SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-પ, ઉદેસો-૨ 106 વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! ઈશલ્પરોવાત વગેરે વાયુઓ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવનું ! ઈષત્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય છે? હે ગૌતમ ! જ્યારે વાયુકાય ઉત્તરક્રિયાપૂર્વક-વૈક્રિય શરીર બનાવીને-ગતિ કરે છે ત્યારે ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ છે? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય છે ? હે ગૌતમ ! જ્યારે વાયકુમારો અને વાયુકુમારીઓ પોતાને, બીજાને કે બન્નેને માટે વાયુકાયને ઉદીરે છે ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! શું વાયુકાય, વાયુકાયનેજ શ્વાસમાં લે છે અને નિશ્વાસમાં મૂકે છે ? હે ગૌતમ ! એ સંબંધે બધું કુંદક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું યાવતુ- અનેક લાખ વાર મરીને, સ્પર્શ પામ્યા પછી, મરે છે અને શરીર સહિત નીકળે છે, [221] હે ભગવનું ! ઓદન, કુભાષ અને મદિરા, એ ત્રણે દ્રવ્યો ક્યાં જીવનાં શરીરો કહેવાય? હે ગૌતમ! ઓદન, કુલમાષ અને મદિરામાં જે ઘન (કઠણ) પદાર્થ છે તે પૂર્વભવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનાં શરીર છે. અને જ્યારે તે ઓદન વગેરે દ્રવ્યો શસ્ત્રોથી કૂટાય છે, શસ્ત્રથી પરિણમિત-નવા આકારનાં ધારક-થાય છે અને અગ્નિથી તેના વર્ગો બદલાય છે, અગ્નિથી ઝૂષિત-પૂર્વના સ્વભાવને છોડનારાં થાય છે, અગ્નિથી નવા આકારનાં ધારક બને છે ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીર કહેવાય છે, તથા સુરા માં જે પ્રવાહી પદાર્થ છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પાણીના જીવનાં શરીરો છે અને જ્યારે તે પ્રવાહી ભાગ શસ્ત્રથી કૂટાય છે યાવતુ-અગ્નિથી જુદ્ધ રંગને ધારણ કરે છે ત્યારે તે ભાગ,અગ્નિકાયનાં શરીરો છે એમ કહેવાય છે. હે ભગવન્! લોઢુંતાંબુ, ત્રપુ- સીસું, બળેલો પત્થર-કોયલો ને કસટ્ટિકા-કાટ, એ બધાં દ્રવ્યો કયા જીવના શરીરો કહેવાય? હે ગૌતમ! લોઢું, તાંબું, કલાઈ, સીસું કોયલો અને કાટ, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથિવીના જીવનાં શરીરો કહેવાય અને પછી-શસ્ત્ર દ્વારા કૂટાયા પછી અગ્નિના જીવનાં શરીરો કહેવાય. ' હે ભગવન્હાડકું, આગથી વિકૃત થએલા હાડકું, ચામડું, આગથી વિકૃત થએલ ચામડું, રુંવાડાં, આગથી વિકૃત થએલ રુંવાડાં, ખરી, આગથી વિકૃત થએલ ખરી, નખ, અને બળેલ નખ; એ બધાં કયા જીવના શરીરો કહેવાય ? હે ગૌતમ ! હાડકું, ચામડું, રૂંવાડાં, ખરી અને નખ, એ બધાં ત્રસ જીવનાં શરીરો કહેવાય અને બળેલ હાડકું બળેલ ચામડું, બળેલ રૂંવાડાં, બળેલ ખરી અને બળેલ નખ, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીર કહેવાય અને પછી-શસ્ત્ર દ્વારા સંઘષ્ટિત થયા પછીઅગ્નિના જીવના શરીરો કહેવાય. હે ભગવન્! અંગારો, રાખ, ભેસો અને છાણું, એ બધાં કયા જીવનાં શરીરો કહેવાય ? હે ગૌતમ ! અંગારો, રાખ, ભેસો અને છાણું, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એ કેદ્રિય જીવનાં શરીરો કહેવાય અને યાવતુ-થથાસંભવ પંચેન્દ્રિય જીવનાં શરીર પણ કહેવાય. તથા શસ્ત્રદ્વારા સંઘટિત થયા પછી યાવતુ અગ્નિના જીવનાં શરીરો કહેવાય. 22] હે ભગવન્! લણસમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો કહ્યો છે? હે ગૌતમ! એ પ્રમાણે-પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું એ પ્રમાણે યાવતુ-લોકસ્થિતિ, લોકાનુભાવ, હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ-વિહરે છે. શતક ૫-ઉદેસાઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy