SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૨ 287 [૩ર૭ વલયાકાર વિધ્વંભવાળા નંદીશ્વર દ્વીપની મધ્યમાં ચાર દિશાઓમાં ચારઅંજનક પર્વત છે. તે અંજનક પર્વત 84,000 યોજન ઉંચા છે અને 1000 યોજના ભૂમિમાં છે, તે પર્વતોના મૂલનો વિખંભ 10000 યોજનાનો છે, ત્યાર પછી ક્રમશઃ ઓછો થતો થતો ઉપરનો વિખંભ 1000 યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં 31623 યોજનની છે. પછી ક્રમશઃ ઓછી થતી થતી ઉપરની પરિધિ 3166 યોજનની છે. તે પર્વતો મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડા, અને ઉપરમાં પાતળા અર્થાત્ ગાયના પૂચ્છની આકૃતિવાળા છે. બધા અંજનક પર્વતો અંજન મય છે, સ્વચ્છ છે કોમલ છે, ઘુંટેલા અને ઘસેલા છે. રજમલ અને કર્દમ રહિત છે.સ્વતઃ ચમકવાવાળા છે. તેમાંથી કિરણો નીકળે છે તેથી ઉદ્યોતિત છે, તેને જોવાથી મન પ્રસન્ન થાય છે. તે પર્વત દર્શનીય છે મનોહર છે અને રમણીય છે. તે અંજનક પર્વતોના ઉપરનો ભાગ સમતલ છે, સમતલ ઉપરિયલોના મધ્ય ભાગમાં ચાર સિદ્ધાયતનો - ચૈત્યો છે. તે સિદ્ધાયતનો ચેત્યોની લમ્બાઈ 100 યોજનની છે પહોળાઈ 50 યોજનની છે અને ઉંચાઈ 72 યોજનની છે. તે સિદ્ધાંતનોની ચાર દિશાઓમાં ચાર દ્વાર છે, જેમકે- દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર સુવર્ણદ્વાર. તે દ્વારા પર ચાર પ્રકારના દેવો રહે છે, જેમકે- દેવ, અસુર, નાગ અને સુવર્ણ. તે દ્વારોની આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપોની આગળ ચાર પ્રેક્ષાઘર મંડપો છે. તે પ્રેક્ષાઘર મંડપોની મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડાઓની મધ્ય ભાગમાં ચાર મણિ પીઠિકાઓ છે. તે મણિપીઠીકાઓની ઉપર ચાર સિંહાસન છે તે સિંહાસનોની ઉપર ચાર વિજયદુષ્ય છે. તે વિજય દૂષ્યોની મધ્ય ભાગમાં ચાર વજમય અંકુશ છે. તે વજય અંકુશોપર લઘુ કુંભાકાર મોતીઓની ચાર માળાઓ છે. પ્રત્યેક માળા અર્ધ પ્રમાણવાળી ચાર-ચાર મુક્તામાળાઓથી ઘેરાયેલી છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ચાર મણિપીઠીકાઓ છે. તે મણીપીઠિકાઓ પર ચાર ચૈત્ય સ્તૂપ છે. પ્રત્યેક ચેત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર-ચાર મણિપીઠીકાઓ છે. પ્રત્યેક મણિપીઠીકા પર પડદાસન વાળી અને સ્તૂપાભિમુખ સર્વરત્નમય ચાર જિન પ્રતિમાઓ છે. તેમના નામ-ઋષભ વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ. તે ચૈત્ય સ્તૂપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર ચૈત્ય વૃક્ષો છે. તે ચૈત્યવક્ષોની સામે ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર મહેન્દ્ર ધ્વજાઓ છે. તે મહેન્દ્ર ધ્વજાઓની સામે ચાર નંદા પુષ્કરણીઓ છે. પ્રત્યેક પુષ્કરણીની ચારે દિશાઓમાં ચાર ચાર વનખંડો છે. [328] પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં આમ્રવન. [32] પૂર્વ દિશાવતી અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા- પુષ્કરણીઓ છે. નંદુતરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના, તે પુષ્કરણીઓની લંબાઈ એક લાખ યોજન છે. પહોળાઈ પચાસ હજાર યોજનની છે અને ઉંડાઈ એક હજાર યોજનની છે. પ્રત્યેક પુષ્કરણીની ચાર દિશાઓમાં ટિસોપાન પ્રતિરૂપક છે. તે ત્રિસપાન પ્રતિરૂપકોની સામે પૂવદિ ચાર દિશાઓમાં ચાર તોરણો છે. પ્રત્યેક તોરણની પૂવદિ ચાર દિશાઓમાં ચાર વનખંડો છે. વનખંડોના નામ અશોકવન, સપ્તપર્ણવન,ચંપક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy