SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 264. ઠાણ- ૩/૪ર૧૧ ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. આ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં, અકર્મભૂમિઓથી લગાવીને અન્તરનદીઓ સુધી બધુ કથન સમાન સમજવું જોઈએયાવત અધપુષ્કર દ્વીપના પશ્ચિમાધિમાં પણ આ પ્રકારે જાણવું. [૧૨ત્રણ કારણોથી પૃથ્વીનો થોડા ભાગ ચલાયમાન થાય છે, જેમ કેરત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં જ્યારે બાદર પુદ્ગલ વિસસા પરિણામથી પોતાના સ્થાનમાંથી ઉછળે છે. અથવા બીજા સ્થાનથી આવીને પડે છે. ત્યારે તેઓ પૃથ્વીના એક દેશને કંપાવે છે. મહાદ્ધિવાળા- યાવતુ - મહેશ્વરરૂપે પ્રસિદ્ધ મહોરગ દેવ આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં આવાગમન કરે તો પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ થાય છે ત્યારે પણ પૃથ્વીનો એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ ત્રણ કારણોને લીધે પૃથ્વીનો એકદેશ ચલાયમાન થાય છે, ત્રણ કારણોથી પૂર્ણ પૃથ્વી ચલાયમાન થાય છે જેમકે- આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં વિશિષ્ટ કારણે ધનવાત ક્ષુબ્ધ થાય છે, ધનોદધિ કપિત થાય છે. ત્યારે તે ક્ષુબ્ધ ધનવાત ધનોદધિને કમ્પાયમાન કરી નાખે છે અને ધનોદધિ કંપિત થવાથી સમગ્ર પૃથ્વી કિંપિત થાય છે. મહાઋદ્ધિવાળા - યાવત્ - મહેશ્વર રૂપે પ્રસિદ્ધ દેવ તથા રૂપ શ્રમણ માહનને ઋદ્ધિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, બતાવતો થકી સમગ્ર પૃથ્વીને કંપાવી નાખે છે. દેવ તથા અસુરો વચ્ચે સંગ્રામ મચે છે ત્યારે પણ સમગ્ર પૃથ્વી કંપી ઊઠે છે. આ ત્રણ કારણોથી સમગ્ર પૃથ્વી કંપિત થાય છે. [213 કિલ્બિષિક, દેવ ત્રણ પ્રકારના છે- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, તેરસાગરોપમની સ્થિતિવાળા. પ્રશ્ન : ભગવન ? ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્પિ-ષિક દેવ ક્યાં રહે છે ? જ્યોતિષ મંડળની ઉપર અને સૌધર્મ તથા ઈશાન કલ્પોની નીચે રહે છે. ભગવાન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિાષિક દેવ ક્યાં રહે છે ? સૌધર્મ અને ઈશાન કલ્પોની નીચે રહે છે? ભગવનું તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્પિષિક દેવ ક્યાં રહે છે? બ્રહ્મલોકની ઉપર અને લાન્તક કલ્પની નીચે રહે છે. [૧૪]દેવરાજ શક્રની બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. દેવેન્દ્ર શકની આભ્યન્તરપરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવેન્દ્ર ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. [૨૧૫]પ્રાયશ્ચિતના ત્રણ પ્રકાર કહેલ છે- જ્ઞાન પ્રાયશ્ચિત દર્શન પ્રાયશ્ચિત, ચારિત્ર પ્રાયશ્ચિત ત્રણને અનુદ્ધાતિક પ્રાયશ્ચિત છે- હસ્તકર્મ કરવાવાળાને, મૈથુન સેવનકરનારાને, રાત્રિભોજન કરનારને. ત્રણને પ્રાયશ્ચિત પારા- ચિક કહેલ છે- કષાય અને વિષયથી અત્યાનગૃદ્ધિાનદૂવાળાને અને પરસ્પર મૈથુન કરનારને ત્રણને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેલ છે- સાધર્મિકોને ચોરી કરનારને, અન્ય ધાર્મિકોને ત્યાં ચોરી કરનારને અને હાથઆદિથી મમત્તક પ્રહાર કરવાવાળાને. [૨૧]ત્રણ પ્રકારની વ્યક્તિઓ પ્રવજ્યાને પાત્ર ગણાતી નથી. પંડક, (નપુંસક) વાતિક, વ્યાધિગ્રસ્ત એ પ્રમાણે ઉપરના ત્રણને મુંડીત કરવા શિક્ષા દેવી મહાવ્રતોનું આરોપણ કરવું, એક સાથે બેસીને ભોજન કરવું તથા રાખવું પણ યોગ્ય ગણાતું નથી. [૧૭]ત્રણ વાચના દેવા યોગ્ય હોતા નથી- અવિનીત, દૂધઆદિવિકૃતિઓનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy