SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસો-૪ 263 [28] ત્રણ પ્રકારની પ્રજ્ઞાપના કહેલ છે જેમકે- જ્ઞાનપ્રજ્ઞાપના, દર્શન પ્રજ્ઞાપના, અને ચારિત્ર પ્રજ્ઞાપના. ત્રણ પ્રકારના સમ્યગુ કહેલ છે, જેમકે-જ્ઞાન સમ્યગુ દર્શન સમ્યગ, અને ચારિત્રસમ્યગ. ત્રણ પ્રકારના ઉપઘાત કહેલ છે. જેમકે- ઉગમોપઘાત, ઉત્પાદનોપાત અને એષણોપઘાત. એ પ્રમાણે ત્રણ પ્રકારની વિશુદ્ધિ, કહેલ છે જેમકેઉગમ વિશુદ્ધિ, ઉત્પાદન વિશુદ્ધિ. એષણાવિશુદ્ધિ. [209 ત્રણ પ્રકારની આરાધના છે, જ્ઞાનારાધના, દર્શનારાધના, અને ચારિત્રારાધના. જ્ઞાનારાધના ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે- ઉત્કૃષ્ટ, મધ્યમ, ને જઘન્ય. એ પ્રમાણે દર્શન આરાધના અને ચારિત્ર આરાધના પણ કહેવી જોઈએ. - ત્રણ પ્રકારના સંકલેશ કહેલ છે. જેમ કે- જ્ઞાનસંકલેશ, દર્શનસંકલેશ અને ચારિત્ર્યસંકલેશ. એ પ્રમાણે અસંકલેશ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર પણ જાણવા. ત્રણ નું અતિક્રમણ થવા પર આલોચના કરવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, નિંદા કરવી જોઈએ, ગહ કરવી જોઇએ, વાવતુ તપ અંગીકાર કરવો જોઈએ. જેમ કે- જ્ઞાનનું અતિક્રમણ, દર્શનનું અતિક્રમણ અને ચારિત્ર્યનું અતિક્રમણ કરવા પર. એ પ્રમાણે વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર કરવા પર આલોચનાદિ કરવી જોઈએ. [21] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય. ઉભય યોગ્ય. [211] જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ અકર્મભૂમિઓ કહેલી છે, જેમ કે- હૈમવત, હરિવર્ષ અને દેવકુર, જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ અકર્મભૂમીઓ કહેલી છે, જેમ કે- ઉત્તરકુર, રમ્યુકવાસ અને હૈરણ્યવત. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે, જેમકે- ભરત, હૈમવત, અને હરિયાસ. જબૂદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે જેમકે- રમ્યુકવાસ હૈરણ્યવતું. અને ઐરવત. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકેલઘુહિમવાન, મહાહિમાવાન અને નિષધ જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકે-નીલવાન, રુકમી અને શિખરી. જમ્બુદ્વીપવત મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ મહાદ્રહ છે, જેમકે-પદ્મદ્રહ, મહાપાદ્રહ અને તિગિચ્છદ્રહ. ત્યાં મહર્તિકયાવતુ - પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ રહે છે- શ્રી, લી, અને વૃતિ. આ પ્રમાણે ઉત્તરમાં પણ ત્રણ દ્રહ છે, જેમકે- કેશરી દ્રહ, મહાપુંડરીક દ્રહ અને પુંડરીક હ. તે દ્રહમાં રહેવાવાળી દેવીઓનાં નામ આ પ્રમાણે છે- કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના દક્ષિણમાં સ્થિત લઘુ હિમાવાન વર્ષઘર પર્વતના પદ્મદ્રહ નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે, જેમકે-ગંગા, સિન્ધ અને રોહિતાશા. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં સ્થિત શીખરીવર્ષઘર પર્વતના પુંડરીક નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે. જેમકે-સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના પૂર્વમાં અને સીતાદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અત્તર નદીઓ કહેલી છે, જેમ કે- તપ્તકલા, માલા અને ઉન્મત્તજલા. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં ત્રણ અન્તર નદીઓ કહેલી છે, જેમ કે- ક્ષીરોદા, શીતશો સ્રોતા અને અન્તવાહિની. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના પશ્ચિમમાં અને શીતોદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અત્તર નદીઓ કહેલી છે. જેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy