SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસો-૪ 265 લોલુપ અને અત્યંત ક્રોધી ત્રણ વાચના દેવા યોગ્ય છે. વિનીત,ઘી આદિ વિકૃતિઓમાં અલોલુપ કોધ ને ઉપશાન્ત કરવાવાળો. ત્રણને સમાવવા મુશ્કેલ છે. દુષ્ટને મૂઢને અને કગરૂ આદિના સંયોગથી જેને બુદ્ધિ વિપરિત થઈ હોય એવા ભરમાવેલને. ત્રણને સરલતાથી સમજાવી શકાય છે. અદુષ્ટને, અમુઢને અને કુગુરૂ વડે નહિ ભરમાવેલને _૨૧૮]ત્રણ માંડલિક પર્વત કહેલ છે. જેમકે- માનુષોત્તર પર્વત, કુંડલવર પર્વત, ચશ્વર પર્વત. [૨૧]ત્રણને સૌથી મોટા કહેલ છે. જેમકે- બધા મેરૂપર્વતોમાં બુદ્વીપનો મેરૂપર્વત, સમુદ્રોમાં સ્વયંભૂમરણ સમુદ્ર કલ્પોમાં બ્રહ્મલોક કલ્પ. [22] ત્રણ પ્રકારની કલ્પસ્થિતિ કહેલ છે. જેમકે- સામાયિક કલ્પસ્થિતિ, છેદોપ-સ્થાપનીય કલ્પસ્થિતિ અને નિર્વિશમાન કલ્પસ્થિતિ અથવા ત્રણ પ્રકારની કલ્યસ્થિતિ કહેલી છે. નિર્વિષ્ટકલ્યસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને વિકલ્યસ્થિતિ. [221 નારક જીવોને ત્રણ શરીર કહેલ છે, જેમકે- વૈક્રિય, તૈજસ અને કામણ. અસુરકુમારોને ત્રણ શરીર નૈરયિકોની સમાન છે. એ પ્રમાણે બધા દેવોને સમજવા. પૃથ્વીકાયને ત્રણ શરીર કહેલ છે- ઔદ્યરિક, તૈજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાયને છોડીને ચૌરીન્દ્રિય સુધી ત્રણ શરીર જાણવા. [222] ત્રણ ગુર સમ્બન્ધી પ્રત્યેનીક કહેલ છે- આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયનો પ્રત્યેનીક, સ્થવિરનો પ્રત્યેનીક. ગતિ સંબંધી ત્રણ પ્રત્યેનીક કહેલ છે. જેમકે- ઈહલોક પ્રત્યેનીક, પરલોકપ્રત્યેનીક, ઉભયલોક-પ્રત્યનીક. સમુહની અપેક્ષા એ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે- કુલપ્રત્યેનીક, ગણપ્રત્યનીક સંઘપ્રત્યનીક. અનુકમ્પાની અપેક્ષાથી, ત્રણ પ્રત્યેનીક છે. તપસ્વી-પ્રત્યેનીક, ગ્લાન-પ્રત્યેનીક શૈક્ષ પ્રત્યેનીક, ભાવની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે-જ્ઞાન પ્રત્યેનીક, દર્શન-પ્રત્યેનીક, ચારિત્રપ્રત્યનીક. શ્રુતની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે- સૂત્રપ્રત્યેનીક, અર્થ પ્રત્યેનીક, તદુભય-પ્રત્યનીક. [223] ત્રણ અંગ પિતાના વીર્યથી પ્રાપ્ત થાય છે- અસ્થિ, અસ્થિમજ્જા અને કેશરમથુ રોમ નખ, ત્રણ અંગ માતાના આર્તવથી પ્રાપ્ત થાય છે, જેમકે- માંસ, શોણિત અને મગજ. [224] ત્રણ કારણોના સર્ભાવમાં શ્રમણ નિર્ણય કર્મક્ષપણરૂપ મહાનિર્જરાવાળો તથા મહાપર્યવસાન વાળો થાય છે. ક્યારે હું થોડા અથવા અધિક મૃતનું અધ્યયન કરનારો બનીશ ! ક્યારે હું એકાકીવિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને વિચરીશ ક્યારે હું સવન્તિમ મારણાંતિક સંલેખનાનું સેવન કરીને ભક્તપાનના પ્રત્યાખ્યાનપૂર્વક મૃત્યની આકાંક્ષા કર્યા વિના પાદોપગમન સંથારો ધારણ કરીશ ! આ પ્રકારની ત્રણ ભાવનાને મન, વચન અને કાયાથી ભાવતો. અથવા ચિંતન કરતો નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન વાળો થાય છે. ત્રણ કારણોથી શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાન કરવાવાળો થાય છે. તે આ પ્રમાણે ક્યારે હું થોડા કે વધારે પરિગ્રહનો ત્યાગ કરનાર બનીશ ! ક્યારે હું મુંડિત થઈ ગૃહ- સ્થાવાસનો ત્યાગ કરી અણગાર અવસ્થા અંગીકાર કરીશ. ક્યારે હું મારણાંતિક સંખના ઝુસણાથી ઝૂસીત થઈને આહાર પાણીનો ત્યાગ કરીને પાદપોપગમન સંથારો કરીને મૃત્યુની ઈચ્છા નહિ કરતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy