SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 286 ઠાણ-૪૨૩૨૪ તે દીપોની ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં સાતસો સાતસો યોજન જવા પર ચાર અન્તદ્વીપ છે. જેમકે- અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ અને કણખાવરણદ્વિીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો છે, જેમકે- અશ્વકર્ણ, હસ્તિકર્ણ, અકર્ણ અને કર્ણ પ્રાવરણ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં આઠસો-આઠસો યોજન જવા પર ચાર ચાર અન્તર દ્વીપ છે. જેમકે - ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિદ્યુત્સુખદ્વીપ અને વિશુદન્તદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમકે- ઉલ્કામુખ મેઘમુખ વિમુખ અને વિદ્યુદત્તમુખ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં નવસો નવસો યોજન જવા પર ચાર દ્વીપ જેમકે- ઘનદન્તદીપ, લખુદન્ત,દ્વીપ, ગૂઢદન્તદ્વીપ, શુદ્ધદત્તદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય છે, જેમકે- ધનંદન્ત, લખન્ત, ગૂઢદત, શુદ્ધદેત. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના ઉત્તરમાં અને શિખરી વર્ષધર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. અન્તરદ્વીપોના નામો અને ત્યાં રહેનારા મનુષ્યોના નામો ચુલ્લહિમવંત સંબંધી અત્તરદ્વીપો અને ત્યાંના મનુષ્યોમાં નામો પ્રમાણે બધા સમજી લેવા જોઇએ. 325] જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં 95000 યોજન જવા પર મહાઘટના આકારવાળા મહાપાતાળ કલશ છે જેમકેવલયામુખ, કેતુક યુવક અને ઈશ્વર. તે ચાર મહાપાતાલ કળશોમાં એક પલ્યોપમની. સ્થિતિ વાળા ચાર મહર્ષિક દેવ રહે છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. જમ્બુદ્વીપની બાહ્ય વેદીકાથી ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં 42,000 યોજન જવા પર ચાર વેલન્ધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે, જેમકે- ગૌસ્તુભ, ઉદકભાસ, શંખ, દકસીમ. તે ચાર આવાસ પર્વતો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્થિક દિવ રહે છે, જેમકે- ગોસ્તૂપ, શિવક, શંખ અને મનશિલ. જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં 42,000 યોજન જતા અનુવેલંધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે. કર્કોટક, કર્દમક, કૈલાશ, અરૂણપ્રભ. તે ચાર આવાસપર્વતોમાં એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્ધિક દેવો રહે છે, તે દેવોના નામ પર્વતોની સમાન છે. લવણ, સમુદ્રમાં ચાર ચન્દ્રમાં અતીતમાં પ્રકાશિત થયા હતા. વર્તમાનમાં પ્રકાશિત થાય છે. ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમા અતીતમાં પ્રકાશિત થયા હતા, વર્તમાનમાં થાય છે, ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અતીતમાં તપ્યા હતા. વર્તમાનમાં તપે છે. અને ભવિષ્યમાં તપશે. એ પ્રકારે ચાર કૃતિકા યાવતુ ચાર ભાવકેતુ સુધી સૂત્રો કહેવા જોઈએ લવણ સમુદ્રના ચાર દ્વાર છે. તે દ્વારો ચાર યોજન વિખંભવાળા અને ચાર યોજન પ્રવેશવાળા છે. નામ વિજય, વૈજયન, જયન્ત અને અપરાજીત. તે દ્વારો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવ રહે છે. તેઓના નામ જબૂદ્વીપના દ્વારો પર રહેવાવાળા દેવોની સમાન છે. 326 ઘાતકીખંડ દ્વીપનો વલયાકાર વિષ્કમ ચાર લાખ યોજનાનો છે. જમ્બુદ્વીપની બહાર ચાર ભરત ક્ષેત્ર અને બે ઐરાવત ઘાતકીખંડ દીપમાં અને બે-બે અર્ધપુષ્કર દ્વીપમાં છે. એ પ્રકારે પુષ્કરાળંદ્વીપના પૂર્વાર્ધ પર્યન્ત મેરૂચૂલિકા સુધીના પાઠની પુનરાવૃત્તિ કરી અને તેમાં સર્વત્ર ચારની સંખ્યા કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy