SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 236 ઠા- 2381 પ્રકારના છે. -તાલ શબ્દ અને લાત-પ્રહારનો શબ્દ. શબ્દની ઉત્પત્તિ બે પ્રકારથી હોય છે. જેમકે-મુગલોના પરસ્પર મિલનથી. અને યુગલોનાં ભેદથી. [42] બે પ્રકારના પુદ્ગલ પરસ્પર સંબંધ હોય છે. જેમકે સ્વયં (સ્વભાવથી) જ પુદ્ગલ એકઠા થઈ જાય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ એકઠાં કરાય છે બે પ્રકારથી પુદ્ગલ અલગ અલગ હોય છે. જેમકે-સ્વયં જ પુદ્ગલ અલગ હોય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ ભિન્ન કરાય છે. બે પ્રકારથી પુદ્ગલમાં પરિશાટન થાય છે. જેમકે સ્વયં જ પુદ્ગલ સડે છે. અથવા અન્ય દ્વારા સડાવાય છે. આ જ પ્રમાણે બે પ્રકારથી પુગલ પડે છે અને આ પ્રમાણે પુદ્ગલ નષ્ટ થાય છે. પૂગલ બે પ્રકારના કહેલ છે. જેમકેભિન્ન અભિન્ન પુદ્ગલ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભેદુરધમ (સ્વભાવથી ક્ષણે ક્ષણે નષ્ટ થવાવાળા) અને અભેદુરધમ (નહીં નષ્ટ થવાવાળા). પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકેપરમાણું પુદ્ગલ અને પરમાણુંથી ભિન્ન સ્કંધ પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે સૂક્ષ્મ અને બાદર. પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે-બદ્ધપ્રાર્શ્વ પૃષ્ટ અને સંબદ્ધ. જેમ ધ્રાણેન્દ્રિય આદી સાથે ગંધ રસ અને સ્પર્શના પુદ્ગલો અને નો-બદ્ધપ્રાર્જ સૃષ્ટ-જે ત્વચાચામડીથી મૃા જ હોય પરંતુ બદ્ધ ન હોય, જેમ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય શબ્દ પુદ્ગલ. [3] શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-પર્યાપ્ત (કર્મયુગલોની જેમ પૂર્ણ રૂપેણ ગૃહીત) અને અપર્યાપ્ત એવી જ રીતે આત્ત (શરીરાદિ રૂપે ગૃહીત) અને અનાર (અગૃહીત)ના ભેદથી પણ પુદ્ગલ બે પ્રકારના છે. શબ્દ બે પ્રકારના છે. ગૃહીત અને અગૃહીત. એવી જ રીતે ઈષ્ટ અનિષ્ટ, કાન્ત-અકાન્ત, પ્રિય-અપ્રિય મનોજ્ઞ અમનોજ્ઞ, મણામ-અમણામના ભેદથી પણ બે-બે ભેદો જાણવા જોઇએ. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ પ્રત્યેકમાં પૂર્વોક્ત છ-છ આલાપક જાણવા જોઈએ. [84] આચાર બે પ્રકારનો છે. જેમ કે-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. નોજ્ઞાનાચાર બે પ્રકારનો કહેલ છે. જેમ કે-દર્શનાચાર અને નોદશનાચાર. નોદર્શનાચાર બે પ્રકારનો કહેલ છે. જેમ કે ચારિત્રાચાર અને નોચારિત્રાચાર. નીચારિત્રાચાર બે પ્રકારનો કહેલ છે. જેમકે-તપાચાર અને વિચાર. પ્રતિમાઓ બે કહેલ છેઃ -સમાધિપ્રતિમા અને ઉપધાનપ્રતિમાં પ્રતિમા બે પ્રકારની છેઃ વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગપ્રતિમા. પ્રતિમાઓ બે પ્રકારની છેઃ જેમ કે-ભદ્રા અને સુભદ્રા પ્રતિમાઓ બે પ્રકારની છે. જેમ કે-મહાભદ્રપ્રતિમા અને સર્વતોભદ્રપ્રતિમા. પ્રતિમાઓ બે છે. જેમ કે લઘુમોક પ્રતિમા અને મહતી મોક પ્રતિમા, પ્રતિમાઓ બે છેઃ જેમ કે યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજમધ્યચન્દ્ર પ્રતિમા, સામાયિક બે પ્રકારની છે. જેમ કે-અગાર દિશવિરતિ) સામાયિક અને અનગાર (સર્વ વિરતિ) સામાયિક. [85 બે પ્રકારનો જીવોના જન્મને ઉપપાત કહેલ છે. જેમ કે-દેવોના અને નૈરયિકના. બે પ્રકારનાં જીવોનું મરવું ઉપવર્તના કહેવાય છે. જેમકે-નૈરયિકોનું અને ભવનવાસીદેવોનું. બે પ્રકારનાં જીવોનું મરવું ચ્યવન કહેવાય છે જેમ કે જ્યોતિષ્કોનું અને વૈમાનિકોનું. બે પ્રકારનાં જીવોની ગર્ભથી ઉત્પત્તિ હોય છે. જેમકે મનુષ્યોની અને તિય પંચેન્દ્રિયની. પ્રકારના જીવ ગર્ભમાં રહેતા આહાર કરે છે. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. બે પ્રકારના જીવ ગર્ભમાં બુદ્ધિ પ્રાપ્ત કરે છે. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. એ જ પ્રમાણે બે પ્રકારના જીવો ગર્ભમાં અપચય પામે છે. બે પ્રકારના જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy