SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 288 ઠાણે-૪ર૩૨૯ વન, આમ્રવન. તે પુષ્કરણીઓના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તેમની ઉંચાઈ 4000 યોજન અને ભૂમિમાં 1000 યોજનની છે. તે પર્વતો સર્વત્ર પ્રત્યેકની સમાન આકારવાળા છે. તેમની પહોળાઈ 10000 યોજનની છે. અને ઘેરાવો 31623 યોજનનો છે. તે બધા રત્નમય છે યાવતું રમણીય છે. તે દધિમુખ પર્વતોનો ઉપરનો ભાગ સમતલ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતોની સમાન કહેવું જઈએ યાવતુ ઉત્તરમાં આમ્રવન છે ત્યાં સુધી. દક્ષિણ દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ છે. ભદ્રા, વિસાલા, કુમુદ, અને પુંડરીકિણી, પૂર્વવતુ પુષ્કરણીઓનું શેષ વર્ણન-વાવતુ - દધિમુખપર્વત વનખંડ પર્વત સુધી પૂર્વવતું કહેવું. પશ્ચિમ દિશાના અંજનક પર્વતોની ચારેય દિશાઓમાં ચાર નિંદા પુષ્કરણીઓ છે. નંદિસેના અમોઘા, ગોસૂપા ને સુદર્શના. શેષ વર્ણન પૂર્વવતું. સમજવું. દધિમુખ પર્વતો, સિદ્ધાયતનો વાવતુ વનખંડો પહેલાની જેમ જ જાણવા. ઉત્તર દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં પણ ચાર નંદા, પુષ્કરણીઓ છે. તેમના નામ વિજ્યા, વૈજયન્તી, જયન્તી, અપરાજિતા, શેષ વર્ણન પૂર્વવતુ ચક્રવાલ વિધ્વંભવાળા નંદીશ્વરદ્વીપની મધ્યભાગમાં ચાર વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો છે જેમકે- ઉત્તર પૂર્વમાં દક્ષિણ પૂર્વમાં દક્ષિણ પશ્ચિમમાંઉત્તર પશ્ચિમ માંતે બધા રતિકર પર્વતો 1000 યોજન ઉંચા છે. 1000 ગાઉ ભૂમિમાં ઉંડા છે. ઝાલરની જેમ સર્વત્ર સમ સંસ્થાનવાલા છે. 10000 યોજન તેની ચોડાઇ છે. 31623 યોજન તેની પરિધિ છે. દરેક રત્નમય છે સ્વચ્છ છે. યાવતુ-રમણીય છે. ઉત્તર પૂર્વમાં સ્થિત રીતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અઝમહિષી ઓની જબૂઢીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ આ છે. નંદુત્તરા, નંદા, ઉત્તરકુરા અને દેવકુરાચાર અગ્રમહિષિઓના નામ- કૃષ્ણા, કૃષ્ણરાજા, રામ અને રામરક્ષિતા આ ચાર અઝમહિષિઓની ઉપરની ચાર રાજધાનીઓ છે. દક્ષિણ પૂર્વમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અઝમહિણીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે. તેના નામ શ્રવણ, સૌમનસા, અર્ચમાલી અને મનોરમાં. ચાર અઝમહિષીઓના નામ પદ્મા, શિવા, શચી, અંજૂ. આ અગ્રમહિષી- ઓની અનુક્રમથી ઉપરની રાજધાનીઓ છે. દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અગ્નમહિષીઓની જબૂદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ ભૂતા, ભૂતાવતંસા, ગોસ્તૂપા, સુદર્શના. અગ્રમહિષીઓ-અમલા, અપ્સરા, નવામિકા અને રોહિણી. આ ચાર અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અમહિષીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી રાજધાનીઓ છે રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના અને રત્નસંચયા. અગ્રમહિષીઓવસ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. આ અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. [330 સત્ય ચાર પ્રકારની છે નામસત્ય, સ્થાપના સત્ય, દ્રવ્યસત્ય, ભાવસત્ય. ૩૩૧]આજીવિકા મતવાળાઓના તપ ચાર પ્રકારે છે, જેમકે-ઉગ્રતપ ધોરતપ. રસનિયંહ (રસત્યાગ)તપ, જિલૅન્દ્રિય પ્રતિસલીનતા. [૩૩]સંયમ ચાર પ્રકારના છે. જેમકે- મનસંયમ વચનસંયમ, કાયસંયમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy