SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 262 ઠા-૩૩/૨૦૦ પ્રયોગ ક્રિયા. સમુદાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલ છે જેમકે- અનન્નર સમુદાન ક્રિયા પરમ્પર સમુધન ક્રિયા અને તદુભય સમુદાન ક્રિયા. અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે મતિ-અજ્ઞાન ક્રિયા, શ્રુત અજ્ઞાન ક્રિયા, વિભંગ અજ્ઞાન ક્રિયા. અવિનય ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે-દેશ-ત્યાગી, નિરાલમ્બનતા, વિવિધ પ્રેમ-દ્વેષ અવિનય. અજ્ઞાન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- પ્રદેશઅજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. 201] ધર્મ ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે-મૃતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાયધર્મ. ઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે ધાર્મિક ઉપક્રમ, અધાર્મિક ઉપક્રમ અને મિશ્ર ઉપક્રમ. અથવા ત્રણ પ્રકારનો ઉપક્રમ કહેલ છે જેમકે આત્માપક્રમ, પરોપક્રમ અને તદુભયોપક્રમ. એ પ્રમાણે વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશાસન અને ઉપાલક્ષ્મના ત્રણ ત્રણ આલાપક ઉપક્રમની સમાન જ સમજવા. [202] કથા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે-અર્થકથા ધર્મકથા અને કામકથા વિનિશ્ચયે ત્રણ પ્રકારનો છે. -અર્થવિનિશ્ચય, ધર્મવિનિશ્ચય અને કામ વિનિશ્ચય. [203-204 ભગવન્! તથારૂપ શ્રમણ માહણની સેવા કરવાવાળાને સેવાનું શું ફળ મળે છે? ગૌતમ તેને ધર્મશ્રવણ કરવાનું ફળ મળે છે. ભગવન્! ધર્મશ્રવણનું શું ફલ થાય છે? ગૌતમ ધર્મ શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવનું જ્ઞાનનું ફલ શું છે ? ગૌતમ ! જ્ઞાનનું ફલ વિજ્ઞાન હેય ઉપાદેયનો વિવેક) છે. આ પ્રકારે આ અભિલાપકથી તે ગાથા જાણી લેવી જોઈએ. શ્રવણનું ફલ જ્ઞાન, જ્ઞાનનું ફલ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફલ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનું ફલ સંયમ, સંયમનું ફલ અનાશ્રવ, અનાશ્રવનું ફલ તપ, તપનું ફલ વ્યવદાન (પૂર્વકત કર્મનો વિનાશ વ્યવદાનનું ફલ અક્રિયા, અક્રિયાનું ફલ નિવણ. ભગવન્! અક્રિયાનું શું ફલ છે?નિર્વાણ ફલ છે. ભગવન્! નિવણનું શું ફલ છે? સિદ્ધ ગતિમાં જવું તે નિર્વાણ સવન્તિમ પ્રયોજન છે. સ્થાન 3- ઉદેસોઃ૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( ઉદેસોઃ 4 ) [205] પ્રતિમાપારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું કલ્પે છે. જેમકે અતિથિગૃહમાં, ખુલ્લામકાનમાં, વૃક્ષની નીચે. એ પ્રમાણે ત્રણ ઉપાશ્રયોની આજ્ઞા લેવી અને તેને ગ્રહણ કરવું કલ્યું છે. પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્તાતરકોની પ્રતિલેખન કરવી કલો છે. પૃથ્વીશિલા કાષ્ઠ શિલા- તૃણાદિના સંસ્મારકની. એ પ્રમાણે આજ ત્રણ સંતારકોની આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કહે છે. [20] કાલ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- ભૂતકાલ, વર્તમાન કાલ, અને ભવિષ્યકાળ. સમય ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- અતીત સમય, વર્તમાન સમય, અને અનાગત સમય. એ પ્રમાણે આવલિકા, શ્વાસોશ્વાસ, સ્તોક, ક્ષણ લવ, મુહૂર્ત. અહોરાત્ર-યાવતુ-કોડવર્ષ, પૂવગ, પૂર્વ, વાવતુ અવસર્પિણી સુધી સમજવું. મુગલ પરિવર્તન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- અતીત, વર્તમાન, અને અનાગત. [207] વચન ત્રણ પ્રકારના છે, એકવચન, દ્વિવચન, અને બહુવચન. અથવા વચન ત્રણ પ્રકારનો છે, - ત્રીવચન, પુરુષવચન, અને નપુંસકવચન. અથવા ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમકે- અતીત વચન, વર્તમાનવચન અને ભવિષ્યતુ વચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy