SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 164 સૂયગડો-૧૧૩-૫૮ છે તે સંસારથી પાર થઈ શકતો નથી. [પ૬૮] જે પુરુષ અકિંચન છે, ભિક્ષા લઈને નિવહિ કરે છે અને લૂખું સૂકું ખાઇને જીવિત રહે છે પરંતુ જો તે અભિમાન કરતો હોય. કે પોતાની સ્તુતિની ઇચ્છા રાખતો હોય, તો તેના બીજ ગુણો તેનું પેટ ભરવાનું સાધન માત્ર છે, તે પરમાર્થને નહીં સમજનાર વારંવાર જન્મમરણને પ્રાપ્ત કરે છે. પિ૯] જે સાધુ ઉત્તમ રીતિથી બોલનાર ભાષાવિદ્ હોય. તથા મધુરભાષી. પ્રતિભાવાનું અને વિશારદ હોય તથા ધર્મની વાસનાથી જેનું હૃદય વાસિત છે તે સાચા સાધુ છે, પરંતુ આવા શ્રેષ્ઠ ગુણોની યુક્ત હોવા છતાં પણ જે અભિમાન કરે છે અને બીજાનો તિરસ્કાર કરે છે તે સાધુ વિવેકી નથી. પિ૭ જે સાધુ પ્રજ્ઞાવાનું થઈને પણ પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે, અથવા જે લાભના અભિમાનથી ઉન્મત્ત થઈને બીજાની નિન્દા કરે છે, તે બાલબુદ્ધિ સાધુ સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. [71] સાધુ બુદ્ધિમદ, તપોમદ, ગોત્રમદ, અને આજિવિકામદ ન કરે, જે આવો મદ કરતા નથી તેજ પંડિત છે અને તેજ સર્વશ્રેષ્ઠ છે. 72] ધીર પુરુષ ઉપરોક્ત મદસ્થાનો છોડી દે. શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત પરષો તેનું સેવન કરતા નથી. તેથી ઊંચ-નીચ બધા ગોત્રથી મુક્ત થયેલા તે મહર્ષિઓ સર્વોત્તમ ગતિ-મોક્ષ પામે છે. પ૭૩ ઉત્તમ વેશ્યાવાળા અને ધર્મને સમજેલા સાધુ ભિક્ષા માટે ગ્રામ કે નગરમાં પ્રવેશીને એષણા અને અષણાને સમજીને. અન્ન અને પાણીમાં આસક્તિ રાખ્યા વિના શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે. પિ૭૪] સાધુ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ ન કરે. તે ઘણા સાધુ સાથે રહેતા હોય અથવા એકલો રહેતો હોય, પરંતુ સંયમમાં બાધા ન પહોંચે એવા વચન બોલે. વળી તે ધ્યાનમાં રાખે કે જીવાત્મા એકલોજ પરલોકમાં જાય છે અને આવે છે. પ૭પી ધીર પુરષ ધર્મના સ્વરૂપને સમ્યફ પ્રકારથી સ્વયં જાણીને અથવા ગુરુ આદિથી શ્રવણ કરીને જીવોને હિતકારી ઉપદેશ આપે. ઉત્તમ શૈર્ય ધર્મવાળા પુરુષ નિદિત કાર્ય કે ફળની પ્રાપ્તિ માટે કાર્ય કરે નહિ. પિ૭૬-૫૭૭ પોતાની બુદ્ધિથી બીજાનો અભિપ્રાય સમજ્યા વિના ધર્મનો ઉપદેશ આપે તો બીજાને શ્રદ્ધા ન થતાં તે ક્રોધિત બની જાય છે; વધ પણ કરી નાખે, માટે સાધુ અનુમાનથી બીજાનો અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. બુદ્ધિમાનુ સાધુ શ્રોતાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને ધર્મનો ઉપદેશ આપે અને તેમના મિથ્યાત્વને દૂર કરે. તેમને સમજાવે કે તમે સ્ત્રીના રૂપમાં મોહ પામો છો. પરંતુ સ્ત્રીનું રૂપ ભય આપનારું છે, તેમાં લુબ્ધ થનારો મનુષ્ય નાશ પામે છે. આ પ્રમાણે શ્રોતાઓનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. પિ૭૮] સાધુ ઉપદેશ આપતાં પૂજા અને પ્રશંસાની કામના ન કરે, કોઇની પ્રિય અને અપ્રિય એવી કથા ન કહે તથા બધા અનર્થોને વર્જીને આકુળતા રહિત અને કષાય રહિત બનીને ઉપદેશ આપે. [57] સાધુ ધર્મના યથાર્થ સ્વરૂપને જોઈને ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy