SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ થયા તેમ તેમ 272 ઠા-૪૨૬૨ મનુષ્ય અથવા તિથી પુરુષ દેવી સાથે સંવાસ કરે છે, કોઈ મનુષ્ય અથવા તિર્યંચ પુરુષ માનુષી અથવા તિર્યંચની સાથે સંવાસ કરે છે. [263-264] ચાર કષાય કહેલ છે, જેમકે- છોધકષાય, માનકષાય, માયાકષાય, અને લોભકષાય. તે ચારે કષાય નારક ચાવતુ વૈમાનિકોમાં એટલે ચોવીસ દંડકોમાં મળે છે. કોબના ચાર આધાર કહેલ છે, જેમકે- આત્મપ્રતિષ્ઠિત, પઐતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત. તે ક્રોધના ચાર આધાર નૈરયિકથાવતુ-વૈમાનિક સુધી બધા દંડકોમાં મળે છે. એ પ્રમાણે-ચાવતુ-લોભના પણ ચાર આધાર છે. માન, માયા, લોભના ચાર આધાર વૈમાનિક સુધી બધા દેડકોમાં જાણવું. ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. ક્ષેત્રના નિમિત્તથી, વસ્તુના નિમિત્તથી, શરીરના નિમિત્તથી અને ઉપધિના નિમિત્તથી. એ પ્રમાણે દેડકોની અપેક્ષાએ નારક ચાવતુ-વૈમાનિક સુધી જાણવું જોઈએ. એ પ્રમાણે યાવતુ લોભની ઉત્પત્તિ પણ ચાર પ્રકારથી થાય છે. તે માન, માયા અને લોભની ઉત્પત્તિ નારક-જીવોથી લઈને વૈમાનિક સુધી બધામાં જાણવી.. ચાર પ્રકારના ક્રોધ કહેલ છે. જેમકે- અનન્તાનુબન્ધી ક્રોધ, અપ્રત્યાખ્યાન ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, સંજ્વલન ક્રોધ. આ ચારે પ્રકારના કોધ નારક-ચાવતુ- વૈમાનિકોમાં હોય છે. એ પ્રમાણે યાવતું લોભ પણ વૈમાનિક સુધી બધા જીવોમાં જાણવું. ચાર પ્રકારના ક્રોધ કહે છે-આભોગનિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાંત ક્રોધ, અનુપશાંત ક્રોધ. આ ચારે પ્રકારના ક્રોધ નૈયરિકચાવતુ-વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં હોય છે. એમ પ્રમાણેચાવતુ ચાર પ્રકારના લોભ જાણવા. નારકોથી વૈમાનિકો સુધી જાણવું. ચાર કારણોથી જીવોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે. જેમકે-ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. નારકોથી વૈમાનિક સુધી એ જ કહેવું. એવી જ રીતે ચયન કરે છે. અને ચયન કરશે. આ ચયન સંબંધી ત્રણ દેડક સમજવા. એ પ્રમાણે ઉપચય કર્યો, કરે છે અને કરશે. એ પ્રમાણે બંધ કયોં કરે છે અને કરશે. એ પ્રમાણે ઉદીરણા. કરી છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વેદન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે નિર્જરા કરી છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં “ઉપચય- યાવતુનિર્જરા કરે છે.” એમ ત્રણ-ત્રણ દેડક સમજવા. [25] ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલી છે. જેમકે- સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગ પ્રતિમાં. ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલ છે, જેમકે-ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. પ્રતિમાના આ પ્રમાણે પણ ચાર પ્રકાર છેશુદ્ધિકામોકપ્રતિમા, મહતિકામોક પ્રતિમા, યવમધ્યા અને વજમધ્યા. [26] ચાર અજીવ અસ્તિકાય કહેલ છે. જેમકે-ધમસ્તિકાય, અધમસ્તિકાય. આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય. ચાર અરપી અસ્તિકાય કહેલ છે, જેમકેધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય. [27] ચાર પ્રકારના ફળ કહેલ છે, જેમકે- કોઈ કાચું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઈ કાચું હોવા પર પણ અધિક મીઠું હોય છે, કોઈ પાકું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઇ પાકું હોવા પર અધિક મીઠું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- શ્રુત અને વયથી અલ્પ હોવા છતાં પણ થોડા મીઠા ફળની સમાન અલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy