SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૮ 391 કપાટને સંકોચે. આઠમા સમયમાં દંડને સંકોચે પછી આત્મા સ્વશરીરસ્થ થાય. [9] પુરૂષાદાનીય અરિહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર થયા છે. આ પ્રમાણે-શુભ, શુભધોષ, વશિષ્ઠ. બહ્મચારિક, સોમ, શ્રીધર, વીરભદ્ર, યશસ્વી. ' [1] આઠ નક્ષત્રો ચંદ્રની સાથે પ્રમાદયોગ કરે છે. ચંદ્રમા આ આઠ નક્ષત્રોની મધ્યમાં થઈને હોય છે. ત્યારે પ્રમર્દ નામનો યોગ થાય છે. તે આઠ નક્ષત્રો---કૃત્તિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ સાગરોપમની છે. અચિ, અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂર્યાભ. સુપ્રતિષ્ઠાભ, અગિચ્યાભરિષ્ટાભ, અરૂણાભ, અરૂણોત્તરાવતંસક, આ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની છે. તેઓ આઠપખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને આઠ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ આઠ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોને અંત કરશે. સમવાય-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછા પૂર્ણ (સમવાય-૯) [૧૧]બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ પ્રકારે છે–સ્ત્રી,પશુ અને નપુસંકના સંસર્ગથી યુક્ત સ્થાન અથવા આસનનો ઉપયોગ ન કરવો, સ્ત્રીકથા ન કરવી, સ્ત્રીઓ જે સ્થાન પર બેઠી હોય તે સ્થાન પર એક મુહૂર્ત સુધી ન બેસવું સ્ત્રીની મનોહર-મનોરમ ઈન્દ્રિયોને રાગ ભાવથી પ્રેરાઈને ન જોવી, પ્રચુર વૃતાદિયુક્ત વિકારવર્ધક આહાર ન લેવો, અધિક ભોજન ન કરવું. સ્ત્રીઓ સાથે પૂર્વે જે કામ ભોગો ભોગવ્યા હોય તેનું સ્મરણ ન કરવું. સ્ત્રીના કામોદ્દીપક શબ્દને ન સાંભળવા, સ્ત્રીઓનું સૌન્દર્ય ન જોવું તેમજ ગંધ રસ સ્પર્શ આદિ વિષય સુખની અભિલાષા ન કરવી અને કાયિક સુખમાં આસકત ન હોવું તે બ્રહ્મચર્યની નવમી ગુપ્તિ છે. બ્રહ્મચર્યની અગુપ્તિઓ નવ પ્રકારની છે. તે પૂર્વ કથિત નવ ગુપ્તિઓથી વિપરીત જાણવી. ૧૨આચરણ કરવું તે. આચારાંગના પ્રથમ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવ અધ્યવનો છે– શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોહાયતન, ઉપધાન-શ્રુત, મહાપરિજ્ઞા. ૧૩૫રૂષોમાં આદાનીય અરિહંત પાર્શ્વનાથ નવ હાથ ઉંચા હતા. અભિજીત નક્ષત્રનો નવમુહૂર્તથી થોડા વધારે સમય સુધી ચંદ્રની સાથે યોગ થાય છે. અભિજીત આદિ નવ નક્ષત્રો ચંદ્રનો ઉત્તરની સાથે સંબંધ કરે છે, અભિજીત શ્રવણ યાવતુ ભરણી સુધી. આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમતલ રમણીય ભૂમિભાગથી નવસો યોજનની અવ્યવહિત ઉંચાઈ ઉપર ઉપરી તારામંડળ ભ્રમણ કરે છે. નવયોજન પ્રમાણવાળા. મસ્યો જંબુદ્વીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં પ્રવેશ કરતા હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy