SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫, ઉદેસો-૪ 107 [23] પ્રમાણ” તે ? પ્રમાણ ચાર પ્રકારનું છે. તે જેમકે, પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્પ-ઉપમાન અને આગમ. જે પ્રકારે “અનુયોગદ્વાર' સૂત્રમાં પ્રમાણ સંબંધે લખ્યું છે તે પ્રકારે જાણવું, યાવતુ ત્યારબાદનો નો આત્માગમ, નો અનન્તરાગમ, પરંપરાગમ.” [234] હે ભગવન્! કેવલી મનુષ્ય. છેલ્લા કર્મને વા છેલ્લી નિર્જરાને જાણે. જૂએ ? હે ગૌતમ ! હા, જાણે, જૂએ. હે ભગવન્! જેમ કેવલી, છેલ્લા કર્મને જાણે એ પ્રશ્નનો જેમ “અંતકર' વિષેનો આલાપક કહ્યો તેમ છેલ્લા કમ' ના પ્રશ્ન સાથે જાણવો. [235] હે ભગવન્! કેવલી મનુષ્ય. પ્રકૃષ્ટ મનને વા, પ્રકૃષ્ટ વચનને ધારણ કરે ? હા. ધારણ કરે. હે ભગવન્! કેવલી મનુષ્ય, જે પ્રકટ મનને વા, પ્રકષ્ટ વચનને ધારણ કરે છે તેને વૈમાનિક દેવો જાણે છે, જૂએ છે? હે ગૌતમ! કેટલાકો જાણે છે, જૂએ છે, કેટલાકો નથી જાણતા નથી જેતા, તે કેવી રીતે યાવતનથી જોતા? હે ગૌતમ! વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે, તે જેમકેઃ માયિમિથ્યાદ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલા અને અમાયિસમ્યગ્દષ્ટિપણે ઉત્પન્ન થયેલા, તેઓમાં જે માયિમિધ્યાદ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેઓ નથી જાણતા નથી જોતા અને જેઓ અમાથી સમ્યવ્રુષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેઓ જાણે છે-જૂએ છે, “અમાવી સમ્યગ્દષ્ટિ યાવતુ-જૂએ છે' તેમ કહેવાનું શું કારણ? હે ગૌતમ! અમાથી સમ્યગ્દષ્ટિ દેવો બે પ્રકારના કહેલા છે તે જેમકે, અનંતરોપપન્નક અને પરેપરોપાનક. તેમાં જે અનન્તરોપપન્નક છે તેઓ નથી જાણતા અને જેઓ પરંપરોપન્નક છે તેઓ જાણે છે. હે ભગવન્! “પરંપરોપનક દેવો યાવતુ-જૂએ છે તેમ કહેવાનો શો અર્થ ? હે ગૌતમ ! પરંપરોપનક દેવો બે પ્રકારના કહેલા છે. તે જેમકે, પયપ્તિ અને અપર્યાપ્ત. તેમાં જેઓ પર્યાપ્ત છે તેઓ જાણે છે અને અપર્યાપ્ત નથી જાણતા. એ પ્રમાણે અનન્તર ઉત્પન્ન થયેલા, પરંપરાએ ઉત્પન્ન થએલા, પાપ્તિરૂપે ઉત્પન્ન થએલા, અપર્યાપ્તરૂપે ઉત્પન્ન થયેલા, ઉપયોગવાળા, અનુપયુક્ત-ઉપયોગ વિનાના, એ પ્રકારના વૈમાનિક દેવો છે, તેમાં જે ઉપયોગવાળા સાવધાનતાવાળા છે તેઓ જાણે છે, માટે તે હેતુથી તેજ-કેટલાક જાણે છે, અને કેટલાક નથી જાણતા. 23 હે ભગવન્! અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવો ત્યાંજ રહ્યા છતા, અહિં રહેલા કેવલી સાથે આલાપ. સંલાપ કરવાને સમર્થ છે? હા, સમર્થ છે. તે કયા હેતુથી પાવતુ અનુત્તરવિમાનના દેવો વાવતુ-કરવા સમર્થ છે ? હે ગૌતમ ! ત્યાંજપોતાને સ્થાનકે રહેલાજ અનુત્તર વિમાનના દેવો જે અર્થને. હેતુમે, પ્રશ્નને, કારણને કે વ્યાકરણને પૂછે છે તેનો તે અર્થનો હેતુનો તાવતુ-વ્યાકરણનો ઉત્તર અહિં રહેલો કેવલી આપે છે, તે હેતુથી. હે ભગવન્! અહિં રહેલો કેવલી અર્થનો યાવતુ જે ઉત્તર આપે તે ઉત્તરને ત્યાં રહેલાજ અનુત્તર વિમાનના દેવો જાણે, જૂએ? હા, જાણે, જૂએ. તે કયા હેતુથી યાવતુ-જૂએ? હે ગૌતમ ! તે દેવોને અનંતી મનોદ્રવ્યવણાઓ લબ્ધ છે, પ્રાપ્ત છે, વિશેષ જ્ઞાત હોય છે તે હેતુથી અહિં રહેલો કેવલી જે કહે તેને તેઓ જાણે જુએ [237 હે ભગવન્! અનુત્તરવિમાનના દેવો શું ઉદીર્ણ મોહવાળા છે, ઉપશાંત મોહવાળા છે કે ક્ષીણમાંહવાળા છે? હે ગૌતમ ! ઉદીર્ણમાંહવાળા નથી, ક્ષીણમોહવાળા નથી પણ ઉપશાંતમોહવાળા છે. [38] હે ભગવન્કેવલી મનુષ્ય -ઇન્દ્રિયો વડે જાણે. જૂએ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. તે ક્યા હેતુથી યાવ-કેવલી ઇન્દ્રિયો વડે જાણતો નથી, જોતો નથી ? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy