SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 106 ભગવાઈ-પ-જર૨૯ જાઉં અને યાવતુ-તેજ કારણથી તું મારી પાસે અહીં શીઘ આવ્યો છે કેમ હે ગૌતમ! મેં કહ્યું એ બરાબર છેને ? ગૌતમને કહ્યું કે, હે ભગવન્! તે બરાબર છે. પછી ભગવંત મહાવીરે કહ્યું કે, તારી શંકાને ટાળવાને સારું હે ગૌતમ! તું (એ દેવોની પાસે જા. અને એ દેવોજ તને એ સંબંધોની પૂરી માહિતી સંભળાવશે. ત્યારપછી શ્રમણ ભગવંત. મહાવીર તરફથી એવા પ્રકારની અનુમતિ મળવાને લીધે ભગવાન ગૌતમે શ્રમણ ભગવંતને વાંદી, નમી અને જે તરફ પેલા દેવો હતા તે તરફ જવાને સંકલ્પ કર્યો. હવે તે દેવો ભગવાન ગૌતમને પોતાની પાસે આવતા જોઈને હર્ષવાળા વાવતું તદ્દયવાળા થયા અને શીઘજ ઉભા થઈ તેઓની સામે ગયા તે દેવો, જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યા આવ્યા અને તેઓને વાં. નમી તે દેવોએ આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! મહાશુક્ર નામના કલ્પથી, મહાસર્ગ વિમાનથી મોટી દ્વિવાળા વાવતુ અમે બે દેવો અહીં પ્રાદુભૂત થયા છીએ અને (પછી) અમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદીએ છીએ નમીએ છીએ અને મનથીજ આ પ્રકારના પ્રશ્નો પૂછીએ. છીએ- હે ભગવન! આપ દેવાનુપ્રિયના કેટલા શિષ્ય સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે?” આ રીતે અમે શ્રમણ ભગવંત મહાવીરને મનથી પૂછ્યા પછી અમને પણ તે શ્રમણ ભગવંત મહાવીરે મનથીજ તેનો જવાબ આપ્યો કે- હે દેવાનુપ્રિયો! મારા સાતમેં શિષ્યો સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરશે” એ રીતે અમે મનથીજ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ અમને શ્રમણ ભગવંત મહાવીર તરફથી મન દ્વારાજ મળ્યા તેથી અમે શ્રમણ ભગવંત મહાવીરને વાદીએ છીએ, નમીએ છીએ અને યાવતુ-તેઓની પપાસના કરીએ છીએ. એમ કરીને (કહીને) તે દેવો ભગવાન્ ગૌતમને વાંદે છે, નમે છે અને પછી તેઓ જે દિશામાંથી પ્રગટ્યા હતા તેજ દિશામાં અંતર્ધાન થઈ ગયા. 230] હે ભગવન્!' એમ કહી ભગવાન ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને થાવતુ આ પ્રમાણે કહ્યું કે, હે ભગવન્! દેવો સંયત કહેવાય? હે ગૌતમ ! ના-એ અર્થ સમર્થ નથી-દેવોને સંયત કહેવા એ ખોટું છે. હે ભગવન! દેવો અસંયતાસંયત કહેવાય ? હે ગૌતમ! ના-એ અર્થ સમર્થ નથી-દેવોને સંયતાસંયત કહેવા એ અછતું છતું કરવા જેવું છે-ખોટું છે. હે ભગવન્! ત્યારે હવે દેવોને કેવા કહેવા? હે ગૌતમ દેવોને નોસંયત કહેવા [231] હે ભગવન્! દેવો કઈ ભાષામાં બોલે છે? અથવા દેવો જે ભાષાનો પ્રયોગ કરે છે તે ભાષાઓમાં વિશિષ્ટરૂપ કઈ ભાષા છે? હે ગૌતમ દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે અને ત્યાં બોલાતી ભાષાઓમાં પણ તેજ ભાષા-વિશિષ્ટરૂપ છે. [232] હે ભગવન્! કેવલી મનુષ્ય, અંતકરને કે ચરમશરીરવાળાને જાણે. જૂએ? હા, ગૌતમ! જાણે અને જૂએ. હે ભગવન્! જે પ્રકારે કેવલી મનુષ્ય, અંતકરને કે ચરમ- શરીરવાળાને જાણે અને જૂએ તે પ્રકારે છુધસ્થ મનુષ્ય અંતકરને કે અંતિમશરીર વાળાને જાણે, જૂએ ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. તો પણ સાંભળીને અથવા પ્રમાણથી છદ્મસ્થ મનુષ્ય પણ અંતકરને કે ચરમહિને જાણે અને જૂએ. “સાંભળીને તે શું ? સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલિના શ્રાવક પાસેથી, કેવલિની શ્રાવિકા પાસેથી, કેવલિના ઉપાસક પાસેથી, કેવલિની ઉપાસિકા પાસેથી, કેવલિના પાક્ષિકસ્વયંબુદ્ધ- પાસેથી, સ્વયંબુદ્ધના શ્રાવક પાસેથી, સ્વયંબુદ્ધની શ્રાવિકા પાસેથી, સ્વયંબુદ્ધના ઉપાસક પાસેથી, સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy