SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 266 ઠા-૩/૪૨૨૪ વિચરીશ! આ ત્રણે ભાવનાને શુદ્ધ મન, વચન અને કાયાથી ભાવતો પર્યાલોચન કરતો શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાનને પામે છે. | [22] ત્રણ કારણોથી પુદ્ગલથી ગતિમાં પ્રતિઘાત કહેલ છે. પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ સાથે અથડાવાથી પ્રતિઘાત પામે છે. રુક્ષ હોવાથી ગતિમાં પ્રતિઘાતવાળો થાય છે. લોકાન્તમાં ગતિના પ્રતિઘાતવાળો થાય છે. [22] ચક્ષુવાળા ત્રણ પ્રકારના કહેલ છે- એક નેત્રવાળા, બે નેત્રવાળા અને ત્રણ નેત્રવાળા. છદ્મસ્થ મનુષ્ય એક ચક્ષુવાળો, દેવી બે ચક્ષુવાળા, તથારૂપ શ્રમણ માહન ત્રણ ચક્ષુવાળા કહેલ છે. [227] અભિસમાગમ (વિશિષ્ટ જ્ઞાન) ત્રણ પ્રકારના કહેલ છે- ઉધ્વભિસમાગમ, અધોઅભિસમાગ અને તિયગભિસમાગમ. જ્યારે તથારૂપ શ્રમણ માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સર્વપ્રથમ ઉર્વ લોકના પદાર્થને જાણે છે. ત્યાર પછી તિર્યશ્લોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. ત્યાર પછી અધોલોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. હે આયુષ્યમનું શ્રમણ ! અધોલોકનું જ્ઞાન મુશ્કેલીથી થાય છે. [228] ઋદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે દેવદ્ધિ, રાજદ્ધિ, અને ગણિદ્ધિ, આચાર્યની ઋદ્ધિ. દેવની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જેમકે વિમાનની ઋદ્ધિ, વૈક્રિયની ઋદ્ધિ અને પરિચારણાની ઋદ્ધિ. બીજી રીતે દેવદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- સચિન, અચિત્ત અને મિશ્ર. રાજર્તિના ત્રણ ભેદ. છે, જેમ કે રાજાની અતિયાનધિ, રાજાની નિયણદ્ધિ રાજાની બલવાહન કોષ્ઠાગાદ્ધિ અથવા રાજદ્ધિના ત્રણ પ્રકારે છે, સચિત્ત, આચિત્ત અને મિશ્રિત. ગણી ની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જ્ઞાનાદ્ધિ,દર્શનદ્ધિ અને ચારિત્રદ્ધિ અથવા ગણદ્ધિના ત્રણ પ્રકાર છે- સચિત્ત, અચિત્ત અને મિશ્રિત. [22] ત્રણ પ્રકારનું ગૌરવ કહેલ છે- ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને સતાગૌરવ. [23] ત્રણ પ્રકારનું કરણ ધાર્મિક, અધાર્મિક, અને ધાર્મિક ધાર્મિક [31] ભગવાને ત્રણ પ્રકારનો ધર્મ કહેલ છે. સુઅધીત ધર્મ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું સુષ્માત ધર્મ, સમ્યફ ચિન્તન કરવું સુતપસ્થિત ધર્મ (તપની આરાધના]. જ્યારે સારી રીતે ધ્યાન-ચિંતન થાય છે. ત્યાં શ્રેષ્ઠ તપનું આરાધન થાય છે. એ પ્રમાણે ભગવંતે સુ-અધીત ધર્મ, સંધ્યાત ધર્મ અને સુતપસ્થિત ધર્મ કહેલ છે. [232] વ્યાવૃત્તિ હિંસા આદિથી નિવૃત્તિ ત્રણ પ્રકારે છે, જેમકે-જ્ઞાનયુક્ત, અજ્ઞાનયુક્ત અને સંશયથી કરાતી વ્યાવૃત્તિ. એ પ્રમાણે પદાર્થોમાં આસક્તિ અને પદાર્થોનું ગ્રહણ પણ ત્રણ પ્રકારે છે. [233] ત્રણ પ્રકારના અંત કહેલ છે, જેમ કે લોકાન્ત, વેદાન્ત અને સમયાન્ત. [23] જિન ત્રણ પ્રકારે કહેલ છે. જેમકે અવધિજિન, મન:પર્યવજિન, કેવલીજિન. ત્રણ પ્રકારના કેવળી કહેલ છે. જેમકે- અવધિજ્ઞાનીકેવળી, મન પર્યાવજ્ઞાનીકેવળી અને કેવળજ્ઞાનીકેવળી ત્રણ પ્રકારના અહા કહેલ છે. જેમકે અવધિજ્ઞાની અહત, મનઃસ્પર્ધવજ્ઞાનીઅહંત, કેવલજ્ઞાની અહંત. [35] ત્રણલેશ્યાઓ દુર્ગધવાળી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. ત્રણલેશ્યાઓ સુગંધવાળી છે- તેજલેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યા. એ પ્રમાણે દુર્ગતિમાં લઈ જનારી, સુગતિમાં લઈ જનારી, અશુભ, શુભ, અમનોજ્ઞ, મનોશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy