SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 271 સ્પન-૪, ઉદેસી-૧ માવવાની ઇચ્છા કરે છે પરન્તુ આવવામાં સમર્થ થતો નથી. જેમકે નરલોકમાં નવીન ઉત્પન્ન થયેલ નરયિક ત્યાં થતી પ્રબલ વેદનાનો અનુભવ કરતો થકો મનુષ્ય લોકમાં શીઘ આવવાની ઇચ્છા કરે છે પરન્તુ શીધ્ર આવવામાં સમર્થ થતો નથી. નરકભૂમિમાં નવીન ઉત્પન્ન થયેલ નૈરયિક નરકપાલો વડે પુનઃ પુનઃ આક્રાન્ત થવા પર મનુષ્ય લોકમાં જલ્દી આવવાની ઈચ્છા કરે છે પરંતુ આવવામાં સમર્થ થતો નથી. નરકભૂમિમાં નવીન ઉત્પન થયેલ નૈરકિ નરકવેદનીય કર્મના ક્ષીણ ન થવાથી વેદના વેદી લીધી ન હોવાથી, અને તે કર્મની નિર્જરા ન હોવાથી ઇચ્છા કરવા પર પણ મનુષ્ય લોકમાં આવવામાં સમર્થ થતો નથી. આ પ્રમાણે નરકાયુ કર્મ ક્ષીણ ન હોવાથી-યાવતુ - આવવામાં સમર્થ થતો નથી આ ચાર કારણોથી નવીન ઉત્પન્ન નૈરયિક મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા પર પણ આવવામાં સમર્થ થતો નથી. [26] સાધ્વીને ચાર સાડીઓ ધારણ કરવા અને પહેરવાને માટે કહ્યું છે. એક બે હાથવિસ્તારની, બે ત્રણ હાથવિસ્તારવાળી, એક ચારહાથ વિસ્તારની. [21] ધ્યાન ચાર પ્રકારે કહેલ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલ ધ્યાન. આર્તધ્યાન ચાર પ્રકારનું છે. અમનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થવા પર તેને દૂર કરવાની ચિન્તા, મનોજ્ઞવસ્તુની પ્રાપ્તિ થવા પર તે દૂર ન થાય તેની ચિન્તા બીમારી થવા પર તેને દૂર કરવાની ચિન્તા થવી. પ્રાપ્ત કામભોગ નો વિયોગ ન થાય તે ચિંતા,આર્તધ્યાનના ચાર લક્ષણ છે - આક્રન્દ કરવું, શોક કરવો, આંસુ પાડવા, વિલાપ કરવો. રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે, યથા- હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ કહેલ છે, જેમકે- હિંસાદિ દોષોમાંથી કોઇ એકમાં અત્યન્ત પ્રવૃત્તિ કરવી, હિંસાદિ બધા દોષોમાં બહુવિધ પ્રવૃત્તિ કરવી. હિંસાદિ અધર્મ કાર્યમાં ધર્મ બુદ્ધિથી અથવા અભ્યદય માટે પ્રવૃત્તિ કરવી. મરણ સુધી હિંસાથી કૃિત્યો માટે પશ્ચાતાપ ન કરવું. | ધર્મધ્યાન સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા રૂપ ચાર પદોથી ચિત્તનીય છે. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેલ છે. -આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ, અવગાઢ- રુચિ, ધર્મધ્યાનના ચાર આલમ્બન છે.-વાચના, પૃચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ છે, એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુ- પ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. શુકલધ્યાનના ચાર પ્રકાર કહેલ છે, જેમકે પૃથક–વિતર્ક સવિચારી, એકત્વ વિતર્ક અવિચારી, સૂક્ષ્મ-ક્રિયા અનિવૃત્તિ. સમુચ્છિન્નક્રિયા પ્રતિપાદિત શુકલ ધ્યાનમાં ચાર લક્ષણ છે, - અવ્યય, અસંમોહ, વિવેક, વ્યુત્સર્ગ. શુલ ધ્યાનના ચાર આલમ્બન છે, જેમકે- ક્ષમા, નિર્મમત્વ મૃદુતા અને સરલતા. શુક્લ ધ્યાનની ચાર ભાવનાઓ છે. અનન્તવતિતાનુપ્રેક્ષા, વિપરિણામોનુપ્રેક્ષા, અશુભાનુ- પ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા. 262 દેવોની સ્થિતિ (ક્રમ મયદા) ચાર પ્રકારની છે. જેમકે-કોઈ સામાન્ય દેવ હોય છે, કોઈ દેવોમાં સ્નાતક હોય છે, કોઈ દેવ પુરોહિત હોય છે, કોઈ દેવ સ્તુતિપાઠક હોય છે. ચાર પ્રકારના સંવાસ (મૈથુન માટે સહનિવાસ) કહેલ છે, જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંવાસ કરે છે, કોઈ દેવ મનુષ્યનારી અથવા તિર્યંચ સ્ત્રી સાથે સંવાસ કરે છે, કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy