SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 19 ભગવઈ-પ-૨૧૯ શ્રમણાયુષ્મન ! જેમ લવણસમુદ્રની હકીકત કહી તેમ કાલોદ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે, લવણને બદલે કાલોદનું નામ કહેવું. હે ભગવન્! અત્યંતર પુષ્કરાધમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને ઇત્યાદિ પૂછવું, હે ગૌતમ! ધાતકીખંડની વક્તવ્યતાની પેઠે અત્યંતર પુષ્કરાર્ધની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે, ધાતકી ખંડને બદલે અભ્યતર પુષ્કરાઈનો પાઠ કહેવો અને યાવતુ ‘અભ્યતર પુષ્કરામાં મંદરોની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ઉત્સર્પિણી નથી હોતી, પણ ત્યાં અવસ્થિત કાળ હોય છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે એમ કહી યાવતુવિચરે છે. શતક-પ-ઉદેસા-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક૨:-) [20] રાજગૃહ નગરમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! ઈષપુરોવાત-થોડા સ્નેહવાળા-થોડી ભીનાશવાળા-થોડા ચિકણા-વાયુ, વનસ્પતિ વગેરેને હિતકર વાયુ-પચ્યવાત, ધીમે ધીમે વાનારા વાયુ-મંદ વાયુઓ અને મહાવાયુઓ વાય છે? હે ગૌતમ ! હા, તે વાયુઓ વાય છે. હે ભગવન્! પૂર્વમાં ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત અને મહાવાત છે? હે ગૌતમ! હા, છે. એ પ્રમાણે પશ્ચિમમાં દક્ષિણમાં, ઉત્તરમાં, ઈશાન ખૂણામાં, અગ્નિ ખૂણામાં, નૈઋત ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં પણ તેમ સમજવું. હે ભગવન્! જ્યારે પૂર્વમાં ઈષત્પરોવાત, પશ્મવાત, મંદવાત અને મહાવાત. વાય છે ત્યારે પશ્ચિમમાં પણ ઈષપુરોવાત વગેરે વાય છે? અને જ્યારે પશ્ચિમમાં ઈષ~રોવાત વાય છે ત્યારે પૂર્વમાં પણ તે વાયુઓ વાય છે? હે ગૌતમ! જ્યારે પૂર્વમાં ઈષ~રોવાત વગેરે વાય છે ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે અને જ્યારે પશ્ચિમમાં ઈષત્પરોવાત વગેરે વાય છે ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એ પ્રમાણે બધી દિશાઓમાં અને ખૂણાઓમાં પણ સમજવું. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ દ્વીપમાં હોય છે? હા, હોય છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ સમુદ્રમાં હોય છે હા, હોય છે. હે ભગવન્! જ્યારે દ્વિીપના ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાતા હોય ત્યારે સમુદ્રના પણ ઈષપુરોવાત વગેરે વાયુઓ વાતા હોય ? અને જ્યારે સમુદ્રના તે બધા વાયુઓ વાતા હોય ત્યારે દ્વીપના પણ તે બધા વાયુઓ વાતા હોય? હે ગૌતમ! એ વાત ઠીક નથી. હે ભગવન્! તેનું શું કારણ કે, “જ્યારે દ્વીપના ઈષતપુરોવાતાદિ વાતા હોય ત્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ ન વાતા હોય ? અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે દ્વીપના ઈષત્પરોવાતાદિ ન વાતા હોય? હે ગૌતમ! તે વાયુઓ અન્યોઅન્ય વ્યત્યાસ્નવડે (એક બીજા સાથે નહિ પણ નોખા નોખા) સંચરે છે જ્યારે દ્વીપના. ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે સમુદ્રના ન થાય અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે દ્વીપના ન થાય એ રીતે એ વાયુઓ પરસ્પર વિપર્યયવહેવાય છે અને તે પ્રકારે તે વાયુઓ લવણસમુદ્રની વેળાને ઉલ્લંઘતા નથી તે કારણથી પાવતુ-પૂર્વ પ્રમાણે વાયુઓ વાય છે. એ રીતે કહ્યું છે. હે ભગવન્! ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત ને મંદાવાત છે? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! ઈશલ્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય છે? હે ગૌતમ ! જ્યારે વાયુકાય પોતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે ત્યારે ઈષત્પરોવાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy