SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫, ઉદેસો-પ 19 ભૂત, સર્વ જીવ અને સર્વ તત્ત્વો એવંભૂત જેમ કર્મ બાંધ્યું છે તે પ્રમાણે-વેદનાને અનુભવે છે, હે ભગવન્! તે એમ કેવી રીતે છે? હે ગૌતમ! તે અન્યતીર્થિકો જે એ પ્રમાણે કહે છે તે એમ ખોટું કહે છે, વળી હું તો એમ કહું છું પાવતુ પ્રરૂપું છું કે કેટલાક પ્રાણો, ભૂતો જીવો અને સત્ત્વો એવંભૂતએ પ્રકારે પોતાના કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે અને કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો જેમ કર્મ બાંધ્યું છે તેથી જૂદી વેદનાને અનુભવે છે. તે કયા હેતુથી હે ગૌતમ ! જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો કરેલાં કર્મો પ્રમાણે વેદના અનુભવે છે તે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એવંભૂત વેદનાને અનુભવે છે અને જે પ્રાણો, ભૂતો, જીવો અને સન્હો કરેલાં કર્મો પ્રમાણે વેદના નથી અનુભવતા તે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો અનેવંભૂત વેદનાને અનુભવે છે, તે હેતુથી તેમજ કહ્યું છે. હે ભગવનું નૈરયિકો શું એવંભૂત વેદનાને વેદે છે કે અનેવંભૂત વેદનાને અનુભવે છે? હે ગૌતમ! તેઓ એવંભૂત વેદનાને પણ અનુભવે છે અને અનેવંભૂત વેદનાને અનુભવે છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! જે નૈરયિકો કરેલાં કર્મ પ્રમાણે વેદના વેદે છે તેઓએ વંભૂત વેદના વેદ છે અને જે નૈરયિકો કરેલાં કર્મ પ્રમાણેવેદના નથી વેદતા તેઓ અનેવંભૂત વેદનાને વેચે છે તે હેતુથી એમ કહ્યું છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધીના સંસારમંડલ વિષે સમજવાનું છે. [243] હે ભગવન્! જંબૂદ્વીપમાં આ ભારત વર્ષમાં આ અવસર્પિણીના કાળમાં કેટલા કુલકરો થયા. હે ગૌતમ ! સાત કુલકરે થયા, એ પ્રમાણે તીર્થકરોની માતાઓસ, પિતાઓ, પહેલી શિષ્યા ચક્રવર્તીની માતાઓ, સ્ત્રીરત્ન, બલદેવો. વાસુદેવો, વાસુદેવની માતાઓ, પિતાઓ, એઓના પ્રતિશત્રુઓ પ્રતિવાસુદેવો વગેરે જે પ્રમાણે સમવાય' સૂત્રમાં નામની પરિપાટીમાં છે તે પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે ભગવન! તે એ પ્રમાણે છે, એમ કહી વાવતું વિહરે છે. શતક - ઉદેસાઇની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક :-) [24] હે ભગવન્! જીવો થોડા જીવવાનું કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? હે ગૌતમ ! ત્રણ સ્થાનોવડે જીવો થોડા જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે. તે જેમકે, પ્રાણોને મારીને, ખોટું બોલીને અને તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને અપ્રાસુક, અષણીય ખાન, પાન, ખાદિમ તથા સ્વાદિમ પદાથવડે પ્રતિલોભીને હે ભગવન્! જીવો લાંબાકાળ સુધી જીવવાનું કારણભુત કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! ત્રણ સ્થાનોવડે જીવો લાંબા કાળ સુધી જીવવાનું કારણભુત કર્મ બાંધે છે, તે જેમકે, પ્રાણોને નહિ મારીને. ખોટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસુક, એષણીય ખાન, પાન, ખાદિમ તથા સ્વાદિમ પદાથવડે પ્રતિલાભીને, હે ભગવન ! જીવો અશુભ રીતે લાંબા કાળ સુધી. જીવવાનું કારણભુત કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ! જીવોને મારીને ખોટું બોલીને, અને તથારૂપ શ્રમણની કે બ્રાહ્મણની હીલના કરીને, નિંદા કરીને લોક સમક્ષ ફજેતી કરીને, તેની સામે ગહ કરીને તેનું અપમાન કરીને તથા એવા કોઈ એક અપ્રીતિના કારણરૂપ અમનોજ્ઞ-ખરાબ અશનાદિવડે પ્રતિલાભીને હે ભગવન્! જીવો શુભ પ્રકારે લાંબા કાળ સુધી જીવવાનું કાણભુત કમ કેવી રીતે બાંધે છે? હે ગૌતમ ! પ્રાણોને નહિ મારીને, ખોટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણને કે બ્રાહ્મણને વાંદીને યાવતું તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy