઓ ઓછા પ્રમાણમાં હોય છે. હે ભગવન્! ગૃહપતિ ઘરઘણિ-ને ભાંડ થાવતુ-ધન ન મળેલ હોય તો કેમ?) એ રીતે પણ જેમ ઉપનીત ભાંડ-સંબંધે કહ્યું છે તેમ સમજવું- “જે ધન ઉપનીત હોય તો જેમ અનુપનીત ભાંડ વિષે પ્રથમ આલાપક કહ્યો છે તેમ સમજવું-પ્રથમ અને ચતુર્થ આલાપકનો સમાન ગમ સમજવો અને બીજા અને ત્રીજી આલાપકનો સમાં ગમ સમજવો. હે ભગવન્! હમણા જગવેલો અગ્નિકાય, મહાકર્મવાળો, મહાકિયાવાળો, મહાઆશ્રયવાળો, મહાવેદનાવાળો, હોય છે, હવે તે અગ્નિ સમયે સમયે ઓછો થતો હોય, બુwતી હોય અને છેલ્લે ક્ષણે અંગરૂપ થયો. મુર્મુરરૂપ થયો, ભસ્મરૂપ થયો ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળો. અલ્પક્રિયા- વાળો અલ્પઆશ્રયવાળો અને અલ્પવેદનાવાળો થાય? હા, ગૌતમ ! થાય. 24] હે ભગવન્! પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે, તેનું ગ્રહણ કરી સ્થાન પ્રત્યે બેસે-ધનુષ્યથી બાણને ફેંકતી વેળાનું આસન કરે-તેમ બેસી ફેકવા પ્રસરેલા બાણને કાન સુધી-ખે, ખેંચી ઉંચે આકાશ પ્રત્યે બાણને ફેંકે, ત્યારબાદ તે આકાશ પ્રત્યે ફેંકાએલું બાણ, ત્યાં આકાશમાં જે પ્રાણોને, ભૂતોને, આવોને, સત્ત્વોને, સામા આવતા હણે, તેઓનું શરીર સંકોચી નાખે, તેઓને વિષ્ટ કરે, તેઓને સંહત કરે, તેઓને થોડો સ્પર્શ કરે, તેઓને ચારે કોરથી પીડા પમાડે. તેઓને ક્લત કરે, તેઓને એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય અને તેઓને જીવિતથી ડુત કરે તો હે ભગવન્! તે પુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy