SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 314 ઠાણું-૪૪૪૨૦ વાળોઅને અમિષાવત સમાન લોભ કરવા વાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, 4i20-421 અનુરાધા નક્ષત્રના ચાર તાગ છે. પૂવષાઢા ઉત્તરાષાઢાના પણ ચાર છે. ચાર સ્થાનોમાં સંચિત પુલ પાપ કર્મ રૂપમાં એકત્ર થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમ કે- નારકીય ભવમાં તિર્યંચ દેવ ભવમાં. મનુષ્યજીવનમાં એકત્રિત પુદ્ગલ. એ પ્રમાણે પુદ્ગલોનો ઉપચય બંધ. ઉદીરણાવેદના અને નિર્જરાના એક એક સૂત્ર સમજી લેવા જોઇએ [422} ભવમાં ચાર પ્રદેશવાળા સ્કંધ અનન્ત છે. ચાર આકાશ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. ચાર ગુણ કૃષ્ણ પુદ્ગલ અનન્ત છે વાવત. ચાર ગુણ રુક્ષ પુદ્ગલ અનન્ત છે. સ્થાનઃ૪-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃપ) - ઉદ્દેશો-૧ઃ૪૨૩ મહાવ્રત પાંચ છે- સર્વ પ્રાણાતિપાતથી વિરત થવું. સર્વ મૃષાવાદથી વિરત થવું. સર્વ અદત્તાદાનથી વિરત થવું. સર્વ મૈથુનથી વિરતથવું અને સર્વપરિગ્રહથી વિરત થવું. અણુવ્રત પાંચ કહેલ છે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત થવું. સ્થૂલ મૃષાવાદથી વિરત થવું, સ્થૂલ અદત્તાદાનથી વિરત થવું સ્વ દારા સંતોષ ઇચ્છા મર્યાદા કરવી. [424) વર્ણ પાંચ છે, કૃષ્ણ. નીલ, લોહિત. હરિ. શુકલ. રસ પાંચ છે- તીકતથી મધુર સુધી. કામગુણ પાંચ છે. શબ્દ, રૂપ. ગંધ, રસ, સ્પર્શ. પાંચ સ્થાનોમાં જીવ આસક્ત થાય છે. શબ્દ યાવત્ સ્પર્શમાં. પૂવક્ત પાંચોમાં જીવ રાગભાવને પ્રાપ્ત થાય છે, તથા મૂચ્છાભાવ, ગૃદ્વિભાવ, આકાંક્ષા ભાવને અને મરણને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત પાંચેનું જ્ઞાન ન થવું અને ત્યાગ ન કરવો જીવોના અહિતને માટે હોય છે. અશુભ, અનુચિત, અકલ્યાણ અને અનાનુગામિતાને માટે થાય છે. આ પાંચેનું જ્ઞાન થવું અને ત્યાગ કરવો જીવોના હિતને માટે થાય છે. શુભ ઉચિત, કલ્યાણ, અનુગામિકતા માટે થાય છે. એ શબ્દ આદિ પાંચે સ્થાનોનું અજ્ઞાન અને નહીં ત્યાગવું જીવોની દુર્ગતિને માટે થાય છે. જેમકે શબ્દ વાવ, સ્પર્શ. તે પાંચે સ્થાનોનું સ્થાન અને પરિત્યાગજીવોની સુગતિને માટે થાય છે. જેમકે શબ્દ યાવતુ- સ્પર્શ. રિપો પાંચ કારણોથી જીવ દુગતિને પ્રાપ્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતથી થાવતુ પરિગ્રહથી. પાંચ કારણોથી જીવ સુગતિને પ્રાપ્ત થાય છે, જેમકે- પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહવિરમણથી. 4i26] પ્રતિમાઓ પાંચ કહેલી છે, જેમકે- ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા, મહાભદ્રા પ્રતિમા સર્વતોભદ્ર પ્રતિમા, ભદ્રોત્તરપ્રતિમા ૪ર૭ી પાંચ સ્થાવરકાય કહેલ છે. જેમકે- ઈન્દ્ર સ્થાવરકાય (પૃથ્વીકાય) બ્રહ્મસ્થાવરકાય (અપ્લાય) શિલ્પસ્થાવરકાય (તેજસ્કાય) સમ્મતિ સ્થાવરકાય. (વાયુકાય) પ્રાજાપત્ય સ્થાવરકાય (વનસ્પતિકાય). પાંચ સ્થાવરકારના પાંચ અધિપતિ છે. પૃથ્વીકાયના અધિપતિ. (ઈન્દ્ર) અપકાયના અધિપતિ. (બ્રહ્મ) તેજસ્કાયના અધિપતિ. શિલ્પ) વાયુકાયના અધિપતિ. (સંમતિ) વનસ્પતિકાયના અધિપતિ. પ્રિજાપતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy